ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવના કારણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે દેશની હાલની સુરક્ષા પરિસ્થિતિ અને તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને મે 2025 માં યોજાનારી બાકીની CA પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ICAI દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ પરીક્ષાઓનો સમાવેશ થાય છે, જેમાં ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) પણ શામેલ છે. આ તમામ પરીક્ષાઓ મૂળરૂપે 9 મે 2025થી 14 મે ૨૦૨૫ વચ્ચે યોજાવાની હતી.
Institute of Chartered Accountants of India – ICAI tweets, "Important Announcement-In view of the tense security situation in the Country, the remaining papers of CA Final, Intermediate & PQC Examinations [International Taxation–Assessment Test (INTT AT)] May 2025 from 9th May… pic.twitter.com/BdMEPf8LMe
— ANI (@ANI) May 9, 2025
ICAI CA પરીક્ષા હવે ક્યારે યોજાશે?
ICAI એ તેની સત્તાવાર સૂચનામાં કહ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ મુલતવી રાખેલી પરીક્ષાઓની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રક અંગે નવીનતમ અપડેટ્સ માટે ICAI ની સત્તાવાર વેબસાઇટ www.icai.org પર નજર રાખવા વિનંતી છે.
દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા હતા. પરંતુ વર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ સ્થિતિને સમજીને ICAI એ ખૂબ જ જવાબદારીપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ ઉમેદવારોને ખાતરી આપી છે કે તેમની સલામતી એ સંસ્થાની ટોચની પ્રાથમિકતા રહેશે. પરીક્ષા સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે વિદ્યાર્થીઓ ICAI ની હેલ્પલાઇન અથવા ઇમેઇલના માધ્યમથી સંપર્ક કરી શકે છે.