બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રસિદ્ધ વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા અક્ષરવાડી ખાતે યોજાયેલ મેડિકો સ્પિરિ્ચુઅલ કોન્ફરન્સમાં પોતાના જીવન જીવવાનો અભિગમ બદલવા માટે એક સુંદર વક્તવ્ય આપ્યું હતું.
” થિન્ક ડિફરન્ટ, બી ડિફરેન્ટ ” વિષયક પ્રવચન આપતા ભાવનગરનાં તબીબો અને મીડિયા પ્રતિનિધિ શ્રોતાઓને કહ્યું હતું કે વિશ્વનાં અનેક પ્રસિદ્ધ અને મોટા માનવીઓ પણ પોતાના જીવન જીવવાના અભિગમ બદલતા પોતાને કંઈ રીતે દુનિયાથી પોતાની અલગ ઓળખ બનાવી તે વિસ્તાર પૂર્વક કહું હતું.
અક્ષરવાડીમાં ચાલી રહેલ પ્રમુખ સ્વામી હેલ્થ સર્વિસીઝ દ્વારા આયોજીતઆ સેમિનારમાં પૂજય અપૂર્વમુની સ્વામીએ આધ્યાત્મિક માર્ગ સાથે અભિગમ બદલાવવા માટે ખાસ ભાર મુક્યો હતો.અને ડોક્ટરો દ્વારા દર્દીઓની માનવીય અને આધ્યાત્મિક અભિગમ સાથે સેવા કરવાની માર્મિક ટકોર પણ કરી હતી.
ભાવનગરનાં કલેક્ટરએ પણ આ પ્રસંગે હાજર રહીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અંતમાં અક્ષરવાડી મંદિરના કોઠારી સંત પૂજ્ય યોગવિજય સ્વામિએ આવેલ તમામ ડૉક્ટરો અને મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : પૂ.અપૂર્વમુનિ સ્વામિ , આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર