click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ
Gujarat

પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ

પૂર્વ ISRO ચીફ એએસ કિરણે આગળ જણાવ્યું કે, "ISROએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે નિશ્ચિતરૂપે એ મિશનો પણ થશે કે જેમાં ભવિષ્યમાં ત્યાંથી સામાન ઉઠાવીને ધરતી પર લાવવામાં આવશે. ભવિષ્યમાં તેને લઈને ઘણી યોજના બનાવવામાં આવશે."

Last updated: 2023/10/07 at 12:43 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

23 ઓગસ્ટ, 2023નો એ દિવસ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ દિવસે જ ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. 14 દિવસ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરે પોતાનું ધ્યેય પૂર્ણ કર્યા બાદ ચંદ્ર પર રાત્રિ થવાથી બંનેને સ્લીપ મોડમાં મૂકાયા હતા. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને લઈને પૂર્વ ISRO ચીફ એએસ કિરણે મહત્વની વાત કરી છે. પૂર્વ ISRO ચીફે ચંદ્રયાન-3 મિશનના અંતનો સંકેત આપ્યો છે.

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતા બાદ હવે ISROના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્રયાન-3 મિશનના અંતનો સંકેત આપતા દાવો કર્યો છે કે હવે વિક્રમ લેન્ડર (Vikram Lander) અને પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) ફરી એક્ટીવેટ થવાની સંભાવના નથી. પાછલા દિવસોમાં ISROએ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક સાધી શકાયો નહોતો. નોંધનીય છે કે ચંદ્રયાન-3 મિશનના જે ધ્યેયો હતા તે તમામ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

ચંદ્રયાન-3 મિશન સાથે સતત જોડાયેલા પૂર્વ ISRO ચીફ એએસ કિરણે કહ્યું કે, “પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમ ફરી સક્રિય થવાની સંભાવના નથી, કારણ કે જો સક્રિય થવાના હોત તો હમણાં સુધી થઈ ગયા હોત.” જોકે, ISROનું આ મિશન 14 દિવસ પૂરતું જ હતું અને તેમાં સંપૂર્ણપણે સફળ પણ થયું છે. ISROએ સ્લીપ મોડ બાદ સંપર્ક સાધવાનો એક સામાન્ય પ્રયત્ન જ કર્યો હતો.

શું મળ્યું ચંદ્રયાન-3 મિશનથી?

પૂર્વ ISRO ચીફે કહ્યું કે, “ચંદ્રયાન-3 મિશનમાં આપણે જે પ્રાપ્ત કર્યું છે તે એ છે કે આપણે એક એવા ક્ષેત્ર (દક્ષિણી ધ્રુવ) પર પહોંચી ગયા છીએ, જ્યાં કોઈપણ નથી પહોંચી શકયું. વાસ્તવમાં આ ખૂબ જ ઉપયોગી જાણકારી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભવિષ્યમાં જે પણ મિશનો થશે, તેની યોજના બનાવવામાં તેનાથી ખૂબ મદદ મળશે.”

પૂર્વ ISRO ચીફ એએસ કિરણે આગળ જણાવ્યું કે, “ISROએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે નિશ્ચિતરૂપે એ મિશનો પણ થશે કે જેમાં ભવિષ્યમાં ત્યાંથી સામાન ઉઠાવીને ધરતી પર લાવવામાં આવશે. ભવિષ્યમાં તેને લઈને ઘણી યોજના બનાવવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારત દુનિયાનો એવો પહેલો દેશ બન્યો છે જે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યો છે. એ સિવાય ચંદ્રની સપાટી પર વિવિધ પ્રયોગો કરીને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે પોતાના ધ્યેયને 100% પૂર્ણ કર્યું છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Chandrayaan 3, Isro, isro satellite, ISRO scientists, isro-chief-somanth, Pragyan Rover, Vikram Lander

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
Next Article કેનેડાના વેનકુવરમાં પ્લેન ક્રેશ, બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?