click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી
Gujarat

ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી

જામનગરના લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ બાલા હનુમાન મંદિર આવેલું છે. 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ એજ ભાવિકોનો દઢ ભક્તિભાવ છે

Last updated: 2025/06/17 at 10:56 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. 1960માં પ્રેમભિક્ષુક મહારાજ જામનગરમાં આવ્યા ત્યારે તળાવના કાંઠે મંદિર બંધાવી બાલા હનુમાનદાદાની સ્થાપના કરી હતી… છેલ્લા 56 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

Contents
જામનગરમાં બિરાજમાન બાલા હનુમાનતમામ મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થાજામનગરવાસીનો દર્શન કરવાનો નિત્યક્રમ

જામનગરમાં બિરાજમાન બાલા હનુમાન

જામનગરના લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ બાલા હનુમાન મંદિર આવેલું છે. જ્યાં પહેલી ઓગસ્ટ, 1964થી અખંડ રામધૂન ચાલે છે. 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ એજ ભાવિકોનો દઢ ભક્તિભાવ છે, એક વર્ષમાં 15,768,000 અને 53 વર્ષોમાં 83 કરોડ,57 લાખ 3000 થી વધારે વાર રામ નામ અહિ લેવામાં આવ્યું છે. મોટા ઉત્સવોમાં રામધૂનની ઊર્જાની તીવ્રતાથી રાતના સમયે આ ધૂનનો ગુજારવ સાંભળીને એક અનોખી શાંતિ સાથે શક્તિનો સંચાર થાય છે. આટલી લાંબી આરાધના ને પગલે આ મંદિરના કણે કણમાં રામ નામ વસી ગયું છે, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે, અહિ આવતા લોકોને મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ શાંતિનો અહેસાસ થવા માંડે છે.

તમામ મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થા

રામ નામ જપ્તા આ વાતાવરણમાં તમામ ચિંતા અને તણાવમાંથી મુક્તિ મળે છે, એટલે સુધી કે તમામ મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થા છે. રામાયણમાં લખ્યા મુજબ રામ નામ લેવાથી તમામ દુઃખો દુર થાય છે, અહિ તો કોઈ પણ સમયે રામ નામનો ગુજારવ થતો રહે છે, તો પછી અહિ આવનાર શા માટે રામભક્ત હનુમાન ન બની જાય? જે કોઈ પ્રવાસી એકવાર જામનગર આવે તે અચૂક પણે બાલા હનુમાન મંદિરે તો આવે જ છે, પછી દેશી હોય કે વિદેશી, જ્યારે કે જામનગરના કેટલાક નાગરિકોએ તો ઘરેથી નીકળતા કે ઓફિસથી ઘરે જતા સમયે બાલા હનુમાન મંદિરે દર્શન કરવાનો નિત્ય ક્રમ બનાવી લીધો છે. જામનગર વાસીઓ હાથમાં મંજીરા, ઢોલક, પેટીના સથવારે મુખમાં રામ નામનું રટણ કરવાની આ ક્રિયા રામ ભક્ત હનુમાન બનીને સતત રટતા રહે છે.

જામનગરવાસીનો દર્શન કરવાનો નિત્યક્રમ

તળાવની પાળે બિરાજમાન બાલા હનુમાન મંદિરે બહારથી આવતા પ્રવાસીઓ અચૂક મુલાકાત લઇ રામ ભક્તિમાં તરબોળ થાય છે. જામનગર શહેરની ભક્તિની ઓળખ એટલે બાલા હનુમાન મંદિર. મંદિર ખાતે પાંચ પાંચ દાયકાઓથી ચાલી રહેલી શ્રી રામ જય રામ જય જય રામ, શબ્દોની અવિરત ધૂન વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે તા. 1-8-1964ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજે શરૂ કરેલી આ રામધૂન આજે 60માં વર્ષે પણ અવિરત ચાલતી રહી છે જેને ગીનીશ બૂક દ્વારા વિશ્વની સૌથી લાંબી ધૂન તરીકે સ્થાન આપ્યું છે. બાલા હનુમાન મંદિરે દરરોજ સાંજે 51 દિવડાઓની આરતી થાય છે, તેમજ વર્ષ દરમિયાન રામ નવમી, હનુમાન જયંતી, વિજયા દસમીના દિવસે વિશેષ આરતી કરવામાં આવે છે. જામનગર બાદ દ્વારકા પોરબંદર વગેરે મળીને કુલ 7 જગ્યાએ અખંડ રામધૂન ચાલી રહી છે. સુદામાપુરી પોરબંદર, કૃષ્ણભૂમિ દ્વારકા, પ્રેમ ભિક્ષુજી મહારાજની જન્મભૂમિ મુઝઝફરપુર,રાજકોટ, જૂનાગઢ અને મહુવામાં અખંડ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન અવિરત પણે ગુંજી રહી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel 🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ દ્વારા દૂધ મંડળીના સભ્યોને માહિતગાર કરાયા

આંદામાનમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર! 5 ગણી વધી જશે ભારતની GDP

TAGGED: Bala Hanuman, Bala Hanuman Temple, Dev Darshan, guajrt, guajrti news, Hanumanji, jamnagar, oneindiannews, Ramdhun, topnews, અખંડ રામધૂન, જામનગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
Next Article ‘આખું તહેરાન ખાલી કરો’, ઈઝરાયેલ- ઈરાન વોર પર US પ્રેસિડન્ટ ટ્રમ્પની વોર્નિંગથી વર્લ્ડમાં હડકંપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
Gujarat Kheda જૂન 17, 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
Gujarat Kheda જૂન 17, 2025
આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ
Anand Gujarat જૂન 17, 2025
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ દ્વારા દૂધ મંડળીના સભ્યોને માહિતગાર કરાયા
Gujarat Kheda જૂન 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?