click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજકોટ અગ્નિકાંડ: મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજકોટ અગ્નિકાંડ: મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા
Gujarat

રાજકોટ અગ્નિકાંડ: મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા

Last updated: 2024/05/28 at 12:23 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી. ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.

Contents
18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત ડીએનએ એટલે શું?ડીએનએ ટેસ્ટ આઠ તબક્કામાં થાય છે ભડથું થયેલા મૃતદેહનો ડીએનએ કેવી રીતે કરવામાં આવે છે?

18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત 

ડીએનએ ટેસ્ટમાં અંદાજે 24 કલાક જેટલો સમય થતો હોય છે. મૃતકોના દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા. એવામાં પહેલા જાણીએ ડીએનએ શું હોય છે.

ડીએનએ એટલે શું?

ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓસીરીબોન્યુકલીક એસિડ થાય છે. ડીએનએ આનુવંશિક માહિતીને સંગ્રહિત કરવામાં મદદ કરે છે તો આરએનએ માહિતીના ટ્રાન્સફર અને અભિવ્યક્તિમાં મદદ કરે છે. ડીએનએ એ સજીવનું સૌથી મહત્વપૂર્ણ આનુવંશિક સૂત્ર છે, જે તેમની પાસે આનુવંશિક માહિતી રાખે છે. ડીએનએમાં જીવને લગતી તમામ માહિતી અને જીવન ચલાવવા માટે જરૂરી તમામ સૂચનાઓ હોય છે.

ડીએનએ ટેસ્ટ આઠ તબક્કામાં થાય છે 

ડીએનએ સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. ડીએનએ ટેસ્ટના આઠ તબક્કા આ મુજબ છે.

પ્રથમ તબક્કો: ડીએનએ ટેસ્ટ માટે આવેલા નમૂનાઓના એનાલિસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય થાય છે.

બીજો તબક્કો: નમૂનાઓમાંથી ડીએનએ એકટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે.

ત્રીજો તબક્કો:ડીએનએની કવોન્ટિટી અને કવોલિટી ચકાસવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.

ચોથો તબક્કો: ડીએનએ નમૂનાઓનું પી.સી.આર એટલે કે ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી  ચાર કલાક સમય લાગે છે.

પાંચમો તબક્કો: ડીએનએ પ્રોફાઈલિંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે.

છઠ્ઠો તબક્કો: મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલિસીસ કરવામાં આવે છે, જેમાં બેથી ત્રણ કલાક સમય લાગે છે.

સાતમો તબક્કો: એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે.

આઠમો તબક્કો: આઠમા અને અંતિમ તબક્કામાં ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે.

ભડથું થયેલા મૃતદેહનો ડીએનએ કેવી રીતે કરવામાં આવે છે?

મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર બળવાની અસર ઓછી થઈ હોય તે ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે. આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં જાળવીને ઠંડા તાપમાને શક્ય હોય એટલું જલદી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે.

મૃતદેહો ખૂબ જ બળી ગયા હોય ત્યારે એવું પણ બને કે ડીએનએ સેમ્પલ થકી વ્યક્તિની ચોક્કસ ઓળખ મળે નહીં. આ સ્થિતિમાં ચોક્કસ ઓળખ મળે નહીં ત્યાં સુધી મૃતદેહને ઠંડા તાપમાને સાચવી રાખવામાં આવે છે. આવા મૃતદેહનું ફરીથી પોસ્ટમાર્ટમ કરવામાં આવે છે અને જરૂર પડે તો એ વખતે ફારેન્સિક એક્સપર્ટ પણ હાજર રહે છે.

તેમની સલાહ પ્રમાણે શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાડકું કે દાંત કે દાઢના ભાગમાંથી એક નમૂનો લેવામાં આવે છે. આ નમૂનામાંથી મળેલા ડીએનએ પ્રોફાઇલને સાચવી રાખવામાં આવે છે. મૃતકના નજીકનાં સગાં જેવાં કે માતા-પિતા, સંતાન કે ભાઈ-બહેનના ડીએનએ સાથે સરખાવવામાં આવે છે. જો બંને પ્રોફાઈલમાં સામ્યતા જોવા મળે તો તેના આધારે મૃતદેહની ઓળખ થઇ શકે છે.

You Might Also Like

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું

દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદમાં સંઘ શિક્ષા વર્ગ નું શુભારંભ

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

TAGGED: DNA tests, no blood, Rajkot fire, Rajkot fire incident, the bones, the deceased

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બી.એ.પી એસ સંસ્થા દ્વારા બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિતમ્ પારાયણ બેઠી
Next Article કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025
રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143
Gujarat મે 17, 2025
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું
Gujarat મે 17, 2025
દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદમાં સંઘ શિક્ષા વર્ગ નું શુભારંભ
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?