click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
Reading: સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે – ઉમાશંકર વ્યાસજી
Share
Aa
One India News
Aa
Search
Follow US
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે – ઉમાશંકર વ્યાસજી

સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે – ઉમાશંકર વ્યાસજી

Last updated: 2024/08/09 at 3:38 PM
One India News Team
Share
2 Min Read
SHARE

મહુવા કૈલાસ ગુરુકુળમાં મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન કથાકારો દ્વારા મનનીય વક્તવ્યનો લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે ઉમાશંકર વ્યાસજીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે છે.

સંત તુલસીદાસજી જન્મોત્સવ ઉપક્રમે મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીનો ગઈકાલ બુધવારથી કૈલાસ ગુરુકુળમાં પ્રારંભ થયો છે.

સંગોષ્ઠીમાં ચિંતન ઉદ્બોધન કરતાં બરેલીનાં ઉમાશંકર વ્યાસજીએ મારીચ અને રામ અરસપરસ પ્રેમી અને પ્રિયતમ હોવાનું જણાવી તુલનાત્મક રોચક વાત કરી તેઓએ સાર રૂપ કહ્યું કે સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે છે. તેઓએ મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી સર્વત્ર વહેતી રહે તેવી કામના કરી.

ઈન્દોરનાં જાણીતાં વક્તા મુરલીધર મહારાજે શાસ્ત્રીય રાગરાગણી સાથેનાં ઉદ્બોધનમાં શોષણ અને પોષણ તત્વ અંગે નિરૂપણ કરી સંતની મહત્તા સમજાવી.

સંગોષ્ઠી બીજા દિવસનાં પ્રથમ સત્રમાં આ સાથે વકતાઓમાં રાઘવેન્દ્રદાસ રામાયણી (ઓરછા), વિજયરાઘવદાસજી (અયોધ્યા), સુનિતા શાસ્ત્રીજી (જબલપુર), શિવાકાંત મિશ્રાજી (વારાણસી), સીતાદીદી (ઓમકારેશ્વર), કૌશલકિશોરજી (આઝમગઢ), શ્યામપ્રસાદ ચતુર્વેદીજી (બક્સર) તથા ગુરૂપ્રસાદજી (પંચખોટ) રહ્યાં હતાં.

હરિશ્ચંદ્રભાઈ જોષીનાં પ્રારંભિક ઉદ્બોધન સાથે પ્રથમ સત્રમાં અચ્યુતાનંદ પાઠક અને બીજા સત્રમાં સુધીરચંદ્ર ત્રિપાઠી સંચાલનમાં રહ્યાં.

સ્વામી નિજાનંદજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું કે વર્ષો પહેલાં શિકાગોમાં સ્વામી વિવેકાનંદજી દ્વારા સનાતન ધર્મ સંદેશો અપાયાં બાદ મોરારિબાપુ દ્વારા પણ ન્યુયોર્કમાં રામકથા દ્વારા ઐતિહાસિક ધર્મસંદેશો વસુધૈવ કુટુમ્બકમ માટે આપ્યો, જે સૌ માટે ગૌરવ રૂપ વૈશ્વિક ઘટના છે તેમ જણાવી ભારતીય સનાતન સંસ્કૃતિનું મહાત્મ્ય રજૂ કર્યું.

બીજા દિવસે બપોર બાદ બીજા સત્રમાં કથાકાર વક્તાઓ કિશોર ઉપાધ્યાયજી (ઝારખંડ), અરિમર્દન શાસ્ત્રીજી (બુંદેલખંડ), રવિપ્રકાશ મિશ્રાજી (સિવાન), મિથીલેશ્વરજી (ઉરઈ), પ્રભાકર ત્રિપાઠીજી (વારાણસી), આસ્થા દૂબેજી (જબલપુર), અંકુશ મહારાજ (ઉરઈ), મદનમોહન મિશ્રાજી (વારાણસી), અંકુશ મહારાજ (ઓરૈયા) અને આશિષ મિશ્રાજી (વારાણસી) દ્વારા રામચરિત માનસ અને સંબંધિત પ્રસંગ પાસાઓનું રસમય નિરૂપણ કરવામાં આવ્યું.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-08-09-at-3.14.34-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-08-09-at-3.14.33-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-08-09-at-3.14.33-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-08-09-at-3.14.32-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-08-09-at-3.14.32-PM.mp4

You Might Also Like

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ

શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય

સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team August 9, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બેન્કમાં ચેક હવે ગણતરીના કલાકોમાં ક્લીયર થઈ જશે
Next Article નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
June 19, 2025
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ
June 19, 2025
શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય
June 19, 2025
સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ
June 19, 2025
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?