click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ
Gujarat

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ

Last updated: 2024/04/22 at 4:11 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સરકારી સ્કૂલ શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે 24 હજાર ભરતી જ રદ કરી દીધી છે. આ તમામ ભરતી માટે રૂ. પાંચથી 15 લાખ સુધીની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી, તૃણમૂલના કેટલાક પદાધિકારીઓ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જેલમાં છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી ઈડી અને સીબીઆઈએ આ તપાસ હાથ ધરી હતી.

Contents
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ શું છે?હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવા આદેશ આપ્યો હતોશિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોના આરોપઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતાહાઈકોર્ટના નિર્ણય પર મમતા બેનરજીની પ્રતિક્રિયા

Calcutta High Court declares the entire panel of 2016 SSC recruitment, null and void. All appointments from 9th to 12th and groups C and D where irregularities were found have also been declared null and void.

The court has instructed the administration to take action on fresh… pic.twitter.com/WLCXjsfAlu

— ANI (@ANI) April 22, 2024

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ શું છે?

અહેવાલો અનુસાર, વર્ષ 2014માં પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેકશન કમિશને શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે સમયે પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી હતા. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. પરંતુ અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યા હતા અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે, ઓછા નંબરો હોવા છતાં, નોકરીઓ આપવામાં આવી હતી, જ્યારે નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ TET પાસ કરી ન હતી.

હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવા આદેશ આપ્યો હતો

લગભગ પાંચ વર્ષ સુધી આ મામલાની સુનાવણી ચાલી હતી. બાદ મે 2022માં હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીઓએ ભરતી માટે 5થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવી સ્થિતિમાં ઈડીએ મની લોન્ડરિંગના એંગલથી પણ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી હતી. પુરાવા મળ્યા બાદ ઈડીએ પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખરજીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવી દીધા હતા.

શિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોના આરોપ

શિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે, જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તેમને મેરિટ લિસ્ટમાં ઊંચા હોદ્દા આપવામાં આવ્યા હતા. કેટલીક ફરિયાદો એવી પણ હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન હોવા છતાં તેમને નોકરી આપવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી જેમણે TET પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

ઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા

ઈડીએ આ કેસમાં 2022માં તપાસ શરૂ કરી હતી. 22મી જુલાઈના રોજ ઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઈડીને અર્પિતા મુખરજીની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે પાર્થ ચેટર્જીને અર્પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ પછી અર્પિતા મુખરજી ઈડીના રડાર પર આવી ગયા હતા.

જ્યારે ઈડીએ અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા ત્યારે તેમને લગભગ 21 કરોડ રૂપિયા રોકડા, 60 લાખ રૂપિયાની વિદેશી ચલણ, 20 ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. અર્પિતા એક મોડલ છે. તે બંગાળી અને ઓડિશાની ફિલ્મોમાં નાના રોલ કરી રહી છે. આ ઉપરાંત ઈડીએ અર્પિતાના અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ અર્પિતાના ઘરેથી 27.9 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. આ સિવાય ઈડીને 4.31 કરોડ રૂપિયાનું સોનું મળ્યું હતું.

હાઈકોર્ટના નિર્ણય પર મમતા બેનરજીની પ્રતિક્રિયા

કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, ‘હું કહેવા માંગુ છું કે જેમણે આજે નોકરી ગુમાવી છે. અમે તેમના માટે અંત સુધી લડીશું. જેમણે આદેશ આપ્યો છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમે આ નિર્ણયને પડકારીશું. આ નિર્ણય સાથે 26 હજાર ઉમેદવારોનું ભાવિ જોડાયેલું છે. અમે રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ગેરકાયદે આદેશ છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. પરંતુ ચિંતા કરશો નહીં. 10 લાખ વધુ નોકરીઓ તૈયાર છે.’

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 24 thousand school teachers, High Court verdict, West Bengal, West Bengal teacher recruitment scam

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉનાળામાં ઘણીવાર આંખોમાં બળતરા થાય છે ? તો કરો આ સરળ કામ, તમારી આંખોને તરત જ શાંતિ મળશે
Next Article કેનેડાના સ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં લાગી રહ્યો છે લાંબો સમય, જાણો આ વિલંબનું કારણ શું?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?