વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે નમો એપ પર શરૂ કરાયેલ ‘જન મન સર્વે’ ને દેશભરમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. લૉન્ચ થયાના માત્ર 26 કલાકમાં 5 લાખથી વધુ નાગરિકોએ આ સર્વેમાં ભાગ લીધો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને આ સર્વે દ્વારા ભારતની વિકાસ યાત્રા અંગે પોતાનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે. આ સર્વે નાગરિકોને રાષ્ટ્રીય સુરક્ષા, સુશાસન, સાંસ્કૃતિક ગૌરવ અને યુવા વિકાસ જેવા મુદ્દાઓ પર અભિપ્રાય વ્યક્ત કરવાની લોકશાહી તક આપે છે. અત્યાર સુધીના ડેટા મુજબ, સૌથી વધુ પ્રતિસાદ ઉત્તરપ્રદેશ (1,41,150), મહારાષ્ટ્ર (65,775), તમિલનાડુ (62,580), ગુજરાત (43,590) અને હરિયાણા (29,985)માંથી મળ્યા છે. 77% લોકોએ સમગ્ર સર્વે પૂર્ણ કર્યો છે, જે નાગરિકોની ઉત્સાહી ભાગીદારીનો સંકેત આપે છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં સુશાસન, રાજકીય સંસ્કૃતિમાં પોઝિટિવ પરિવર્તન અને નિર્ણાયક પગલાં જોવા મળ્યા છે. સરકાર દ્વારા એક ઈ-બુક પણ રજૂ કરવામાં આવી છે, જેમાં 11 વર્ષના વિકાસના વિવિધ મોખરા ક્ષેત્રોની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત પદભાર સંભાળ્યો હતો અને 9 જૂન 2024ના રોજ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા છે.
Your views matter the most! Take part in this survey on the NaMo App and let us know how you view India’s growth journey over the last 11 years. #11YearsOfSeva https://t.co/HSPUQwa4g1
— Narendra Modi (@narendramodi) June 9, 2025
ટૉપ પરફૉર્મિંગ રાજ્યો –
1. ઉત્તરપ્રદેશ – 1,41,150 પ્રતિભાવો
2. મહારાષ્ટ્ર – 65,775 પ્રતિભાવો
3. તમિલનાડુ – 62,580 પ્રતિભાવો
4. ગુજરાત – 43,590 પ્રતિભાવો
5. હરિયાણા – 29,985 પ્રતિભાવો
જન મન સર્વે: સરકારના કાર્યને જનતા કેવી રીતે જુએ છે
આ ભાવનાઓ સાથે પ્રધાનમંત્રીએ નમો એપ પર શરૂ કરાયેલા જન-મન સર્વે વિશે માહિતી શેર કરી અને લખ્યું કે છેલ્લા 11 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો થયા છે અને જીવન જીવવાની સરળતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમણે જનતાને સર્વેમાં ભાગ લેવા હાકલ કરી. આ સર્વેમાં વિવિધ ક્ષેત્રોને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, પહેલો પ્રશ્ન આતંકવાદ સામે ભારતના કડક વલણ સાથે સંબંધિત છે.