click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘નારી શક્તિ વંદન કાયદો’ : નવા સંસદ ભવનમાં સરકારનું પહેલું બિલ રજૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘નારી શક્તિ વંદન કાયદો’ : નવા સંસદ ભવનમાં સરકારનું પહેલું બિલ રજૂ
Gujarat

‘નારી શક્તિ વંદન કાયદો’ : નવા સંસદ ભવનમાં સરકારનું પહેલું બિલ રજૂ

મહિલા અનામત બિલ માટે ભગવાને મારી પસંદગી કરી : મોદી પહેલાં વસતી ગણતરી, સીમાંકન પછી મહિલા અનામતનો અમલ થશે, જેથી ૨૦૨૯ પહેલાં બિલ લાગુ થવાની શક્યતા નહિવત્

Last updated: 2023/09/20 at 12:22 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમ વચ્ચે નવા સંસદ ભવનમાં મંગળવારથી કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવા સંસદ ભવનમાં કહ્યું ભગવાને આ બિલ રજૂ કરવા મારી પસંદગી કરી છે. અમે આ બિલને ‘નારી શક્તિ વંદન કાયદો’ નામ આપ્યું છે. તેમણે બંને ગૃહમાં વિપક્ષ સહિતના સાંસદોને સર્વસંમતિથી આ બિલ પસાર કરવા વિનંતી કરી હતી. આમ, નવા સંસદ ભવનમાં પહેલા જ દિવસે ૨૭ વર્ષથી અદ્ધરતાલ લટકી રહેલું મહિલા અનામત બિલ પુનર્જિવિત થયું છે.

નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા માટે લોકસભામાં બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું. આ બિલ દેશભરમાં વસતી ગણતરી, નવા સીમાંકનની કામગીરી પૂરી થયા પછી જ લાગુ થવાનું હોવાથી તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અમલમાં આવે તેવી સંભાવનાઓ નહિવત્ છે. જોકે, નવા સંસદ ભવનમાં આ બિલ સૌથી પહેલું રજૂ થયું છે.

જોકે, બંધારણીય (૧૨૮મો સુધારો) બિલની જોગવાઈઓમાં સ્પષ્ટ કરાયું છે કે અનામત બિલ સીમાંકનની કવાયત પછી જ અમલી બની શકશે અથવા બિલ કાયદો બન્યા પછી હાથ ધરવામાં આવેલી વસતી ગમતરીના આંકડાને ધ્યાનમાં લઈને મતવિસ્તારોની પુનર્રચના કરાશે.

વર્તમાન આંકડા દર્શાવે છે કે લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા ૧૫ ટકા અને ગુજરાત, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ સહિત અનેક રાજ્ય વિધાનસભાઓમાં ૧૦ ટકાથી પણ ઓછી છે. જોકે, મેઘવાલે જણાવ્યું હતું કે, આ બિલનો અમલ થયા પછી હાલમાં લોકસભામાં મહિલાઓની સંખ્યા ૮૨ છે, જે વધીને ૧૮૧ થઈ જશે. સૂચિત બિલ મુજબ મહિલા અનામતનો અમલ ૧૫ વર્ષ સુધી રહેશે અને મહિલાઓ માટે અનામતની અંદર એસસી-એસટી માટે અનામત રહેશે.

સીમાંકનની પ્રત્યેક કાર્યવાહી પછી મહિલાઓ માટે અનામત બેઠકો બદલાશે.અધિકારીઓએ કહ્યું કે, કલમ ૩૬૮ની જોગવાઈ મુજબ બંધારણી સુધારા બિલ માટે ૫૦ ટકા રાજ્યોની સંમતિની જરૂર પડશે, કારણ કે આ બિલની તેમના પર પણ અસર પડશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત માટે વર્ષ ૧૯૯૬થી બિલ રજૂ કરવા અનેક પ્રયત્નો થયા છે. છેલ્લે ૨૦૧૦માં રાજ્યસભામાં આ બિલ રજૂ કરાયું હતું અને તેમાં પાસ પણ થઈ ગયું હતું, પરંતુ આ બિલ લોકસભામાં પાસ થઈ શક્યું નહોતું.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં તેમનું પહેલું સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના દિવસે ઈતિહાસ રચાયો છે અને ભગવાના ‘આ ઉમદા કામ’ માટે મારી પસંદગી કરી છે તે મારા માટે ગર્વની બાબત છે. નારી શક્તિ વંદન અધિનિયમ દેશના લોકતંત્રને વધુ મજબૂત કરશે. નવા સંસદ ભવનમાં એક પાવન શરૂઆત થઈ રહી છે ત્યારે સર્વસંમતિથી આ કાયદો બનશે તો તેનાથી દેશના લોકતંત્રની તાકત બમણી થઈ જશે. દેશના વિકાસ માટે વધુ ને વધુ મહિલાઓએ રાજકારણમાં જોડાવું જોઈએ.’

તેમણે ઉમેર્યું કે, અનેક વર્ષોથી મહિલા અનામત પર અનેક ચર્ચાઓ થઈ. ૧૯૯૬માં પહેલી વખત આ અંગેનું બિલ રજૂ થયું.

અટલજીના કાર્યકાળમાં પણ મહિલા અનામત બિલ રજૂ થયું, પરંતુ તે પાસ કરાવવાની સંખ્યા થઈ શકી નહીં. મહિલાઓને અધિકાર આપવા અને તેમની શક્તિનો ઉપયોગ કરવાના આ પવિત્ર કામ માટે કદાચ ઈશ્વરે મારી જ પસંદગી કરી છે. અમારી સરકારે ફરી એક વખત આ દિશામાં પગલું ભર્યું છે.

અગાઉ, નવા સંસદ ભવનમાં સાંસદોના પ્રવેશ પહેલાં પીએમ મોદીએ કહ્યું, આપણા માટે આ ભાવુક્તાનો સમય છે. આપણે નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છીએ.

જૂનું સંસદ ભવન અને વિશેષરૂપે સેન્ટ્રલ હોલ આપણને ભાવુક અને પ્રેરિત કરે છે. આપણા બંધારણે અહીં જ આકાર લીધો અને બંધારણ સભાની બેઠકો થઈ હતી. ૧૯૪૭માં અંગ્રેજ શાસને સત્તાનું હસ્તાંતરણ કર્યું. ૧૯૫૨ પછી દુનિયાના ૪૧ રાષ્ટ્રાધ્યક્ષોએ આ સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધન કર્યું છે. આ ગૃહમાં ૪,૦૦૦થી વધુ કાયદા બનાવાયા. અહીં કલમ ૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો.

આજે ભારત નવી ચેતના સાથે પુનર્જાગૃત થઈ ગયું છે. ભારત નવી ઊર્જાથી ઉત્સાહિત છે.

તેમણે ઉમેર્યું કે, આજે આપણામાંથી કેટલાક લોકો નિરાશ હોઈ શકે છે, પરંતુ દુનિયાને વિશ્વાસ છે કે ભારત વિશ્વના ટોચના ૩ દેશોમાં પહોંચીને રહેશે. ભારતનું બેન્કિંગ સેક્ટર, ગવર્નન્સનું મોડેલ, યુપીએ, ડિજિટલ કામકાજ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આપણે એવા સમયમાં છીએ, જ્યારે ભારતની આકાંક્ષાઓ એ ઊંચાઈ પર છે, જે છેલ્લા ૧,૦૦૦ વર્ષમાં નહીં હોય. આપણા માટે આ સૌભાગ્યની વાત છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: Nari Shakti, nari shakti vandana bill

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 20, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ મા વધારો થાય
Next Article નવા સંસદ ભવનની જેમ હવે યુપીમાં બનશે ‘નવી વિધાનસભા’, યોગી સરકાર કરશે 3000 કરોડનો ખર્ચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?