click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરદાર પટેલની જન્મજયંતીના દિવસે વિશ્વ ઉમિયા ધામ દ્વારા રાજવીઓનું કરાશે ભવ્ય સન્માન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સરદાર પટેલની જન્મજયંતીના દિવસે વિશ્વ ઉમિયા ધામ દ્વારા રાજવીઓનું કરાશે ભવ્ય સન્માન
Gujarat

સરદાર પટેલની જન્મજયંતીના દિવસે વિશ્વ ઉમિયા ધામ દ્વારા રાજવીઓનું કરાશે ભવ્ય સન્માન

વિશ્વ ઉમિયાધામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 149માં જન્મજયંતી નિમિત્તે એક ઐતિહાસિક અને સૌપ્રથમ વાર સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશના રાજા રજવાડાના વંશજોનું સન્માન કરવામાં આવશે, સરદાર વલ્લભભાઈ પટેલે રાજા રજવાડાને ભેગા કરી એક દેશનું નિર્માણ કર્યું હતું, તેની આ યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Last updated: 2023/10/28 at 12:21 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ ઉમિયા ધામ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ જિલ્લામાંથી 10 હજારથી વધુ કાર રેલી સ્વરૂપે આવનારા લોકો મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત માટી લઈ આવશે અને ઉમિયા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરશે.

Contents
IAS એકેડમીનું પણ શુભારંભ કરવામાં આવશેવિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણવિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશેરાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયુંસનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ

IAS એકેડમીનું પણ શુભારંભ કરવામાં આવશે

આ ઉપરાંત વિવિધ રાજવી પરિવારમાંથી આવેલ તેમના વંશજનું સન્માન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કાર્યક્રમને વર્ચ્યુંઅલ જોડાઇ ખુલ્લો મૂકશે. 31 ઓકટોબરના દિવસે ઉમાં કાઉન્સિલિંગ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે. ઉપરાંત આ દિવસે ગાંધીનગર ખાતે IAS એકેડમીનું પણ શુભારંભ કરવામાં આવશે.

31 તારીખથી 6 નવેમ્બર સુધી આ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ જન્મ જયંતીના દિવસે રાજવી પરિવારના 50 વંશજોનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ જુદા જુદા તબ્બકામાં વંશજોનું સન્માન કરવામાં આવશે.

વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 1000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે, જ્યાં જગતજનની માં ઉમીયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઇ રહેલું છે.

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલ છે.

રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે, સરદાર પટેલના જીવનના સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવા અને દેશમાં સામાજિક સમરસતાના અભિયાન અંતર્ગત હિન્દુત્વના પ્રતિક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ધાર્મિક તેમજ સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ અને વચનબદ્ધતાથી પ્રેરાઈને અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેનો સંદેશ મોકલશે.

સાથો સાથ સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000થી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી, મેરા દેશ મેરા ધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઇને આવશે.

ગુજરાતભરમાંથી આવેલી માર્ટીના કાળની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયમ વાસ નિર્મિત જગતજનની માં ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયું

આ કાર્યક્રમ અંગે વધુ જણાવતા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા એવમ પ્રમુખ અને આ અકલ્પનીય વિચારના દ્રષ્ટા આર.પી.પટેલ જણાવે છે કે જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજયતીના દિવસે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સરદાર ગૌરવ ગાથા તેમજ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

મહત્વનું છે કે જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે, તો લોહ પુરુષ સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવશે.

આ સાથે જ મનની માવજત અને સમસ્યાઓના સમાધાન હેતુથી ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ધાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S ACADEMYનો પણ 31 ઓક્ટોબરના દિવસે શુભારંભ કરનાર છે, જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરશે.

સનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ

દર વર્ષે સરદાર જન્મજયંતીના દિને સમગ્ર દેશના દરેક પરિવાર 1 વૃક્ષનું વાવેતર કરે અને દર શનિવારે પોતાની સોસાયટી કે નજીકના સ્થળે પોતાના ઇસ્ટદેવની સાંજે 7 કલાકે સામૂહિક આરતી કરી સનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ આ મહાસંમેલનમાં લેવાશે. એવું સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: honor the royals, Sardar Patel's birth, Vishwa Umiya Dham

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
Next Article Twitter પર Ads જોવાનું નથી પસંદ? તો તેની માટે પણ હવે ચૂકવવા પડશે આટલાં રૂપિયા, એલન મસ્કે વધુ 2 પ્લાન કર્યા લૉન્ચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?