click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી…’, ઈડીએ કર્યો કેજરીવાલની જમાનત અરજીનો વિરોધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી…’, ઈડીએ કર્યો કેજરીવાલની જમાનત અરજીનો વિરોધ
Gujarat

‘ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી…’, ઈડીએ કર્યો કેજરીવાલની જમાનત અરજીનો વિરોધ

Last updated: 2024/05/09 at 6:36 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam) સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને વચગાળાના જામીન આપવા મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુનાવણી થવાની છે. જોકે તેના એક દિવસ પહેલા એટલે કે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.

Contents
વચગાળાના જામીન માટે કાલે સુનાવણીચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી : ઈડીવચગાળાના જામીન આપવાથી ખોટો સંદેશ ફેલાશેકોર્ટે અગાઉ કહ્યું હતું કે, ‘કેજરીવાલ CM છે, ગુનેગાર નહીં’કેજરીવાલ, સિસોદિયા, કવિતાની કસ્ટડી લંબાવાઈ

વચગાળાના જામીન માટે કાલે સુનાવણી

દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહેલી બેંચની અધ્યક્ષતા કરનારા ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, ‘વચગાળાના જામીન મુદ્દે અમે શુક્રવારે નિર્ણય સંભળાવીશું. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર પણ આ જ દિવસે નિર્ણય કરવામાં આવશે.’

સુપ્રીમ કોર્ટ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરે તેના એક દિવસ પહેલા ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભાનુ પ્રિયાએ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે. ભાનુ પ્રિયાએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી કેજરીવાલને ચૂંટણી પ્રચારના આધારે વચગાળાના જામીન આપવાથી અન્ય બેઈમાન રાજકીય નેતાઓ પણ ગુના કરવા તેમજ ચૂંટણીના બહાને તપાસથી બચવાનો પ્રયાસ કરશે. આમ કરવાથી એક ખોટો સંદેશ ફેલાશે.’

ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી : ઈડી

ઈડીએ કહ્યું કે, ‘ચૂંટણી પ્રચાર કરવો તે મૌલિક, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી. અત્યાર સુધીમાં લગભગ 123 ચૂંટણીઓ યોજાઈ છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી છીએ. જો ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન અપાશે તો કોઈપણ રાજકીય નેતાની ધરપકડ કરી શકાશે નહીં અને તેઓને ન્યાયીક કસ્ટડીમાં રાખી શકાશે નહીં, કારણ કે આખું વર્ષ ચૂંટણીઓ યોજાય છે.’

વચગાળાના જામીન આપવાથી ખોટો સંદેશ ફેલાશે

ઉલ્લેખનીય છે કે, ઈડી પહેલેથી જ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે, તેમને વચગાળાના જામીન આપવાથી ખોટો સંદેશ ફેલાશે. શું એક રાજકીય નેતાને સામાન્ય માણસની તુલનાએ સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપી શકાય છે? આવા 5000 પ્રોસિક્યુશન છે, જો આ બધા ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન માંગશે તો શું થશે?

કોર્ટે અગાઉ કહ્યું હતું કે, ‘કેજરીવાલ CM છે, ગુનેગાર નહીં’

આ કેસમાં આઠમી મેએ સુનાવણી દરમિયાન ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેઓ રીઢા ગુનેગાર નથી. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા કરી શકાય છે. જોકે, બેન્ચે ઉમેર્યું કે, કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે તો તેમને મુખ્યમંત્રી તરીકેની ફરજોનું પાલન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, કારણ કે તેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ દરમિયાન ઈડીએ એમ કહીને વચગાળા જામીનનો વિરોધ કર્યો હતો કે, નેતાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. કેજરીવાલને જામીનનો પૂરજોર વિરોધ કરતા ઈડીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવામાં આવશે તો ખોટું ઉદાહરણ સ્થાપિત થશે. દરેક આરોપીઓ જામીન માગવા લાગશે.

કેજરીવાલ, સિસોદિયા, કવિતાની કસ્ટડી લંબાવાઈ

દિલ્હીમાં રદ કરી દેવાયેલી નવી દારૂ નીતિના કથિત કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે (8મી મે) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના પક્ષ આમ આદમી પાર્ટીના સાથી નેતા મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. સીબીઆઈ અને ઈડી બાબતોની કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કથિત કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની કસ્ટડી 20મે સુધી લંબાવી છે. વધુમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ન્યાયાધીશે મનીષ સિસોદિયાના જામીન 15 મે સુધી લંબાવ્યા છે. દરમિયાન મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાના જામીન 14 મે સુધી લંબાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: CM Arvind Kejriwal, Delhi liquor policy scam, Interim bail, Supreme Court, The alleged scam

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હવે નવેમ્બર સુધી આ દેશમાં જવા માટે નહીં પડે વિઝાની જરૂર: ભારતીય પ્રવાસીઓ માટે લેવાયો નિર્ણય
Next Article મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ, આ નિવેદને મચાવ્યો ખળભળાટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?