click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સગીરા પર રેપ-મોબ લિંચિંગ બદલ ફાંસી, રાજદ્રોહનો કાયદો રદ થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સગીરા પર રેપ-મોબ લિંચિંગ બદલ ફાંસી, રાજદ્રોહનો કાયદો રદ થશે
Gujarat

સગીરા પર રેપ-મોબ લિંચિંગ બદલ ફાંસી, રાજદ્રોહનો કાયદો રદ થશે

બ્રિટિશયુગના કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરતા ત્રણ બિલ લોકસભામાં રજૂ નવા કાયદાઓમાં મહિલાઓ, બાળકો સામેના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધ ગૂનાને પ્રાથમિક્તા અપાઈ : અમિત શાહ રાજદ્રોહના કાયદાની જગ્યાએ કલમ ૧૫૦ હેઠળ આરોપ ઘડાશે, નાના-મોટા કેસોની સજામાં સામુદાયિક સેવાઓનો સમાવેશ

Last updated: 2023/08/12 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ચોમાસુ સત્રના અંતિમ દિવસે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન લાવનારા ત્રણ મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. વધુમાં નવા કાયદાની જોગવાઈઓ મુજબ દેશદ્રોહ કાયદો ખતમ થઈ જશે, સગીરા પર સામુહિક બળાત્કાર બદલ ફાંસી અપાશે. નવા કાયદાઓમાં મહિલાઓ, બાળકો સામેના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધ ગૂનાને પ્રાથમિક્તા અપાઈ છે.

નવા કાયદા હેઠળ ભારતીય નાગરિકોના રક્ષણની ભાવનાને કેન્દ્ર સ્થાને લવાશે જ્યારે બ્રિટિશ યુગના કાયદામાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે ન્યાયના બદલે સજા આપવા પર વિશેષ ભાર મૂકાયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલા ત્રણ નવા કાયદામાં ૧૮૬૦ના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ૨૦૨૩, ૧૮૯૮ના ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ૨૦૨૩ અને ૧૮૭૨ના ઈન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય (બીએસ) ૨૦૨૩ને સ્થાન અપાયું છે. આ ત્રણેય કાયદાને સમીક્ષા માટે સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલાયા છે.

ગૃહમંત્રી અમિત શાહે ત્રણેય બિલ રજૂ કરતા સંસદને જણાવ્યું કે આ નવા બિલ કાયદા બની ગયા પછી દેશમાં રાજદ્રોહ સંબંધિત વર્તમાન કાયદો ખતમ થઈ જશે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે નવા બિલમાં ‘રાજદ્રોહ’ શબ્દનો ભલે ઉપયોગ ના કરાયો હોય, પરંતુ તેના સંબંધિત જોગવાઈઓને થોડાક શબ્દોની ફરેબદલ કરીને જાળવી રખાઈ છે તેમજ તેની વ્યાખ્યાને પહેલાં કરતાં પણ વધુ વ્યાપક બનાવવાની વ્યવસ્થા પણ કરાઈ છે. રાજદ્રોહની કલમના બદલે કમલ ૧૫૦ હેઠળ કામ ચાલશે. આ કલમ હેઠળ આજીવન કેદ અથવા જેલની સજા અપાશે, જેને સાત વર્ષ સુધી વધારી શકાશે અને દંડ પણ થઈ શકશે.

નવા બિલ મુજબ નવા કાયદા મારફત નાના-મોટા કુલ ૩૧૩ ફેરફાર કરાયા છે. સરકારે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સંપૂર્ણ ફેરફાર કર્યો છે. જે કલમોમાં ૭ વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, તેમાં ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરશે. કોઈપણ વ્યક્તિની ધરપકડ કરાશે તો પરિવારને તુરંત જાણ કરાશે. વર્ષ ૨૦૨૭ પહેલાં દેશની બધી જ કોર્ટોને કમ્પ્યુટરાઈઝ કરાશે. આરોપ ઘડાયાના ૩૦ દિવસની અંદર ન્યાયાધીશે ચૂકાદો આપવાનો રહેશે. નવા કાયદામાં આજીવન કેદની વ્યાખ્યા બદલાઈ છે. આજીવન કેદને પ્રાકૃતિક જીવન માટે કેદ તરીકે વ્યાખ્યાઈત કરાઈ છે. ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી શકાશે, પરંતુ કેદીએ બાકીનું જીવન જેલમાં જ પસાર કરવાનું રહેશે.

સૂચિત નવા કાયદા હેઠળ અલગતાવાદ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સંપ્રભુતા અથવા એકતા અને અખંડતાને જોખમમાં નાખનારા કૃત્યોને નવા ગૂના તરીકે વર્ગીકૃત કરાયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મોબ લિન્ચિંગ અને સગીરા પર બળાત્કારના કેસોમાં મોતની સજાની જોગવાઈ પણ લાગુ કરશે. નવા બિલમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગૂના, હત્યા અને રાજ્ય વિરુદ્ધ ગૂનાના કાયદાને પ્રાથમિક્તા અપાઈ છે. પહેલી વખત નાના-મોટા ગૂનાઓ માટે અપાતી સજાઓમાં સામુદાયિક સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. વધુમાં ગૂનાઓને જેન્ડર ન્યુટ્રલ બનાવાયા છે. સંગઠિત ગુનાઓ અને આતંકી પ્રવૃત્તિઓની સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ લાવવા માટે આતંકી કૃત્ય અને સંગઠિત ગુનાઓને નવા ગૂના રૂપે સજાઓ સાથે સામેલ કરાયા છે. અનેક ગૂનાઓમાં સજા અને દંડ વધારવામાં આવ્યા છે.

આ કાયદા રજૂ કરતાં અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં ગુલામીની બધી જ નીશાનીઓ સમાપ્ત કરવાની મોદી સરકારની સંકલ્પના હેઠળ આ ત્રણ બિલ રજૂ કરાયા છે. શાહે દાવો કર્યો કે આ નવા બિલ દેશની ન્યાય વ્યવસ્થાને સામાન્ય લોકો માટે વધુ સરળ બનાવશે. તેમણે ઉમેર્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સંપૂર્ણપણે બદલવા પાછળ સરકારનો આશય બધા જ લોકોને મહત્તમ ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાનો છે. વધુમાં બ્રિટિશ યુગના કાયદા લોકોને ન્યાય આપવાના બદલે પોતાનું શાસન જાળવી રાખવા માટે સજા આપવા પર કેન્દ્રિત હતા જ્યારે નવા કાયદાનો આશય કોઈને સજા આપવાનો નહીં, પરંતુ ન્યાય આપવાનો હશે.

ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) ૧૮૬૦ના બદલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ૨૦૨૩.

ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) ૧૮૯૮ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ૨૦૨૩.

ઈન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય (બીએસ) ૨૦૨૩.

You Might Also Like

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ

બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ

શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો

TAGGED: amit shah, lok sabha

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ ચાલવું કેટલું ફાયદાકારક છે ? જાણો નિષ્ણાંત પાસેથી જવાબ
Next Article ભારતે પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી, શ્રીનગરમાં મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન કર્યા તૈનાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
Banaskantha Gujarat મે 14, 2025
ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ
Gujarat મે 14, 2025
બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat મે 14, 2025
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
Gujarat Kheda મે 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?