click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રના જાપ કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત રીતે વિસ્તાર થાય છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રના જાપ કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત રીતે વિસ્તાર થાય છે
Gujarat

પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રના જાપ કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત રીતે વિસ્તાર થાય છે

ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે

Last updated: 2024/03/30 at 11:36 એ એમ (AM)
One India News Team
Share
9 Min Read
SHARE

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાની વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં કાળઝાળ ગરમીમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી મંગલદાસભાઇને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને આ રેકોર્ડ બનાવ્યો છે. ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યાજી કહે છે કે, ગાયત્રી મહામંત્ર લેખન સૂર્યની ઉપાસનાની સાથે સાથે મન:શક્તિને અદભુત ઊર્જા પ્રદાન કરે છે.

એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે મંત્ર એટલે શું ? એનો તાર્કિક જવાબ છે, મંત્ર એટલે એવા ધ્વનિ, ઉચ્ચારણ કે શબ્દસૂત્ર કે જેમાં રૂપાંતર અને નિર્માણની અદભુત ક્ષમતા હોય. મંત્રોના ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલા વિચારોની શ્રૃંખલા અને તત્વ મિમાંસા અનુસાર અલગ અલગ હોય છે. તિબેટમાં ઘણા બૌદ્ધ સમાધિની શિલાઓ ઉપર અલગ અલગ મંત્રો જોવા મળતા હોય છે. સમાધિની શિલાઓ ઉપર મંત્રોને ઉત્કિર્ણ કહે છે.ॐના ઉચ્ચારણને વેદાંત આધ્યાત્મિક વિદ્યામાં એક સંપૂર્ણ મંત્ર ગણવામાં આવ્યો છે. ॐમાં ‘અ’, ‘ઉ’, અને ‘મ’ ત્રણ અક્ષર છે. ‘અ’ એટલે આરંભ, ‘ઉ’ એટલે વિકાસ અને ‘મ’ એટલે નવા આરંભ માટેનો અંત.મંત્રોની મૂળ પરિકલ્પના વેદોમાંથી જન્મી છે. મોટા ભાગના મંત્રો બે ચરણમાં શ્લોકની લેખિત પદ્ધતિને અનુસરે છે. જૈન ધર્મમાં ‘નવકાર’ મંત્રને પરમ આધ્યાત્મિક શક્તિ ધરાવતો મંત્ર માનવામાં આવે છે. વિષ્ણુ મંત્રો, શાંતિ મંત્રો વગેરે અનેક પ્રકારના મંત્રો છે. ચાઈનીઝ બૌધવાદમાં સમ્રાટ શુનઝીના ગુરુ સાધુ યુલિને દસ લઘુ મંત્રો આપ્યા છે. કેકેઈ નામના બૌદ્ધ ચિંતકે બૌદ્ધ મંત્રોના આધારે આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો છે. ગાયત્રી મંત્રની વાત માંડીએ. ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે. હજુ આજે પણ આ વિષયમાં તજજ્ઞો દ્વારા અભ્યાસ થતાં રહે છે. દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓ દર્શાવવામાં આવી છે. તેમને બ્રાહ્મી (બ્રાહ્મણી), વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. સવારના સમયે કુમારી એટલે કે બ્રાહ્મી સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. એમને પાંચ મુખ અને બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી એટલે કે વૈષ્ણવી સ્વરૂપે હોય છે. આ રૂપમાં તેઓ ગરુડ ઉપર બેઠાં હોય છે. આ સમયે તેમને એક મુખ અને ચાર ભુજા હોય છે. સંઘ્યા ટાણે પ્રૌઢાના સ્વરૂપમાં અર્થાત રુદ્રાણી કહેવાય છે. આ સમયે તેમનું વાહન બળદ છે. એ વખતે એક મુખ અને ચાર ભુજામાં જોવા મળે છે.વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વેદમાતા ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ગાયત્રીને વેદમાતા પણ કહે છે.

બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રગટ થયાં હતાં. શાસ્ત્રો અનુંસાર બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવે છે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદનાં ત્રીજા મંડળમા મળે છે. ગાયત્રી મંત્રનો અર્થ થાય છે, પદાર્થ, ઊર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરનારા તે પ્રેરક પૂજ્ય શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને અમારી બુદ્ધિને સારા કાર્યોમાં પ્રવૃત્ત કરવામાં એ મદદ કરે. ગાયત્રી મંત્ર ઋગ્વેદ ૩.૬૨.૧૦, અને યજુર્વેદ ૩.૩૫, ૨૨.૯, ૩૦.૨ અને ૩૬.૩માં મળે છે. આમ તો આ બન્ને વેદના મંત્રોમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળતો પરંતુ વિષય અને પ્રસંગ અનુસાર આ મંત્રોના અર્થઘટનમાં થોડો ફરક હોઇ શકે છે.આ મંત્ર ગાયત્રી મંત્ર કેમ કહેવાય છે? આ એક પારિભાષિક પ્રશ્ન છે.“ગાયત્રી” શબ્દ એ એક “છંદનું” અથવા તો તેનું “ઉચ્ચારણ કરવાની રીતનું” સૂચન કરે છે. વૈદિક મંત્રોને ઘણાં પ્રકારના છંદો હોય છે. ગાયત્રી નામ ત્યાંથી આવ્યું છે એમ પણ કહેવાય છે. ગાયત્રી મંત્રને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મુલવવા જેવો છે. એમ કહેવાય છે કે ગાયત્રી મંત્ર આંતરિક ઊર્જા પેદા કરનારો અનોખો મંત્ર હોવા ઉપરાંત બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો કરનારો મંત્ર છે. એઈમ્સના તબીબોની ટીમ અને આઈઆઈટીના વૈજ્ઞાનિકે કરેલા સંશોધન અનુસાર પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રનો લગાતાર જાપ કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત રીતે વિસ્તાર શક્ય બને છે. એમઆરઆઈ દ્વારા મગજની સક્રિયતા તપાસીને આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. ગાયત્રી મંત્ર ઉપર કરવામાં આવેલા સાયંટિફિક રીસર્ચને પણ તપાસી લઇએ. ગાયત્રી મંત્ર બોલવાથી મનની શક્તિઓ વધે છે એમ જ્યારે સૌ કોઇ કહે છે ત્યારે એનુ એ પાસુ સમગ્રતયા જોવાની ઉત્કંઠા સ્વાભાવિક રીતે દરેકને થાય. એઈમ્સના શોધકર્તાઓએ ૨૫થી ૩૦ વર્ષના પુરુષો ઉપર આ પ્રયોગ કર્યો હતો. નવ મહિના સુધી સંશોધન કરવામાં આવ્યું. પછી પાંચ વર્ષ સુધી ઉપલબ્ધ કરવામાં આવેલા ડેટાનો ઊંડાણપૂર્વકનો સઘન અભ્યાસ કરવામાં આવ્યો. ઋગ્વેદના ત્રીજા મંડળના ૬૨મા સુક્તમાં ૧૦મો શ્લોક ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. એટલે એમ કહેવાય છે કે, હજારો વર્ષો પૂર્વે ત્રેતાયુગમાં વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે. સાદી ભાષામાં સમજીએ તો ગાયત્રી મંત્રનું હાર્દ પ્રકાશ બતાવવા અને સત્વ તરફ લઈ જવાની ઈશ્વરને કરાતી પ્રાર્થના છે. ભારત જ નહીં બલ્કે સમસ્ત વિશ્વના શોધકર્તાઓ અનુસાર ગાયત્રી મંત્ર ઋગ્વેદનો સૌથી પ્રભાવશાળી શ્લોક છે. આપણે બધા જાણીએ છીએ કે, માણસના મગજના આગળના ભાગને પ્રિફન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. શોધકર્તાઓ કહે છે કે, મગજના આ ભાગમાં વ્યક્તિની કાર્ય યોજના બનતી હોય છે, સમસ્યાનું સમાધાન થતું હોય છે.

જાગૃત નિર્ણયો લેવાનું કામ મગજના આ ભાગમાં થતું હોય છે. શોધકર્તાઓએ તેમના સંશોધન કાર્ય માટે કેટલાક લોકોને પસંદ કર્યા. એમને બે ગ્રુપમાં વિભાજીત કરી નાખ્યા. બે ગ્રુપ પૈકી એક ગ્રુપને ત્રણ મહિના સુધી પ્રતિદિન ૧૦૮ વાર ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવા જણાવાયું. આ ગૃપે તેમને જણાવાયા અનુંસાર દિવસમાં ૧૦૮ વાર ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવાનુ શરૂ કર્યું. બીજા ગ્રુપને જાપ વગર એમને જે કરવુ હોય એ કરવાનુ કહેવામાં આવ્યું. જે ગ્રુપ ગાયત્રી મંત્ર મનમાં બોલતું હતું તે સભ્યોના શરીરમાં ખુશીના સમયે પેદા થતું કેમિકલ ઝડપથી વધતું જતું હોવાનું જણાયું. માણસના શરીરમાં બનતું ‘ગાબા’ નામનું એક તત્વ જો શરીરમાં ન બને તો માણસને ઉંઘની તકલીફ પડે અને લાંબા ગાળે ડિપ્રેસનના વિકટ પ્રશ્નો સર્જાય. શોધકર્તાઓ નોંધે છે કે, જે જૂથ પ્રતિદિન ગાયત્રી મંત્ર કરતું હતું એના મગજમાં બીજા જ સપ્તાહથી ‘ગાબા’ તત્વનો અદભુત વિકાસ જોવા મળ્યો. પાંચ સપ્તાહ સુધી કરવામાં આવેલા આ પ્રયોગમાં મેગ્નેટિક રીઝોનન્સ ઈમેજીન(MRI)ની મદદથી તારણ કાઢવામાં આવ્યું કે, જે ગ્રુપ ગાયત્રી મંત્ર કરતું હતું તેના મગજમાં શાંતિ વધુ જોવા મળી હતી. આ ઉપરાંત એમના મગજમા વધુ જાગૃતિ જણાઇ. સાયંટિફિક રીતે પણ તારણ નિકળે છે કે,ગાયત્રી મંત્ર બૌધિક ક્ષમતા વધારનારું પરિબળ છે. જો કે આ વિષય ઉપર AIMSનું સંશોધન કાર્ય ચાલુ છે. એનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી સમયમાં પ્રકાશિત થનાર છે. જર્મનીના હેમ્બર્ગ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિકો ગાયત્રી મંત્ર ઉપર રિસર્ચ કરી ચૂક્યા છે.

અમેરિકાના વૈજ્ઞાનિક ડો. હાર્વર્ડે દુનિયાભરના મંત્રો એકત્રિત કરી ફિઝીઓલોજી લાઈબ્રેરીમાં સંશોધન કર્યું. એમના કહેવા અનુસાર ગાયત્રી મંત્રમાંથી દર સેકંડે એક લાખ દસ હજાર સાઉન્ડ વેવ જનરેટ થતા જોવા મળ્યા છે. એટલે જ ડો. હાર્વર્ડના મતે ગાયત્રી મંત્ર સૌથી શક્તિશાળી મંત્ર છે. જેમ H20પાણીની સાયંટિફિક ફોર્મ્યુલા છે, એમ ગાયત્રી મંત્ર વેવલેન્થ, સાઉન્ડ વાઈબ્રેશન, બોડી, માઈન્ડ અને સોઉલ ઉપર અસર કરતું અને થોટ પ્રોસેસને વેગવાન કરતું સાયંટિફિક પરિબળ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રના શબ્દાર્થને પણ જોઇ લઇએ. ॐ भूर्भुवः स्वः तत्सवितु र्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योनः प्रचोदयात् ॥ૐ એટલે સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર, भू એટલે પદાર્થ અને ઊર્જા, र्भुवः એટલે અંતરિક્ષ, स्वः એટલે આત્મા. આખી લાઇન ॐ भूर्भुवः स्वःએટલે પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવાવાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર.तत् એટલે તે, તેઓ, सवितु એટલે સૂર્ય, પ્રેરક, र्वरेण्यं એટલે પૂજ્ય, भर्गो એટલે શુદ્ધ સ્વરૂપ, देवस्य એટલે દેવતાનાં અથવાદેવતાને. तत्सवितुर्वरेण्यंभर्गोदेवस्यએટલે તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને. धीमहि એટલે અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ, धियो એટલે બુદ્ધિઅથવાસમજ, यो એટલે તે (ઈશ્વર), नः એટલે અમારી, प्रचोदयात्એટલેસારાં કામોમાં પ્રવૃત કરે. धीमहिधियोयोनःप्रचोदयात् એટલેતે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે. ગાયત્રી મંત્રનો સમગ્રતયા શબ્દાર્થ જોઇએ તો પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.

 

 

 

 

 

 

પુલક ત્રિવેદી

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: Gayatri Mantra, Gayatri Mantra for some time, infinitely, logical and religious, Scientific, the intellectual capacity

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સાવરકર’ને ઠંડો રિસ્પોન્સ મળતા રણદીપ હુડા દુઃખી
Next Article મુખ્તાર પર POTA લગાવનાર પોલીસ અધિકારીને કેદ થઈ અને બાદમાં રાજીનામું આપવું પડયું હતું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?