click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૈન, રઘુવંશી, ભાનુશાળીઓ પણ સરહદ છોડી ગયા.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જૈન, રઘુવંશી, ભાનુશાળીઓ પણ સરહદ છોડી ગયા.
Gujarat

જૈન, રઘુવંશી, ભાનુશાળીઓ પણ સરહદ છોડી ગયા.

બેલા (તા. રાપર)માં 200થી વધુ જૈન પરિવારો હતા આજે એકપણ નથી ખાવડાઇ લોહાણા મેસુક સાથે કચ્છભરમાં પથરાયા: ભાનુશાળીઓ વાપી-વલસાડ-મુંબઇ પહોંચ્યા. અબડાસામાં ભાનુશાલી 50 હજારમાંથી 7 હજાર અને જૈન 15 હજારમાંથી માત્ર 350 રહ્યા.

Last updated: 2023/08/11 at 12:17 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

પાકિસ્તાનને રણ અને દરિયા બંને માર્ગે અડીને આવેલા કચ્છના સરહદી ગામડાઓમાં પુર્વથી પશ્ચિમ સુધી હિન્દુ આબાદી ધીમે ધીમે ઘટી રહી છે. પૂર્વમાં રાપર તાલુકાનો પ્રાંથળ પ્રદેશ હોય કે પશ્ચિમ તરફ આવતા માર્ગે મધ્યમાં ખાવડા અને પછી નખત્રાણા-અબડાસા અને લખપત તાલુકો હોય. આજથી વસ્તીની તુલનાએ લગભગ 70થી 75 ટકા આબાદી સીમા સ્પર્શતા ગામડાઓથી અનેકવિધ કારણોસર ખસકીને ભુજ-ગાંધીધામમાં પથરાઇ છે તો આજ સ્થળાંતરીતો થકી એક અલાયદું આખું કચ્છ મુંબઇમાં ઉભું થઇ ગયું છે.

Contents
ભાનુશાળી સમાજની આગવી વ્યવસ્થાકચ્છી દશા ઓસવાળ નામ પુરતાખાવડામાંથી લોહાણાનું સ્થળાંતર​​​​​​​બેલામાંથી જૈનોનું પલાયનભૂકંપ બાદ અનુ.જાતિનું પલાયન

વારંવારના દુકાળ અને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, પાણી, આરોગ્યથી માંડીને માળખાગત સુવિધાઓ પુરી પાડવાની દિશામાં ઉદાસીન વલણ થકી છેવાડાના ગામડાઓ શહેરો ભણી સરકતા થયા. સૌથી વધુ પલાયન લખપત-અબડાસા તાલુકામાંથી થયું અને તેમાં પણ સૌથી ઉંચો આંક અને હાલ ઉપસ્થિતિની દ્રષ્ટિએ જોઇએ તો ભાનુશાલી અને જૈન સમાજ લગભગ સરકી ગયો છે જ્યારે કડવા પાટીદાર સમાજ સંઘર્ષરત છે અને સૌથી તળીયે બેઠેલો વંચિત વર્ગ હવે શોષણનો ભોગ બનતો ભાસે છે.

ભાનુશાળી સમાજની આગવી વ્યવસ્થા

વાપી-વલસાડ અને મુંબઇ સુધી ખસડી ગયેલા અબડાસા તાલુકાના ભાનુશાળી સમાજે દર નવરાત્રિએ વતનમાં અચૂક આવવું તેવો વણલખ્યો નિયમ રાખ્યો છે. અબડાસાના સરહદી ગામોમાં એક સમયે 50 હજારથી વધુની આબાદી હતી એ આજે સાતેક હજાર છે. તેઓ સમાજવાડી-પોતાના વડિલોપાર્જીત મકાનો સચવાય તે માટે ભારે ચિતિત છે અને તેથી જ દર વર્ષે ગામમાં કેટલા જણ કાયમ રહેશે ? કેટલા નવરાત્રિમાં જશે ? એ બધાની નોંધ રાખી આયોજન ઘડાય અને ફરાળ-ભોજનની નલિયા, મોથાળા, બાલાચોડ, જખૌ, તેરા, બિટ્ટા, વમોટી, છસરા, ઐંડા, જંગડિયા,ખોખરા, ભારાપર સહિતના ગામેગામ સામુહિક વ્યવસ્થા ગોઠવાય, આદ્યશક્તિની આરાધના થવી જ જોઇએ એ એક મુદ્દાનો કાર્યક્રમ હોવાથી દર વર્ષે ઓછામાં ઓછા 25થી 30 હજાર જણ નવરાત્રિ પુરતા ગામેગામ આવી જાય છે. તેઓ દર વર્ષે વસંત પંચમીના પણ કુળદેવીના પાટોત્સવ માટે આવે છે. દિવાળીએ વડીલો ઘરના ઉંબરે દિવા પ્રગટાવવા રોકાય છે.

કચ્છી દશા ઓસવાળ નામ પુરતા

સમગ્ર વિશ્વમાં કચ્છી દશા ઓસવાળ જૈનની આબાદી 30 હજાર રહી છે. એક સમયે અબડાસા જ્ઞાતિનું હેડક્વાર્ટર હતુ. અને અહીં 15 હજારની વસતી હતી. નલિયા, કોઠારા, તેરા,જખૌ, સાંધાણ, સુથરીમાં ભરચક વસતી હતી. ધર્મની દ્રષ્ટીએ પંચતિર્થ ગણાતા વાડાપદ્ધર, વાંકુ, લાલા, પરજાઉં, રાપર ગઢએ નાની પંચતિર્થ ગણાય આજે તાલુકામાં 350ની જ જૈની વસતી છે. તમામ સુવિધા ધરાવતી આ નાની-મોટી પંચતીર્થ ચાર્તુમાસ, પર્યુષણ ટાણે ગાજે છે. પછી વસતી ન હોવાથી શાંત ભાસે છે.

ખાવડામાંથી લોહાણાનું સ્થળાંતર​​​​​​​

ભુજની ઉત્તરે બન્ની-પચ્છમ-પાશી અને પછી ખાવડા વિસ્તારમાં એક સમયે રઘુવંશી સમાજની એટલી મોટી આબાદી હતી કે આજે પણ કચ્છમાં ‘ખાવડાઇ’ લોહાણા અલગથી ઉલ્લેખ થાય. હવે ખાવડામાં બી.એ.પી.એસ. દ્વારા નગર ઉભું કરી દેવાતા થોડા પરિવારો વસે છે. બાકીના કચ્છ જ નહીં ગુજરાતભરમાં સ્થળાંતરીત થઇ ગયા. ‘મેસુક’ સાથે સંકળાયેલા બધા જ મિઠાઇવાળા ખાવડાથી ગયા છે. અંધૌ, રતડિયામાં આજે આશાપુરામાંનું મંદિર છે પણ ભક્તો નથી અને મંદિર બંધ છે. અંધૌ મંદિર સદંતર બંધ છે. રતડીયામાં અંજારથી આવીને એક ભાઇ સેવા પૂજા કરી જાય છે.

બેલામાંથી જૈનોનું પલાયન

સરહદી કચ્છના કરેલા ભ્રમણ બાદ મેળવેલી માહિતી ચોંકાવનારી છે. પૂર્વ કચ્છમાં તદ્દન સરહદને અડીને બેઠેલા પ્રાંથળના બેલા ગામેથી જૈન સમાજના તમામ ફિરકાઓ પ્રથમ રાપર, ભુજ અને હવે રાપરથી ગાંધીધામ-મુંબઇ કે અમદાવાદ સ્થળાંતરીત થઇ ગયા છે. 250થી વધુ હારબધ્ધ નાની મોટી દુકાનોથી શોભતી બેલાની બજારને હવે સન્નાટાએ ઘેરી લીધી છે. એક સમયે પાકિસ્તાન (સિંધ)થી ઉંટો પર લદાયેલો સામાન આ બજારમાં ઉતરતો. આજે જેન સમાજ બેલામાં નહિંવત છે પણ નાતો અખંડ છે. દર વર્ષે ચૈત્ર-કારતક માસમાં કુળદેવી- ખેતરપાળ, પિતૃસ્થળો પૂજનઅર્થે ગામ ગાજે છે. બેલા છોડી ગયેલા જૈનોની સંખ્યા જોઇએ તો 200થી વધુ પરિવાર હતા આજે એક પણ નથી, અહીં 225થી 250 લોહાણા વેપારીઓ હતા એ પણ આજે આંગળીના વેઢે ગણાય એટલા જ છે.

ભૂકંપ બાદ અનુ.જાતિનું પલાયન

અનેક વિડંબનાઓ થકી પચ્છમના ધોરાવરથી અનુ.જાતિના 40થી વધુ પરિવારોએ સામુહિક ઉચાળાભર્યા એને હજુ 20 વર્ષ માંડ થયા છે. આ લોકો પોતાની ખેતિની જમીનો છોડીને ભાગી છૂટ્યા અને આજે કુકમા પાસે સમુહમાં રહે છે. પરત જવાનું નામ સુધ્ધા લેતા નથી.

You Might Also Like

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ

મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય

હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે

TAGGED: Bhanushalis, border, Jains, Raghuvanshis

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દવાઓની જાહેરાત કરવા પર બૅન, આવા દર્દીને સારવારની ના પાડી શકે, ડૉક્ટરો માટે NMCના નવા નિયમ
Next Article 80 ટકા લોકોમાં વિટામિન B-12ની ઊણપ : અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરી ઈન્જેક્શન-દવા ફ્રીમાં અપાશે.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
Gujarat મે 17, 2025
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
Gujarat મે 17, 2025
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?