click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદની કેલોરેક્સ સ્કૂલને લાગ્યા તાળાં: વિદ્યાર્થીઓને નમાજ શીખવવાને લઈને હિંદુ સંગઠનો-વાલીઓએ કર્યો હતો વિરોધ, શિક્ષક સાથે ટપલીદાવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદની કેલોરેક્સ સ્કૂલને લાગ્યા તાળાં: વિદ્યાર્થીઓને નમાજ શીખવવાને લઈને હિંદુ સંગઠનો-વાલીઓએ કર્યો હતો વિરોધ, શિક્ષક સાથે ટપલીદાવ
Gujarat

અમદાવાદની કેલોરેક્સ સ્કૂલને લાગ્યા તાળાં: વિદ્યાર્થીઓને નમાજ શીખવવાને લઈને હિંદુ સંગઠનો-વાલીઓએ કર્યો હતો વિરોધ, શિક્ષક સાથે ટપલીદાવ

ઘટનાંને લઈને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે, ધાર્મિક શિક્ષણ નહીં પણ હકીકતમાં જે શિક્ષણ આપવાનું છે તેના પર ધ્યાન આપો. તેમણે ઉમેર્યું હતું કે DEO સાથે વાત થઈ છે અને જે કાર્યવાહી કરવાની થાય તે કરવા નિર્દેશ આપ્યો છે.

Last updated: 2023/10/04 at 1:43 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તાર આવેલી કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ શીખવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારે (3 ઓક્ટોબરે) વાલીઓ અને હિંદુ સંગઠોનેએ સ્કૂલમાં જઈને આ મામલે વિરોધ કર્યો હતો. જે બાદ શાળાએ પોતાના લેટરપેડ પર લેખિતમાં માફી માંગી હતી અને આવી ઘટના ભવિષ્યમાં નહિ થાય એવી બાંહેધરી આપી હતી. પરંતુ ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું અને ટોળાંએ સ્કૂલના મ્યુઝિક શિક્ષકને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ સમગ્ર ઘટના વચ્ચે હવે કેલોરેક્સ સ્કૂલને તાળાં લાગેલા જોવા મળી છે.

Contents
મ્યુઝિક શિક્ષકને ઘેરીને ટોળાએ માર માર્યોજે કાર્યવાહી કરવાની થાય તે કરો: શિક્ષણમંત્રી, DEOએ સ્કૂલને નોટિસ પણ ફટકારીસ્કૂલે લેખિતમાં માફી માંગીહિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હતું

अहमदाबाद के कैलोरेक्स स्कूल पर ताला: छात्रों को नमाज पढ़ाने पर हिंदू संगठनों-अभिभावकों का विरोध, शिक्षक से मारपीट#Ahmedabad #kalorexschool #schoolfights #Namaz #Muslim #muslimah #Hindus #hindusim pic.twitter.com/QY8aJBbmbn

— One India News (@oneindianewscom) October 4, 2023

વાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની આ શાળા વિદ્યાર્થીઓને નમાજ શીખવવાને લઈને વિવાદમાં પડ્યા બાદ વાલીઓ અને હિંદુ સંગઠન રોષે ભરાયા હતા. આ બાબતે વાલીઓ અને હિંદુ સંગઠનોએ સ્કૂલની ઓફિસમાં જઈને આચાર્ય સાથે વાત કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જે બાદ સ્કૂલે માફીપત્ર પણ લખ્યો હતો. આ ઘટના બાદ તારીખ 4 ઓકટોબર 2023ના રોજ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેલોરેક્સ સ્કૂલને એક દિવસ માટે તાળાં મારવામાં આવ્યા છે. સ્કૂલના સંચાલકોએ વાલીઓને મેસેજ કરીને જાણ પણ કરી દીધી છે, જેમાં અગમ્ય કારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

મ્યુઝિક શિક્ષકને ઘેરીને ટોળાએ માર માર્યો

રોષે ભરાયેલા વાલીઓ અને લોકોએ કલ્ચરલ એક્ટિવિટીના નામે આવા કાર્યક્રમ કરાવતા મ્યુઝિક શિક્ષકને પણ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળતું હતું કે એક વ્યક્તિએ અચાનક દોડી આવીને શિક્ષકને થપ્પડ મારી દીધી હતી, બાદમાં આસપાસમાં ઉભેલા લોકોએ શિક્ષકને પકડીને લાફાવાળી કરી હતી.

શિક્ષક બચવા માટે દોડતા જોવા મળતા હતા પણ ટોળુ તેને ફરી ઘેરીને માર મારતું હતું. આવા સમયે પોલીસ બચાવવા માટે દોડે છે અને શિક્ષકને ક્લાસરૂમમાં મોકલી બચાવવામાં આવે છે.

જે કાર્યવાહી કરવાની થાય તે કરો: શિક્ષણમંત્રી, DEOએ સ્કૂલને નોટિસ પણ ફટકારી

તમામ ઘટનાંને લઈને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે, ધાર્મિક શિક્ષણ નહીં પણ હકીકતમાં જે શિક્ષણ આપવાનું છે તેના પર ધ્યાન આપો. તેમણે ઉમેર્યું હતું કે DEO સાથે વાત થઈ છે અને જે કાર્યવાહી કરવાની થાય તે કરવા નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં જણાવ્યું છે કે આપની શાળાના વાયરલ થયેલા વિડીયોમાં જે ધાર્મિક લાગણીને લાગણીને ઠેસ પહોંચાડી શકે છે, બાળકના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ આપ શું કહેવા માંગો છો?

સ્કૂલે લેખિતમાં માફી માંગી

હિંદુ સંગઠનો અને વાલીઓના રોષને જોઈ શાળાએ બાળકોને નમાજ શીખવવા બદલ લેખિતમાં માફી માંગી છે. શાળાએ લખેલા માફીપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 29 સપ્ટેમ્બર, 2023ના શુક્રવારના રોજ અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ શીખવવામાં આવી હતી.

ત્યારબાદ વાલીઓ અને હિંદુ સંગઠનો દ્વારા ઘટનાની નોંધ લઇ સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરતાં અમને ઘટનાની ગંભીરતા અને ભૂલ સમજાઈ હતી. અમે આ પત્ર દ્વારા વાલીઓ અને હિંદુ સંગઠનોની માફી માંગીએ છીએ અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવાની બાહેંધરી આપીએ છીએ.”

હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈદના દિવસે બની હતી. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. શાળા દ્વારા આ આખા કાર્યક્રમને ‘કલ્ચરલ એક્ટિવિટી’નું નામ આપવામાં આવ્યું હતું. વિડીયો શાળામાં ભણતા હિંદુ વિદ્યાર્થીઓના વાલીઓના ધ્યાને આવતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ, હિંદુ સંગઠનોના ધ્યાને પણ ચડતાં મામલો વધુ ગરમાયો હતો.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: ahmedabad, Education minister, gujarat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 4, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article अहमदाबाद के स्कूल में बच्चों को नमाज पढ़ाने पर बवाल : हिंदू संगठनों का विरोध, गुजरात सरकार ने स्कूल के खिलाफ दिए जांच के आदेश
Next Article જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, સુરક્ષાદળોએ ઠાર મારવા શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?