click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા
Gujarat

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે.

Last updated: 2023/09/16 at 2:23 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતભરમાં પ્રખ્યાત એવા ગણપતિનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર ૪ કિલો મીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું ઐઠોરમાં ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે. આ મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુથી નહીં પરંતુ રેણું (માટી)માંથી બનાવવામાં આવી છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘી નો લેપ લગાવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા ગણપતિની મૂર્તિ જોવા મળે છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવાર-નવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કર્તા અને મોટા કાર્યના કે પ્રસંગે પહેલા અહીં પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા હતા.

દરેક માસની ચોથના દિવસે અહી દર્શનાર્થે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત અહીં ચૈત્ર સુદ ત્રીજ,ચોથ અને પાંચમના દિવસે શુકન જોવામાં આવે છે. જેમાં વડીલો દ્વારા શુકન જોઇને સમગ્ર વર્ષના હવામાન, વરસાદ કે ખેતી કેવી થશે તેની આગાહી કરવામાં આવે છે. જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેને આજે પણ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે.

ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે. પહેલા આ મેળામાં બત્રીસીના શુકન પણ જોવાતા હતા. તે ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલો અને બહાર ગામથી આવતા વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું. પરંઅને શુકન પ્રમાણે તલાટી શુકન લખતા જાય છે. ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનું વર્ષફળ એટલેકે વરતાળો કાઢવામાં આવે છે.

યાત્રાધામ ઐઠોર ખાતે ભગવાન ગણપતિના તમામ ઉત્સવો ભારે હર્ષોઉલ્લાસથી ઉજવાય છે. ગણપતિદાદાની સંકટ ચતુર્થીનો તહેવાર દર માસની વદ-ચોથ ના રોજ ઉજવાય છે. દાદાના શ્રદ્ધાળું ભક્તો આખા દિવસનો ઉપવાસ કરે છે. દાદાના દર્શનાથે હજારો ભક્તો મંદિરમાં આવે છે.સાંજના સમયની આરતીમાં ભક્તો સામેલ થાય છે. આ રીતે સંકટ ચતુર્થી ભક્તિ ભાવથી ઉજવાય છે. આ વ્રત લેવાની તથા ઉજવવાની વ્યવસ્થા ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ખાતે કરવામાં આવે છે.

આ સિવાય દર વર્ષ ની ભાદરવા સુદ ચોથના દિવસે મંદિર માં હોમ-હવન થયા પછી ઘેરઘેર લાડુનો પ્રસાદ બનાવી લે છે દર વર્ષ ની ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ના દિવસે ભરાતો મેળો આખાય પંથકમાં આગવું મહત્વ ધરાવે છે. ભગવાન ગજાનનનું આ ઐતિહાસિક અને ભક્તિસભર ઐઠોર ગામનું ગણપતિ મંદિર ખુબ પ્રચલિત છે. જ્યાં વર્ષ દરમ્યાન દર ચોથના દિવસે ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે. અને ગણેશ ભક્તો ભગવાન ગજાનનની દર્શન સાથે ભક્તિ કરીને અનેરો આનંદ મેળવે છે.

You Might Also Like

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી

Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત

હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે, ટ્રમ્પ સરકારે મૂક્યો પ્રતિબંધ

TAGGED: Ganpati, Mehsana, Pandavas, Unjha

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 16, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિશ્વ ઓઝોન દિવસનો ઇતિહાસ, તારીખ અને આ વર્ષની થીમ
Next Article ચીનની ચાલમાં ફસાયુ નેપાળ, હવે 30 અબજ ડોલરની લોન માફ કરવા અપીલ કરશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
Gujarat મે 23, 2025
Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ
Gujarat મે 23, 2025
મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
Gujarat મે 23, 2025
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
Gujarat મે 23, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?