click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ
Gujarat

રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ

ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ખોડિયાર મંદિર આવેલું છે. વર્ષે લાખો શ્રધ્ધાળુઓ અહિં માતાજીના દર્શન કરવા આવે છે. નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.

Last updated: 2025/05/16 at 10:57 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદિરના સુંદર કમાનથી સુશોભિત મુખ્ય દ્વારમાં પહોંચતા જ અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે. મંદિરની પાછળના ભાગે આવેલી ટેકરી પર ખોડિયાર માતાજી અને તેમની બહેનોનું સુંદર મંદિર બનાવવામાં આવેલું છે. જે માતાજીનું પહેલા સ્થાપિત કરવામાં આવેલું મંદિર છે. અને તાતણીયા ધરા પાસે ભાવનગરના મહારાજાએ બનાવડાવ્યુ હતું તે બીજુ મંદિર અને વર્તમાનનું મુખ્ય મંદિર છે.

આઈ શ્રી ખોડીયાર માતાજીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડીયા ચારણના ઘરે ભગવાન શિવનાં આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેમાંના દિવ્ય આત્મારૂપી જાનબાઈ, ખોડિયાર માતાજીના નામે પૂજાય છે. ભાવનગરના મહારાજા વખતસિંહજીએ આઈશ્રી ખોડિયારની પ્રશંસા સાંભળી હતી. એટલે કુટુંબ કબીલા, લાવ લશ્કર, બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમ પુર્વક રોહીશાળા ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા. મામડીયા ચારણ, તેમના ધર્મપત્ની અને સાતેય માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય રાજાનું સ્વાગત કર્યું હતું.

મહારાજા વખતસિંહજીએ માતાજીના પગે પડી કિંમતી ભેટ સોગાદ અર્પણ કરી, નમ્રતાપૂર્વક ભાવનગર પધારવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે મા ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો અમે સાતેય બહેનો તમારી પાછળ આવીશું. પણ મનમાં શંશય રાખી અમારું પારખું કરવા પાછળ જોશો તો અમે સાતેય બહેનો ત્યાં જ સ્થિર થઈ જઈશું. માતાજીની વાતનો સહર્ષ સ્વીકાર કરી, રાજા આગળ ચાલ્યા અને મા ખોડિયાર સાતેય બહેનો સાથે કંકુ પગલે રાજાની પાછળ રોહીશાળાથી ભાવનગર તરફ આગળ વધવા લાગ્યા હતા. રસ્તામાં ગળધરા નામનો ઘુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને પાછળ જોવાની ભૂલ કરી.

મા ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ, ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે. મહારાજા આતાબાપુ ગોહિલે આશરે 225 વર્ષ પહેલા મા ખોડિયારની દેરી બંધાવી સ્થાપના કરી હતી. વર્ષો પછી મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખોડીયાર માતાજી મંદિરના બાંધકામમાં વ્યક્તિગત ધ્યાન આપીને મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષો જૂના માતાજીના મંદિર સાથે ભાવિકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. અહિં દૂરદૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.

ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું માતાજીના મંદિરે વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીમાં હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ભાવિકો માતાજીની ભક્તિ, આરાધના અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. જ્યારે આસો નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી લોકો ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરે છે. કહેવાય છે કે માતાજી ખુદ નવદુર્ગા રૂપે નવરાત્રીમાં ગરબે ઘુમવા આવે છે. બન્ને નવરાત્રીમાં ખોડીયાર માતાજીના મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.

સમગ્ર વર્ષ દરમ્યાન હજારો ભાવિક ભક્તો મા ખોડીયારના દર્શને આવે છે. રવિવાર અને મંગળવારને માતાજીના વાર માનવામાં આવે છે. અને એટલે જ આ દિવસોમાં અનેક ભાવિકો પગપાળા યાત્રા કરી માતાજીના દર્શને આવે છે. વર્ષ બાર મહિનાની બાર પૂનમે મંદિરે ભવ્ય મેળો ભરાય છે, ત્યારે દૂરદૂરથી દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિરમાં મા ખોડીયારના વાહન મગરની ચાંદીની પ્રતિમા રાખવામાં આવેલી છે લોકો મગરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે અને તાતણીયા ધરામાં અનેક શ્રદ્ધાળુઓને માતાજીના વાહન મગરના દર્શન થયા હોવાની માન્યતા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ થાય છે. ધરામાં ન્હાવાની મનાઈ છે એટલે શ્રદ્ધાળુઓ ધરાનું પવિત્ર જળ માથે ચડાવી માતાજીના પ્રત્યક્ષ દર્શન કર્યાની અનુભૂતિ કરે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં માતાજીના વિશાળ ત્રિશૂળના દર્શન થાય છે. માતાજીની મૂર્તિની બરાબર સામે ભગવાન શિવની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરે આવતા લોકો પ્રથમ મહાદેવના દર્શન કરીને મા ખોડીયારના દર્શન કરે છે.

ખોડીયાર માતાજીના મંદિરે દર મહિનાની પૂનમના દિવસે, દર રવિવારે અને ખોડિયાર જયંતીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને પ્રસાદીમાં લાપસી, સુખડી, શ્રીફળ, ચુંદડી, ધરાવી મા ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. માતાજીના મંદિરે વહેલી સવારમાં કરવામાં આવતી મહાઆરતીનું અનેરું મહત્વ છે. રોજ સવારે કરવામાં આવતી મહાઆરતીમાં અનેક ભાવિકભક્તો જોડાઈ માતાજીની આરાધનામાં લીન થાય છે.

મા ખોડીયારના મંદિરે આવવા ચાર માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે. મંદિરે આવતા ભાવિકો દિશા સૂચક ચિહ્નોના કારણે સીધા માતાના દ્વાર સુધી પહોંચી જાય છે, મંદિરમાં પ્રવેશવા માટે બે રસ્તા બનાવવામાં આવ્યા છે, એક રસ્તો સીધો મા ખોડીયારના મંદિર સુધી જાય છે, જ્યારે બીજો માર્ગ માતાજીના ચરણે ધરવા શ્રીફળ, હાર અને પ્રસાદની ખરીદી કરવાના બજારમાં જાય છે. જ્યાં લોકો દર્શન પૂર્વે માતાજી માટે થાળની ખરીદી કરે છે. માતાજીને દરરોજ લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. બહારગામથી મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે રાત્રી રોકાણ કરવા સુંદર અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે. જેનું સંચાલન ખોડિયાર ટ્રસ્ટ કરે છે.

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: Bhavnagar, bhavnagar news, Breaking news, devdarshan, guajrti news, khodiyar maa, oneindianews, Rajpara, Rajpara Khodiyar Temple, Rajpara Khodiyar Temple news, topnews, ભાવનગર, રાજપરા ખોડિયાર મંદિર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Next Article પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એસ જયશંકરે કરી અફઘાન વિદેશ મંત્રી સાથે વાત, થઈ મહત્ત્વની ચર્ચા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?