click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પેલેસ્ટાઇનના લોકોને શા માટે અરબ દેશ નથી આપતા શરણ? જાણો તેના 3 મુખ્ય કારણો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પેલેસ્ટાઇનના લોકોને શા માટે અરબ દેશ નથી આપતા શરણ? જાણો તેના 3 મુખ્ય કારણો
Gujarat

પેલેસ્ટાઇનના લોકોને શા માટે અરબ દેશ નથી આપતા શરણ? જાણો તેના 3 મુખ્ય કારણો

Last updated: 2023/10/21 at 5:22 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને હલકી ભોગવવી પડી રહી છે. હમાસનો અંત કરવાનું નક્કી કરેલ ઇઝરાયેલ, ગાઝા પટ્ટી પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ ઉપરાંત આ હુમલાઓથી બચવા માટે ગાઝા પટ્ટીના લોકો પાસે બચીને ભાગવાના કોઈ રસ્તા પણ નથી. ગાઝા પટ્ટીની એક તરફ સમુદ્ર અને બીજી ત્રણેય બાજુ જમીનથી લોક છે. આથી ત્યાના લોકો પણ આ યુદ્ધનો ભોગ બની રહ્યા છે.

Contents
ગાઝા પટ્ટીના લોકો બની રહ્યા છે ભોગશા માટે પેલેસ્ટાઇનના લોકોને અરબ દેશમાં નથી મળતી શરણ?પહેલું કારણબીજું કારણત્રીજું કારણ

ગાઝા પટ્ટીના લોકો બની રહ્યા છે ભોગ

ગાઝાની એક બોર્ડર ઈજીપ્ત સાથે છે. જયારે અન્ય બે બોર્ડર ઇઝરાયેલ અને અન્ય તરફ ભૂમધ્ય સાગર આવેલો છે. આ હુમલાઓ પછીથી જ દુનિયાભરમાં આ ચર્ચાઓ ચાલે છે કે અરબ દેશોને પેલેસ્ટાઇનની આટલી ચિંતા છે તો તેઓ લોકોને તેમના દેશમાં શરણ શા માટે નથી આપતા? પડોસી દેશ ઈજીપ્ત અને જોર્ડન ઈચ્છે તો પેલેસ્ટાઇનના લોકોને શરણ આપી શકે છે. તો જાણીએ એ આ દેશો શા માટે પેલેસ્ટાઇનના લોકોને શરણ આપતા નથી.

શા માટે પેલેસ્ટાઇનના લોકોને અરબ દેશમાં નથી મળતી શરણ?

આ યુદ્ધમાં દરેક દેશ પેલેસ્ટાઇનને સહાનુભુતિથી જોવે છે અને તેમની સાથે છે. પરતું જયારે તેમને શરણ આપવાની વાત આવે છે તો કોઈ પણ દેશ તેના હાથ પાછા ખેચી લે છે. જેના મુખ્ય ત્રણ કારણ છે, તે જોઈએ.

પહેલું કારણ

પેલેસ્ટાઇનના લોકો લાંબા સમયથી વિસ્થાપિત છે. તે 1948 માં શરૂ થયું, જ્યારે ઇઝરાયેલની રચના થઇ ત્યાર પછીથી 7.5 લાખ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત થવું પડ્યું હતું. ત્યારબાદ 1967ના યુદ્ધમાં ઈઝરાયેલે ગાઝા અને વેસ્ટ બેંક પર કબજો કર્યો, જેના કારણે ત્રણ લાખ પેલેસ્ટિનિયનો વિસ્થાપિત થયા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. આજે તેમની સંખ્યા 60 લાખ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી મોટાભાગના વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડન જેવા દેશોમાં કેમ્પમાં રહે છે. કેટલાક પશ્ચિમી દેશોમાં પણ ગયા.

ઈઝરાયેલ હવે આ શરણાર્થીઓને તેમના ઘરે પરત જવા દેતું નથી. જ્યારે પણ શાંતિ સમજૂતીમાં આ પેલેસ્ટિનિયનોના સમાધાનની વાત થાય છે, ત્યારે ઇઝરાયેલ તે બાબતનો ઇનકાર કરે છે. તેમનું કહેવું છે કે આના કારણે તેમના દેશમાં યહૂદી બહુમતી વસ્તી જોખમમાં આવી જશે. ઇજિપ્ત સહિતના આરબ દેશોને લાગે છે કે જો તેઓ ગાઝાના પેલેસ્ટિનિયનોને શરણ આપશે તો શાંતિ સ્થાપિત થયા બાદ ઇઝરાયેલ તે લોકોને ગાઝા પાછા ફરવા દેશે નહીં.

બીજું કારણ

ઈઝરાયેલી સેનાએ એવું કહ્યું છે કે જેટલા પણ લોકો યુદ્ધ શરુ થયા બાદ ભાગીને ગાઝાના ઉત્તરી ભાગમાંથી દક્ષિણી ભાગમાં ગયા છે તેમને યુદ્ધ પૂરું થયા બાદ પાછા આવવાની તક મળશે. જો કે અરબ દેશોને ઈઝરાયેલની આ વાત પર ભરોસો નથી. ઈજીપ્ત અહિત ઇઝરાયેલના ઘણા પડોસી દેશોમાં પહેલાથી જ ઘણા શરણાર્થીઓ વસે છે. જેના કારણે જ તેઓ વધુ શરણાર્થીઓને શરણ આપી શકે તેમ નથી. ઉપરાંત તેમની આર્થિક સ્થિતિ પણ એ હાલતમાં નથી.

અરબ દેશ અને અન્ય ઘણા પેલેસ્ટાઈનીઓ એવું પણ માને છે ઇઝરાયેલ ગાઝા, વેસ્ટ બેંક અને પૂર્વી જેરુસલેમથી પેલેસ્ટાઈનીઓને હટાવીને સ્વતંત્ર દેશ બનાવવાની તેમની માંગને સમાપ્ત કરી શકે છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સિસીએ કહ્યું છે કે ગાઝામાંથી પલાયન કરવાનો હેતુ પેલેસ્ટાઇનની માંગને સમાપ્ત કરવાનો છે. જ્યારે પેલેસ્ટિનિયનો હવે વેસ્ટ બેંક અને ગાઝામાં નહીં રહે, ત્યારે તેમના માટે અલગ દેશ બનાવવાની માંગ પણ અટકાવી દેવામાં આવશે.

ત્રીજું કારણ

ગાઝાથી મોટી સંખ્યામાં પલાયન કરવાના કારણે ઈજીપ્તને એ વાતનો પણ ડર છે કે ક્યાંક હમાસના લડાકુઓ તેમના દેશમાં ન આવી જાય. દશકો સુધી આતંકીઓ સામે લડીને શાંતિ સ્થાપિત કરતા આ વિસ્તારમાં શરણના કારણે ઈજીપ્તનો સિનાઈ વિસ્તાર અસ્થિર ન થઇ જાય. ઈજીપ્ત પહેલા પણ હમાસ પર આરોપ લગાવી ચુક્યું છે કે આતંકીઓ સાથેની લડાઈમાં તેને આતંકીઓની મદદ કરી હતી. જેથી બંને દેશો વચ્ચેના સંબંધ ખરાબ છે.

આ સિવાય ઈજીપ્તને એ વાતની પણ ચિંતા છે કે જો પેલેસ્ટિનિયનો ત્યાં શરણ લઈને રહે છે તો હમાસની સેના અહીંથી ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જેન કારણે ઇઝરાયેલ અને ઈજીપ્તના સંબંધો પર અસર પડી શકે છે. ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે 1979માં શાંતિ કરાર થયો હતો. સિનાઈ એ વિસ્તાર છે કે જ્યાં પેલેસ્ટિનિયનો ત્યાં રહેવાણી વાત કરવામાં આવે છે. પણ એ વાતનો પણ દર છે કે હમાસ આ વિસ્તારને પોતાની બેઝ બનાવી શકે છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Arab countries, GAZA, Palestine, refuge

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
Next Article અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?