કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે ડેમોગ્રાફિક ચેન્જ (વસ્તી પરિવર્તન) પર નજર રાખવા માટે હાઈ-લેવલ કમિટી રચી છે.
અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર દેશના દરેક ખૂણામાંથી ગેરકાયદેસર વસાહતીઓને શોધીને તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
જાતે દેશ છોડનારને રાહત
ગૃહમંત્રીએ ઘૂસણખોરોને એક મોટી રાહત આપતા જણાવ્યું કે જો તેઓ કોઈ દબાણ વગર સ્વેચ્છાએ દેશ છોડી જશે તો તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે. સરકારે આશા વ્યક્ત કરી છે કે સત્તાવાર ઓળખ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ઘણા લોકો પોતાના દેશમાં પરત ફરી જશે.
સરહદ સુરક્ષા પર ફોકસ
સરકાર માટે સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી રોકવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ
અમિત શાહે પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અગાઉની સરકાર દરમિયાન રાજ્યમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી થતી હતી. પરંતુ હવે નવી સરકાર આવ્યા પછી પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે અને ઘૂસણખોરો પરત જવા લાગ્યા છે. રાજ્યમાં ડિટેન્શન સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે.
BSFને જમીન સોંપાઈ
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરકાર બન્યા બાદ માત્ર 7 દિવસમાં જ સરહદ પર વાડ માટે BSFને 600 હેક્ટર જમીન સોંપી હતી. સાથે જ દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા “ચિકન્સ નેક કોરિડોર” માટે 121 હેક્ટર જમીન પણ કેન્દ્રને આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel