આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી આશરો લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું.
આ ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, મહુવા પ્રાંત અધિકારી ધવલ રવૈયા, મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલ તમામ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.
બચાવની કામગીરી માટે અલંગ તેમજ ભાવનગર કોર્પોરેશનમાંથી બોટ સાથે ટીમ પણ રવાના કરવામાં આવી હતી અને સાથે સાથે હેલીકોપ્ટર થી માંડી ને એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડ ની તમામ તૈયારી પણ કરવામાં આવેલ હતી. પછી તમામ વિદ્યાર્થીઓનું નગરપાલિકા મહુવા તેમજ તળાજા અને સ્થાનિક લોકોની મદદથી સફળતાપૂર્વક રેસ્કયું કરવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા પાણીમાં ફસાયેલ બાળકોને સ્થાનિક ટીમ અને નગરપાલિકાની ટીમની મદદથી રેસ્ક્યું કરી સહી- સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવની કામગીરી માટે અલંગ તેમજ ભાવનગર કોર્પોરેશનમાંથી બોટ સાથે ટીમ પણ રવાના કરવામાં આવી હતી અને સાથે સાથે હેલીકોપ્ટર થી માંડી ને એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડ ની તમામ તૈયારી પણ કરવામાં આવેલ હતી.