click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ
Gujarat

ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ

ગઢડા શહેરમાં ઉગામેડી ગામે જવાના રસ્તા પર 250 વર્ષ જુનું રાધાવાવ સિદ્ધેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મંદિર પ્રસાદીનું સ્થાન ધરાવે છે જેથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આજે દેવદર્શનમાં સિદ્ધેશ્વર હનુમાનજીના દર્શન કરીશુ અને જાણીશું મંદિરનો સુંદર ઈતિહાસ...

Last updated: 2025/06/03 at 10:36 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર 250 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સિધ્ધેશ્રવર મહાદેવ અને હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવેલી છે મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવ રાધાવાવ નામથી પ્રચલિત છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.

ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી નિકળ્યા અને સાડાબાર હજાર કિલોમીટરની પદયાત્રા કરીને ગઢડા આવ્યા ત્યારે ગઢડાના દરબાર દાદાબાપુ ખાચરે મંદિર બનાવવા પોતાનો દરબાર ગઢ આપી દીધો હતો અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રોકાયા અને ગઢડાને કર્મભૂમિ બનાવી હતી. ગઢડાના દરબાર દાદાબાપુ ખાચરને બે બહેનો હતી એક મોટીબા અને બીજા લાડુબા, બંને બહેનો અવતારી આત્મા હોવાનું માનવામાં આવે છે. લાડુબાએ ભગવાન સ્વામિનારાયણને વાડીમા વાવ બનાવવા કહ્યુ એટલે સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસ અને 200 પાર્ષદોથી વાવ બનાવવાનું શરૂ કર્યું હતું. વાવમાં સારૂ પાણી થયું હતું. લાડુબા રાધિકાજીના સ્વરૂપ માનવામાં આવતા એટલે સ્વામિનારાયણ ભગવાને વાવનું નામ રાધાવાવ આપ્યું હતું. સ્વામિનારાયણ ભગવાને વાવની બાજુમાં મંદિર બનાવડાવ્યુ હતુ. જેમાં સિધ્ધેશ્રવર મહાદેવ અને હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી. માટે આ મંદિર રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિર તરીકે પ્રચલિત છે.

ગઢડામાં આવેલા રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ આબેહૂબ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ જેવી જ છે. રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે હનુમાનજીની સ્થાપના કર્યા બાદ મંદિરે દરરોજ કરવામાં આવતી સંધ્યા આરતી પછી હનુમાનજદાદા રાધાવાવથી ગઢડા મંદિર જાય છે તેવી લોક વાયકા છે.

રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે હનુમાનજી દાદા અને મહાદેવ ઉપર ભક્તોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. અહિંના ખેડૂતો પોતાની વાડીમા બોર કરાવતા પહેલા વાડીમાં સારુ પાણી આવે તેના માટે હનુમાનજી દાદાને પ્રાર્થના કરે છે અને તેમની પર દાદાના સદાય આશીર્વાદ રહે છે. એટલે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે એટલે લોકો હોંશે હોંશે મહાદેવજીને જલાભિષેક અને દાદાને શ્રીફળ વધેરે છે

રાધાવાવને ભગવાન સ્વામિનારાયણે બનાવડાવી છે એટલે, રાધાવાવ પ્રસાદીની વાવ છે રાધાવાવના પગથીયા વાળવાની માનતા રાખવાથી કાનની તકલીફ દૂર થવાની માન્યતા છે. ઘણા ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે રાધાવાવના પગથીયા પર સોપારી પણ મુકે છે. 250 વર્ષ પહેલા બનાવવામાં આવેલી રાધાવાવમાં 100 જેટલા પગથીયા આવેલા છે. રાધાવાવમાં ક્યારેય પાણી ખૂટયું નથી. દુષ્કાળમાં પણ રાધાવાવ હંમેશા પાણીથી ભરેલી જ રહેલી છે.

ગઢડાથી એક કિલોમીટર દૂર ઉગામેડી રોડ પર કુદરતી વાતાવરણમાં આવેલા પૌરાણિક રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે મહાદેવ અને હનુમાનજીના દર્શન અલૌકિક અહેસાસ કરાવે છે. ગામના તેમજ દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરે શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિર ગઢડા પંથકની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.

You Might Also Like

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું

પહેલગામ હુમલા પછી ડૉ. મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું ‘ભારતની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું જરૂરી’

TAGGED: Botad District, Dev Darshan, Dharma, guajrti news, old Hanumanji temple, oneindianews, Siddheshwar Hanumanji Temple, Sidhdheshvar Hanumanji, the history, topnews, બોટાદ જિલ્લા, સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
Next Article દુશ્મનો થરથર કાપશે, ભારતીય યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં ઉતરશે, દરિયા કિનારે તોપો ગર્જશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી
Gujarat જૂન 6, 2025
વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?