પીજ ક્રોસ રોડ, એનએચ 8 ઉપર આવેલ ધરણીધર હોમ્સનાં રહેવાસીઓએ વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ જ જવાબ નહીં. નઠારું અને નઘરોળ તંત્ર માત્ર રજૂઆતો સાંભળીને જાણે કચરા પેટીમાં નાખી દેતું હોય કે ફરિયાદો સાંભળીને છે જાણે બીજા કાનેથી કાઢી નાખતું હોય તેવો ઘાટ સર્જાયો છે.
ધરણીધર હોમ્સનાં રહેવાસીએ વસો સબ ડિવિઝનનાં મેલ ઉપર મેલ કર્યો હતો કે,” હું નડિયાદનો રહેવાસી છું, અને તમારું ધ્યાન દોરવા માંગુ છું કે અમારું સબ ડિવિઝન તમારા વાસો સબ ડિવિઝન, એમજીવીસીએલ હેઠળ આવે છે. એવું નોંધાયું છે કે તમારા સબ ડિવિઝન દ્વારા વારંવાર વીજળી કાપી રહ્યા છે – તેમના ટેકનિકલ કારણોસર, જાહેર જનતાને જાણ કર્યા વિના.
આના કારણે જનતાને ઘણી અસુવિધા થાય છે. ડિવિઝનના જાહેર નંબર ઉપર મોટાભાગે જવાબ આપતો નથી”
“હું તમને આજની ઘટના વિશે જણાવવા માંગુ છું. આજે સાંજે 6.00 વાગ્યે વરસાદ અને ભારે પવન હતો, ત્યારથી વીજળી બંધ છે. હું પોતે તમારા વાસો સબ ડિવિઝનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ તે પહોંચની બહાર કે સતત વ્યસ્ત બતાવે છે. મને સમજાતું નથી કે, લાંબા સમય સુધી, કહો કે સતત એક કલાકથી વધુ સમય સુધી કોઈ નંબર કેવી રીતે વ્યસ્ત હોઈ શકે?”
“વધુમાં, મેં MGVCL વડોદરામાં તેમના ટોલ ફ્રી નંબર પર રાત્રે 08.00 વાગ્યે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નંબર 44212410685 છે. જે આજે પણ ચાલુ છે. (10.29 વાગ્યે). પૂછપરછ પર તેઓએ મને જાણ કરી કે સલામતી માટે એક ફેડર બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ રાત્રે 08.00 વાગ્યે વરસાદ કે પવન નથી, છતાંય વીજળી નથી. દેખીતી રીતે તે જનતાને જાણી જોઈને હેરાન કરાઈ રહી છે”
“કૃપા કરીને નોંધ લો કે રાત્રિનો સમય છે, અને કંઈ પણ થઈ શકે છે, તે કિસ્સામાં કોણ જવાબદાર રહેશે? જનતા તમને સંબંધિત વ્યક્તિની જવાબદારી નક્કી કરવા કહેશે, તે પહેલાં કૃપા કરીને જરૂરી પગલાં લો અને જરૂરી પગલાં લો”
આવા મેઇલ પછી પણ વસો સબ ડિવિઝન દ્વારા સામુહિક નહીં પણ વ્યક્તિગત ફરિયાદ નોંધાવવાની વાત કરી. વળતો મેઈલ કર્યો કે તમે સમગ્ર વિસ્તારની નહીં તમારા વ્યક્તિગત ફરિયાદ હોય તો જણાવો.
અહીં સબ ડિવિઝનલ ઓફિસનાં મેઈલ ઉપર જવાબ આપનાર એ બુધ્ધિશાળી અધિકારીને એટલું નહીં સમજાયું કે સમગ્ર વિસ્તારમાં વિજળી ન હોય તો તે વિસ્તારમાંથી ફરિયાદ કરનાર વ્યક્તિનાં ઘરમાં કેવી રીતે વિજળી હોય કે હશે?
આ સોસાયટીના રહેવાસીઓએ વારંવાર ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતા હવે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે આ વિસ્તારના લોકોએ સરકારને એવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે કે તેમને વસો સબ ડિવિઝનમાંથી કાઢીને નડિયાદ શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવે.