click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
Gujarat

ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા

જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકામાં ખોરાસા ગામે શ્રી તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. બાલાજીનું આ મંદિર 200 વર્ષ જૂનું છે. વર્ષો પહેલાં શ્રી ગોપાલ વૈરાગી, સાધુઓ સાથે તીર્થસ્થાનોમાં ફરતા ફરતા આ સ્થળે આવ્યા હતા.

Last updated: 2025/03/10 at 5:29 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

ભક્ત નરસિંહ મહેતાના નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયેલા જુનાગઢથી પશ્રિમ દિશામાં વંથલી તાલુકામાં ખોરાસા ગામ આવેલુ છે. એક દંતકથા પ્રમાણે માંગરોળની યાત્રાએ જવા નીકળેલા નરસિંહ મહેતા અને તેમના કાકા પર્વત મહેતા રસ્તો ભુલી જતાં તેમના રક્ષણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ ખોરાસા ગામ વસાવ્યુ હતુ. આ ખોરાસા ગામમાં તિરુપતિ બાલાજીનું 200 વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલુ છે. આ મંદિર વિશિષ્ટ સ્થાન ધરાવતા શ્રી રામાનૂજ સંપ્રદાયનું છે. જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકામાં ખોરાસા ગામે શ્રી તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. બાલાજીનું આ મંદિર 200 વર્ષ જૂનું છે. વર્ષો પહેલાં શ્રી ગોપાલ વૈરાગી, સાધુઓ સાથે તીર્થસ્થાનોમાં ફરતા ફરતા આ સ્થળે આવ્યા હતા. તોતોદ્રીસ્થાનમાં બદ્રીનારાયણ સ્વામી પાસે શ્રી રામાનુજ સંપ્રદાયની વિધિ પ્રમાણે પંચ સંસ્કારદીક્ષા લઈ શ્રી વૈષ્ણવ થયા હતા. શ્રી ગોપાલથી શ્રી ગોપાલાચાર્ય થઈ ધર્મ સંપ્રદાયનો પ્રચાર કરવા આજ્ઞા પામી પર્યટન કરતા ફરી કાઠીયાવાડમાં શિવરાત્રીએ આવ્યા, ત્યારે ખોરાસાના રહીશ લવજીભાઈ ઉનડકટ અને આહિર કરશનભાઈ તેમને ખોરાસા ગામે લઈ આવ્યા હતા. હાલ જ્યાં મંદિર છે, ત્યાં ખેતર હતા. શ્રી ગોપાલાસ્વામીજીએ ગામની પરિસિમા પર આંબા, વડ અને પીપળના વૃક્ષોની ઘટાઓમાં મોર, કોયલ વગેરે પક્ષીઓનો સમુહ જોયો, તેમને આ ભૂમિ ખૂબ પ્રિય લાગી હતી

Contents
વંથલીના ખોરાસા ગામે શ્રી તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિરવિશેષ સેવાઓ:મંદિરના પ્રવેશદ્વાર પાસે ગરુડ સ્તંભ આવેલો છેખોરાસાના તિરુપતિ બાલાજી મંદિરમાં વાર્ષિક ઉત્સવ અને ગજેન્દ્ર મોક્ષલીલાદિવસ પ્રમાણે ભગવાનની વિશેષ સવારી:જન્માષ્ટમી અને નંદોત્સવ:પૌરાણિક પીપળો અને વાસુદેવની ઉપાસના:

વંથલીના ખોરાસા ગામે શ્રી તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર

વંથલીના ખોરાસા ગામે આવેલા શ્રી તિરુપતિ બાલાજી મંદિરના દિવ્ય દર્શન ભક્તજનો માટે એક આસ્થાનું પ્રતિક છે. અહીં બિરાજમાન શ્રી વેંકટેશ ભગવાનની મૂર્તિ ભક્તોને તિરુપતિ મંદિરમાં દર્શન કરવાનો સાત્વિક આનંદ આપે છે.

મંદિર પરિસરમાં પ્રવેશતા જ ભક્તો એક અનોખી સકારાત્મક ઊર્જાનો અનુભવ કરે છે. મંદિરની પવિત્રતા અને શાંતિમય વાતાવરણ ભક્તોના મન-મંદિરમાં શાંતિનો સંચાર કરે છે. અહીં દરરોજ વૈદિક શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાનને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે અને વિશેષ આરતીના સમયગાળા નક્કી કરાયેલા છે:

  • સવાર:

    • 6:30 AM – મંગળા આરતી
    • 11:30 AM – રાજભોગ આરતી
  • બપોર:

    • 12:00 PM – 4:00 PM: વિશ્રાંતિ સમય
  • સાંજ:

    • સંધ્યા આરતી પછી સંસ્કૃત અને તમિલ ભાષામાં શાસ્ત્રીય સ્તોત્ર પાઠ
    • 8:30 PM – શયન આરતી

વિશેષ સેવાઓ:

  • શ્રી વિષ્ણુ સહસ્ત્રનામથી તુલસી અર્ચના
  • કપુર આરતી
  • શ્રી રામાનુજ સંપ્રદાયની પરંપરાગત સેવાઓ

આમ, દક્ષિણ ભારતના તિરુપતિ મંદિરની જે તટસ્થતા છે તે જ અહીંના પૂજા વિધિમાં પણ અનુભવી શકાય છે. ભક્તો માટે આ સ્થળ એક આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર બની ગયું છે.

મંદિરના પ્રવેશદ્વાર પાસે ગરુડ સ્તંભ આવેલો છે

સવારે સાડા અગિયાર વાગે અને સાંજે સાત વાગે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ભગવાનને જ્યારે ભોગ ધરાવવવામાં આવે છે ત્યારે તેમને કોઈ વિક્ષેપ ના થાય તે માટે મંદિર પરિસરમાં થોડી થોડી વારે ઘંટારવ કરવામાં આવે છે. જ્યાં સુધી ભગવાન રાજભોગ લઈ રહ્યા હોય છે ત્યાં સુધી આ ઘંટારવ કરવામાં આવે છે. વર્ષોથી કરવામાં આવતી આ પરંપરા વર્તમાનમાં પણ યથાવત છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે ગરુડ સ્તંભ આવેલો છે. ગરુડ સ્તંભ એટલે વિશ્વક્ષેન ભગવાન અને વિશ્વક્ષેન ભગવાન એટલે ગણેશજીનું સ્વરુપ. રામાનુજ સંપ્રદાયમાં કોઈપણ કાર્યના આરંભ પહેલા ગરુડ સ્તંભના પૂજન અર્ચન કરવામાં આવે છે. દરેક કાર્ય નિર્વિઘ્ન થાય તે માટે તેમને પ્રાર્થના કરવામાં આવે છે. તિરુપતિ બાલાજીનું મુખ્ય મંદિર દક્ષિણ ભારતમાં આવેલું છે જ્યારે સૌરાષ્ટ્રના ખોરાસામાં આવેલા બાલાજી મંદિરમાં પણ દક્ષિણ ભારતના મંદિર જેવી જ કલાત્મક કોતરણી છે. જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યુ હતુ ત્યારે કોતરણી માટે કલાકારો દક્ષિણ ભારતમાંથી જ બોલાવવામાં આવ્યા હતા. ભગવાનની બરાબર સામે બિરાજમાન ગરુડજી અને હનુમાનજી ભગવાનના પાર્ષદ છે તે હંમેશા ભગવાનના સાનિધ્યમાં જ રહે છે. ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન કરતા પહેલા તેમના પાર્ષદની મંજૂરી લેવી પડે છે. એટલે મંદિરમાં સૌથી પહેલા હનુમાનજી અને ગરુડજીને વંદન કર્યા પછી જ ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે. નિયમિત ભગવાનના દર્શને આવતા ભાવિક ભક્તો તિરુપતિ બાલાજીના દર્શન કરવા આવવાનું ચુકતા નથી અને દર્શન કર્યા બાદ તેમના મન પ્રફુલ્લિત રહે છે.

ખોરાસાના તિરુપતિ બાલાજી મંદિરમાં વાર્ષિક ઉત્સવ અને ગજેન્દ્ર મોક્ષલીલા

વંથલીના ખોરાસા ગામે આવેલા શ્રી તિરુપતિ બાલાજી મંદિરમાં ચૈત્રવદ સાતમથી બારસ સુધી ઠાકોરજીના વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે. આ દિવસે ભક્તિ અને આરાધનાનો મહિમા વ્યાપી રહે છે. દરરોજ ભગવાનની વિશેષ યાત્રા અને વિવિધ પાઠો અને લીલાઓનું ભવ્ય આયોજન થાય છે.

દિવસ પ્રમાણે ભગવાનની વિશેષ સવારી:

  1. સાતમ: ભગવાન હંસ વાહન પર સવારી કરે છે.
  2. આઠમ: ભગવાન શેષનાગ પર બિરાજી યાત્રા કરે છે.
  3. નોમ:
    • સવાર: ભગવાન સૂર્યવાહન પર યાત્રા કરે છે.
    • રાત્રે: ચંદ્રવાહન પર સવારી કરીને ભક્તોના ઘેરે દર્શન માટે જાય છે.
  4. દશમ:
    • ભગવાન ગરુડ પર બિરાજી બગીચા ખાતે પધારે છે.
    • આચાર્યોના સમાધી સ્થાને દર્શન આપી, પુષ્કરણીના મંડપમાં બિરાજે છે, જ્યાં ગજેન્દ્ર મોક્ષલીલાનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવે છે.
  5. એકાદશી:
    • ભગવાન વિશેષ શણગારેલા રથમાં બિરાજમાન થાય છે.
    • પુરુષ ભક્તો ભવ્ય રથને બગીચા સુધી ખેંચી લઈ જાય છે.
    • અમુક સ્થળે માત્ર બહેનોને રથ ખેંચવાનો અધિકાર હોય છે.
    • આખો દિવસ ભગવાન બગીચામાં જ રહે છે અને સાંજે મંદિરે પરત આવે છે.
    • મંદિર આગળ ભવ્ય મેળો ભરાય છે.
  6. બારસ:
    • શાંતિ ઉત્સવ સાથે બ્રહ્મોત્સવ પૂર્ણ થાય છે.

જન્માષ્ટમી અને નંદોત્સવ:

  • જન્માષ્ટમી અને બીજે દિવસે નંદ ઉત્સવ મંદિર અને ગામ માટે વિશેષ ઉત્સવ છે.
  • ગામના દરેક પરિવાર નવા વસ્ત્રો અને અલંકારોથી શણગારાય છે અને ભક્તિભાવથી તન-મન-ધનથી સેવા કરી ઉત્સવને ઉમંગભેર ઉજવે છે.

પૌરાણિક પીપળો અને વાસુદેવની ઉપાસના:

  • મંદિર પરિસરમાં પૌરાણિક પીપળો છે, જે મંદિરના આચાર્યોએ વાવ્યો હતો અને જે આ પવિત્ર સ્થળના ઇતિહાસનો સાક્ષી છે.
  • ભક્તો પીપળાને પાણી ચડાવી પવિત્ર આશીર્વાદ મેળવે છે.

ભગવાન વેંકટેશ માતા લક્ષ્મી અને ભૂદેવી સાથે બિરાજી ભક્તોને ધન-ધાન્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

આ પવિત્ર ઉત્સવ ભક્તોને દિવ્ય અનુભૂતિ કરાવે છે અને દક્ષિણ ભારતીય તિરુપતિ બાલાજી મંદિર જેવો પરંપરાગત અનુભવ આપી ભક્તિને પરિપૂર્ણ બનાવે છે.

You Might Also Like

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ

ભારતીય સેનાએ જાહેર કર્યો નવો વીડિયો, નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ

TAGGED: Ancient barrels, Khorasa village, Lord Krishna, Tirupati Balaji, Tirupati Balaji Temple of Khorasan, Vanthali Taluka, Worship of Vasudeva, તિરુપતિ બાલાજી, ભગવાન શ્રીકૃષ્ણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AI-ચેટબોટના જમાનામાં છત્તીસગઢના નાણા પ્રધાને હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કર્યું
Next Article મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે યોજ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025
બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક
મે 10, 2025
T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?