click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના 3 સહિત દેશની કુલ 69 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના 3 સહિત દેશની કુલ 69 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત
Gujarat

ગુજરાતના 3 સહિત દેશની કુલ 69 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

Last updated: 2025/05/28 at 11:22 એ એમ (AM)
One India News Team
Share
6 Min Read
SHARE

રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે (28 મે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર 2025થી લોકોને સન્માનિત કર્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અનેક વિષય જેમકે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબત, વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા અને સાહિત્ય વગેરેમાં આપવમાં આવે છે. જેમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, એક્ટર અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જૉર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સોનિયા નિત્યાનંદ સહિત 69 પ્રતિષ્ઠિત હસ્તીઓને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યાં.

Contents
2025માં કુલ 139 લોકોને પદ્મ પુરસ્કારશારદા સિન્હા (મરણોપરાંત)-કલા-લોક સંગીતકુમુદિની રજનીકાંત લાખિયા (મરણોપરાંત)-કલા બિબેક દેબરોય (મરણોપરાંત) સાહિત્ય અને શિક્ષાનિવૃત્ત ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર- જાહેર બાબતડૉ. શોભના ચંદ્રકુમાર- કલા લોક નૃત્યસાધ્વી ઋતંભા- સામાજિક કાર્યરિકી કેજ- કલા સંગીત 69 લોકોને મળ્યો પદ્મ પુરસ્કારપ્રજાસત્તાક દિવસની પૂર્વ સંખ્યાએ કરવામાં આવે છે જાહેરાતઆ વર્ષે 30 ગુમનામ નાયકોને મળ્યો પદ્મ પુરસ્કાર

2025માં કુલ 139 લોકોને પદ્મ પુરસ્કાર

2025માં 139 લોકોને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક કેન્દ્રીય મંત્રી અને અનેક વિશેષ અતિથિ પણ હાજર હતાં. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કાર પણ સામેલ છે. પુરસ્કાર વિજેતાઓમાંથી 23 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 10 વ્યક્તિ અને 13 મરણોપરાંત પુરસ્કાર વિજેતા પણ સામેલ છે.

શારદા સિન્હા (મરણોપરાંત)-કલા-લોક સંગીત

લોક ગાયિકા શારદા સિન્હાને કલા-લોક સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના દીકરાએ તેમના તરફથી આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો.

#WATCH | Delhi: Sharda Sinha has been awarded the Padma Vibhushan posthumously by President Droupadi Murmu, for her contribution to the field of arts- folk music.

Her son receives the award on her behalf. pic.twitter.com/tlwgciUHJm

— ANI (@ANI) May 27, 2025

કુમુદિની રજનીકાંત લાખિયા (મરણોપરાંત)-કલા 

કુમિદિની રજનીકાંત લાખિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના પૌત્રએ તેમના તરફથી આ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો.

#WATCH | Delhi: Smt. Kumudini Rajnikant Lakhia receives the Padma Vibhushan posthumously from President Droupadi Murmu, for her contribution to the field of arts.

Her grandson receives the award on her behalf. pic.twitter.com/JVuHcCoGJU

— ANI (@ANI) May 27, 2025

બિબેક દેબરોય (મરણોપરાંત) સાહિત્ય અને શિક્ષા

સાહિત્ય અને શિક્ષાના ક્ષેત્રમાં યોગદાન માટે બિબેક દેબરૉયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યાં. તેમની પત્નીએ આ પુરસ્કાર સ્વીકાર કર્યો. બિબેક દેબરૉય એક અર્થશાસ્ત્રી હતા, જેમણે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષના રૂપે કામ કર્યું અને તેઓ એક લેખક પણ હતાં.

#WATCH दिल्ली: साहित्य और शिक्षा के क्षेत्र में योगदान के लिए बिबेक देबरॉय को राष्ट्रपति द्रौपदी मुर्मू ने मरणोपरांत पद्म भूषण से सम्मानित किया है।

उनकी पत्नी ने उनकी ओर से यह पुरस्कार प्राप्त किया।

बिबेक देबरॉय एक अर्थशास्त्री थे, जिन्होंने प्रधानमंत्री की आर्थिक सलाहकार परिषद… pic.twitter.com/Mfge5csK38

— ANI_HindiNews (@AHindinews) May 27, 2025

 

નિવૃત્ત ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર- જાહેર બાબત

ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) જગદીશ સિંહ ખેહરને જાહેર બાબતોના ક્ષેત્રે યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે.

#WATCH दिल्ली: न्यायमूर्ति (सेवानिवृत्त) श्री जगदीश सिंह खेहर को सार्वजनिक मामलों के क्षेत्र में उनके योगदान के लिए राष्ट्रपति द्रौपदी मुर्मू से पद्म विभूषण सम्मान प्राप्त हुआ। pic.twitter.com/2rXwGlv2wm

— ANI_HindiNews (@AHindinews) May 27, 2025

 

ડૉ. શોભના ચંદ્રકુમાર- કલા લોક નૃત્ય

ડૉ. શોભના ચંદ્રકુમારને કલા-લોક નૃત્યના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું.

#WATCH | Delhi: Dr Shobana Chandrakumar receives the Padma Bhushan from President Droupadi Murmu, for her contribution to the field of arts- folk dance. pic.twitter.com/wZzaqzYPag

— ANI (@ANI) May 27, 2025

 

સાધ્વી ઋતંભા- સામાજિક કાર્ય

સાધ્વી ઋતંભરાને સામાજિક કાર્યના વિસ્તારમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું.

#WATCH दिल्ली: साध्वी ऋतंभरा को सामाजिक कार्य के क्षेत्र में उनके योगदान के लिए राष्ट्रपति द्रौपदी मुर्मू से पद्म भूषण सम्मान प्राप्त हुआ। pic.twitter.com/Oc8Nfr5GPr

— ANI_HindiNews (@AHindinews) May 27, 2025

રિકી કેજ- કલા સંગીત 

ગ્રેમી પુરસ્કાર વિજેતા સંગીતકાર રિકી કેજને કલા-સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો.

#WATCH दिल्ली: ग्रैमी पुरस्कार विजेता संगीतकार रिकी केज को कला-संगीत के क्षेत्र में उनके योगदान के लिए राष्ट्रपति द्रौपदी मुर्मू ने पद्मश्री पुरस्कार दिया। pic.twitter.com/yck3DoQDJn

— ANI_HindiNews (@AHindinews) May 27, 2025

69 લોકોને મળ્યો પદ્મ પુરસ્કાર

મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય લોકોની હાજરીમાં 69 પસંદગીના વ્યક્તિઓને પુરસ્કારો એનાયત કર્યા. રાષ્ટ્રપતિએ સમારોહ દરમિયાન નૃત્યાંગના અને અભિનેત્રી શોભના ચંદ્રકુમાર, ઉદ્યોગપતિ નલી કુપ્પુસ્વામી ચેટ્ટી, પુરાતત્વવિદ્ કૈલાશ નાથ દીક્ષિત, નર્તક જતીન ગોસ્વામી, અભિનેતા અનંત નાગ અને સાધ્વી ઋતંભરા સહિત પ્રખ્યાત વ્યક્તિઓને ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, નવ પદ્મ ભૂષણ પણ એનાયત કર્યા.

પદ્મશ્રી મેળવનારાઓમાં પ્રખ્યાત ઇમ્યૂનોલૉજિસ્ટ અને KGMUના વાઇસ ચાન્સેલર નિત્યાનંદ, ફૂટબોલર ઇનિવલપ્પિલ મણિ વિજયન, ગાયક અશ્વિની ભીડે દેશપાંડે, અભિનેતા અશોક લક્ષ્મણ સરાફ, માસ્ક બનાવનાર રેબા કાંતા મહંતા અને સંગીતકાર રિકી જ્ઞાન કેજનો સમાવેશ થાય છે. પ્રખ્યાત થિયેટર કલાકાર અને કાર્યકારી કોચ બેરી જોન, લોક સંગીતકાર અને પ્રખ્યાત પરાઈ વાદક વેલુ આસન, ઉદ્યોગપતિ સજ્જન ભજનકા, ડૉ. નીરજા ભટલા, વૈજ્ઞાનિક અજય વી ભટ્ટ, લેખક સંત રામ દેસવાલ, આધ્યાત્મિક નેતા આચાર્ય જોનાસ મેજેટી અને ફારૂક અહેમદ મીરનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણને અસાધારણ અને વિશેષ સેવા માટે આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે પદ્મ શ્રી.

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંખ્યાએ કરવામાં આવે છે જાહેરાત

પદ્મ વિભૂષણ સાધારણ અને વિશેષ સેવા રૂપે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવે છે.

આ પહેલાં એપ્રિલમાં અપાયું હતું પદ્મ સન્માન

આ પહેલાં, 28 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપમાં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પુરસ્કાર આપ્યા હતાં.

આ વર્ષે 30 ગુમનામ નાયકોને મળ્યો પદ્મ પુરસ્કાર

2014 માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી, તેમણે પદ્મ પુરસ્કારોથી દ્વારા “ગુમનામ નાયકો” નું સન્માન કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષે, 30 ‘ગુમનામ નાયકો’ને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના કોઈપણ ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓમાંથી પ્રતિભાશાળી વ્યક્તિઓને ઓળખવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમની શ્રેષ્ઠતા અને સિદ્ધિઓ ખરેખર ઓળખવા યોગ્ય છે અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે.

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: Civil honor, guajrti news, gujarat, oneindianews, Padma awards, pm modi, President Draupadi Murmu, Rashtrapati Bhavan, Republic Pavilion of the President's House, topnews, Unsung heroes, પદ્મ એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક
Next Article ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?