ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા છે.
નવસારી જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 876 જેટલી પિડીત મહિલાઓએ મદદ મેળવી છે. જેમાં 697 જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવ્ય છે તેમજ 18 જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેંટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય આપ્યો છે.
રાજ્યના તમામ વિસ્તારમાં અભયમની સેવાઓ 59 અભયમ રેસ્કયુવાન સાથે 24×7 વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવ્યા છે.