click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
Reading: નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
Share
Aa
One India News
Aa
Search
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Last updated: 2025/05/03 at 5:03 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
 નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. આગામી સમયમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગણેશ ઉત્સવની ઉજવણી કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ થાય તથા નવસારી જિલ્લામાં પર્યાવરણને ઓછામાં ઓછુ નુકશાન થાય તે દિશામાં નવસારી જિલ્લા તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આ બાબત આગામી ગણેશ ઉત્સવમાં સુનિશ્ચિત કરવા આજરોજ પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોરના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી દ્વારા ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિકારોને કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા તથા નવસારી જિલ્લા મેજેસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરેલ જાહેરનામા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. જેમાં પર્યાવરણને નુકશાન થાય તેવા તત્વોનો ઉપયોગ ન કરવા તથા 09 ફુટથી વધારે મૂર્તી ન બનાવવા કે ન સ્થાપવા અંગે તાકીદ કર્યા હતા. પ્રાંત અધિકારી દ્વારા કડક શબ્દોમાં જણાવાયું હતું કે, કોઇ મૂર્તિકાર 09 ફુટથી વધારે ઉંચાઇની પ્રતિમા બનાવશે કે કોઇ આયોજકો 09 ફુટથી વધારે ઉંચાઇની પ્રતિમાની સ્થાપના કરશે તો તેઓ ઉપર જાહેરનામા ભંગ બદલ એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  તેમણે સમગ્ર નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે એમ તાકીદ કરી હતી.
તેમણે ઉપસ્થિત સૌને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરેલ જાહેરનામા અંગેની સુચનાઓ આપી હતી. જે અનુસાર પી.ઓ.પી. મૂર્તિઓ વિસર્જન સમયે, નદીઓ/તળાવના કિનારે રાખવી, નદી/તળાવમાં પધરાવવી નહી. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ. આયોજકોએ 9 (નવ) ફૂટથી વધારે ઉંચાઇની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ એટલે કે વિસર્જન-સરઘસમાં સામેલ ગણેશજીની પ્રતિમાની કુલ ઉંચાઇ નવ ફૂટથી વધારે રાખવી નહિ. મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા તથા નવસારી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ તમામ નિયમો લાગુ પડશે જેની નોંધ લેવા પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું.
આ બેઠકમાં ડીવાયએસપી  એસ.કે.રાય, નવસારી મામલતદાર વસાવા,  ગણેશ મંડળના આયોજકો, સભ્યો, મૂર્તિકારો, સહિત નવસારી ગ્રામ્ય, ટાઉન, મરોલી, વિજલપોર અને જલાલપોરના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ

શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય

સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા
Next Article નડિયાદ મહાનગરપાલિકા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવે પછી દુકાનો ખાલી કરવાની રહેશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
Gujarat Kheda ફેબ્રુવારી 10, 2025
શેરબજારમાં નવા સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 450 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ગગડ્યો
Gujarat ફેબ્રુવારી 10, 2025
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
Bhavnagar Gujarat ફેબ્રુવારી 8, 2025
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
Gujarat Kheda ફેબ્રુવારી 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?