click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જન્મોત્સવ પર કરો ગુજરાતના જલેબી હનુમાનજીના દર્શન, નામ પાછળ રોચક કથા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જન્મોત્સવ પર કરો ગુજરાતના જલેબી હનુમાનજીના દર્શન, નામ પાછળ રોચક કથા
Gujarat

જન્મોત્સવ પર કરો ગુજરાતના જલેબી હનુમાનજીના દર્શન, નામ પાછળ રોચક કથા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે.

Last updated: 2024/04/23 at 2:04 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલા સુપ્રસિધ્ધ જલેબી હનુમાનદાદાના મંદિરે શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. દૂરદૂરથી ભાવિકો હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે. ઘણા ભાવિકો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે પૂરી થવાની ભક્તોમાં અતૂટ માન્યતા છે. દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે તે જલેબી હનુમાનદાદાના નામથી ઓળખાય છે.

Contents
સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતીઈતિહાસ છે અનોખોજલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિતભક્તો જલેબીનો પ્રસાદ ધરાવે છેદર્શનાર્થીઓની ભીડ જામે છે

સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે. માંગરોળમાં રહેતા હિરેનભાઈ કાંતિભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનુ કહ્યુ હતુ અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવનાં 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા. અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી.

ઈતિહાસ છે અનોખો

1990 માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જેમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દીવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. મંદિરની છત 2-3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ શિંગણાપુર દાદાની  જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે. એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા.

જલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિત

ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનદાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યુ હતું. હનુમાનદાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે. સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટા વાળુ હોય છે પણ અહીંનુ બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિને છાંયડો આપે છે. વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. એટલે સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજીદાદા નામ પડી ગયુ અને હાલ જલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિત થયું છે.

ભક્તો જલેબીનો પ્રસાદ ધરાવે છે

દૂરદૂરથી ભાવિકભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ માન્યતા છે. રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો હનુમાનજીના દર્શન કરવા મંદિરે આવે છે. જલેબી હનુમાનદાદા પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે ઘણા ભાવિક વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને ટચ કરી વિઝાની માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે. જેમને સંતાન પ્રાપ્તિનુ સુખ ના હોય તેવા ઘણા દંપતિ પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકોને જલેબી હનુમાનદાદા પર ખૂબ જ શ્રદ્ધા છે

દર્શનાર્થીઓની ભીડ જામે છે

દર શનિવારે 15  હજાર જેટલા દર્શનાર્થીઓ જલેબી હનુમાનદાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને 3 થી 4 હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ મેળવે છે. દાદાનુ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જલેબી હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ વાંધરી માંગરોળ નામથી ઓળખાતું હતું જે ખૂબ પ્રખ્યાત હતું. બાદમાં તે મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાતુ અને  હાલ જલેબી હનુમાન તરીકે ગામ ઓળખાવા લાગ્યું છે.

You Might Also Like

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા

PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા

હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે

PM મોદીનો બીકાનેર પ્રવાસ! કરણી માતા મંદિરે માથું ટેકવશે, 26 હજાર કરોડના આ વિકાસ કાર્યોની રાખશે આધારશિલા

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

TAGGED: Do Jalebi Hanuman darshan, Jalebi Hanuman Dada, Janmotsav

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે, દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર
Next Article હવે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ શેન્ગેન વિઝા મળશે, 29 દેશોમાં હરીફરી શકાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા
Gujarat મે 22, 2025
PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા
Gujarat મે 22, 2025
હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે
Gujarat મે 22, 2025
PM મોદીનો બીકાનેર પ્રવાસ! કરણી માતા મંદિરે માથું ટેકવશે, 26 હજાર કરોડના આ વિકાસ કાર્યોની રાખશે આધારશિલા
Gujarat મે 22, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?