આ કાર્યક્રમોનું આયોજન ભારત સરકારના નમામિ ગંગે અભિયાન તથા “યોગા ફોર વન અર્થે, વન હેલ્થ”ના અભિગમને આધારે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યઓ, હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ, ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ યથાર્થ રીતે સફળ રહ્યો.
યોગ શિબિરોનાં આયોજનો મદ્રેસા હાઈસ્કૂલ, ટાટા હાઈસ્કૂલ, જામશેદજી ટાટા મ્યુઝિયમ દસ્તૂરવાડ, શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, સર જે. જે. જમનસ્થળ મ્યુઝિયમ, લક્ષ્મણ હોલ, સ્કાઉટ એન્ડ ગાઈડ્સ બિલ્ડિંગ લુંસીકુઈ અને સ્વામી વિવેકાનંદ તરણકુંડ ખાતે યોજાયા હતા. દરેક સ્થળે અનુભવી યોગ શિબિર નિર્દેશકો દ્વારા ચોગાસન, પ્રાણાયામ, અને ધ્યાન સહિતના ક્રિયાત્મક અભ્યાસો કરાવવામાં આવ્યા. નવસારીના નાગરિકો, અને વિદ્યાર્થીઓએ ઊંડા રસ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ નાગરિકોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ યોગ શિબિરો સમગ્ર શહેર માટે એક સ્વસ્થ જીવનશૈલી તરફનો સક્રિય પ્રયાસ સાબિત થયો છે. યોગને જીવનમાં અપનાવવા માટે નાગરિકોએ જે ઉત્સાહ દાખવ્યો, તે પ્રશંસનીય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel