click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કતારમાં ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓ કોણ છે? જાણો શું છે સંપૂર્ણ મામલો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કતારમાં ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓ કોણ છે? જાણો શું છે સંપૂર્ણ મામલો
Gujarat

કતારમાં ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓ કોણ છે? જાણો શું છે સંપૂર્ણ મામલો

30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કિસ્સામાં, ન તો કતારના અધિકારે કે દિલ્હીએ હજુ સુધી ભારતીય નાગરિકો પરના આરોપો જાહેર કર્યા નથી.

Last updated: 2023/10/27 at 3:07 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી છે. આ ઓફિસર છેલ્લા એક વર્ષથી તેમની કેદમાં છે. એ સમયે તેઓ અલ દહરા નામની પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. આખરે કતાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ફાંસીની સજા મેળવનાર આ ભારતીયો પર શું છે આરોપ અને ભારત સરકાર આ મામલે શું કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે, તે જાણીએ.

Contents
કોણ છે સજા મેળવનાર આ 8 ભારતીય નૌસૈનિક?તેઓ કતારમાં શું કરતા હતા?શા માટે ભારતીયોની ધરપકડ કરવામાં આવી?આ મામલે ભારત સરકાર શું કરી રહી છે?હવે આગળનો રસ્તો શું છે?

કોણ છે સજા મેળવનાર આ 8 ભારતીય નૌસૈનિક?

ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ સામેલ છે. દરેક અધિકારીઓનો ભારતીય નૌસેનામાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેમને સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્વપૂર્ણ પદ પર પણ કામ કર્યું છે.

વર્ષ 2019 માં, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જે વિદેશી ભારતીયોને આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન છે. તે સમયે, દોહા સ્થિત ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું હતું કે કમાન્ડર તિવારીને વિદેશમાં ભારતનું સન્માન વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

તેઓ કતારમાં શું કરતા હતા?

આ આઠ ભારતીય નાગરિકો એક પ્રાઈવેટ ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપની – દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે કામ કરતા હતા. જે કતારની આર્મી ફોર્સને ટ્રેનિંગ અને અન્ય સેવા આપવાનું કામ કરે છે. આ પ્રાઈવેટ કંપની રોયલ ઓમાની એરફોર્સના સેવાનિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની છે. તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને ગયા વર્ષે નવેમ્બર 2022માં છોડી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર 31 મેના રોજ આ કંપની બંધ થઇ ગઈ હતી. જેમાં 75 ભારતીયો ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટ (ગુપ્ત વિશેષતાઓ સાથે ઇટાલિયન ટેક્નોલોજી પર આધારિત નાની સબમરીન) પર કામ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગે નૌસેનાના ભૂતપૂર્વ ઓફિસર હતા. કંપની બંધ થતા આ બધા ભારતીયોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા.

શા માટે ભારતીયોની ધરપકડ કરવામાં આવી?

30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ન તો કતારના અધિકારીઓ દ્વારા કે ન દિલ્હીએ હજુ સુધી આ ભારતીય નાગરિકો વિરુદ્ધ આરોપોને હજુ સુધી જાહેર કર્યા નથી. રિપોર્ટ અનુસાર તેમની ગયા વર્ષે જાસૂસીના એક કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

25 માર્ચના રોજ તેમના વિરુદ્ધ આરોપ લગાવીને તેમના પર કતાર કાયદા મુજબ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમજ તેમની જામીન અરજીઓ પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગુરુવારે કતારની કોર્ટે પહેલી જ હિયરીંગમાં તેમના વિરુદ્ધ ફાંસીનો ચુકાદો આપ્યું હતો.

આ મામલે ભારત સરકાર શું કરી રહી છે?

કતારની કોર્ટના નિર્યણ પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે આ કેસમાં ભારતીય ઓફિસરને આપવામાં આવલી ફાંસીની સજાથી ખુબ જ સ્તબ્ધ છે અને તે આ કેસના વિસ્તૃત ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. મંત્રાલય તેમના પરિવારના સભ્યો અને લો ફર્મના સતત સંપર્કમાં છે અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.

હવે આગળનો રસ્તો શું છે?

આ કેસ બાબતે સીનીયર એડવોકેટ આનંદ ગ્રોવર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય કાયદો અને ICCPRની જોગવાઈ મુજબ અમુક બાબતોને બાદ કરતા સામાન્ય રીતે ફાંસીની સજા ન આપવી જોઈએ. તેમને જણાવ્યું કે ભારત પાસે ઘણા રસ્તાઓ છે….

જેમાં પહેલું એ કે ભારત કતારની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી અથવા તો અપીલ સાંભળવામાં નથી આવતી તો ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટ પણ જઈ શકે છે.

આ સિવાય ફાંસીની સજા રોકવા માટે ભારત રાજકીય સ્તર પર પણ દબાણ કરી શકે છે. આ ઉપરાંત NGO અને સિવિલ સોસાયટી પણ આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાવી શકે છે. તેમજ ભારત UN પાસે પણ જઈ શકે છે.

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

TAGGED: Indian Navy, Indian Navy officers, Qatar

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પૂર્વ કેન્દ્રીયમંત્રી બબનરાવ ઢાકણેનું 86 વર્ષની વયે નિધન, ન્યુમોનિયાથી પીડાઈ રહ્યા હતા
Next Article LOC પર પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, અરનિયામાં ફાયરિંગ કર્યું; BSFએ આપ્યો જડબાતોડ જવાબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?