શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ બાળકો વેકેશનમાં સ્વિમિંગ તરફ વળતા જોવા મળી રહ્યા છે. મનપા સંચાલિત સ્વામીવિવેકાનંદ તરણકુંડમાં વેકેશન દરમિયાન સંખ્યા 800 જેટલી થઈ જવા પામે છે. બાળકો, યુવાનોની સાથે માતાપિતા પણ તરણકુંડમાં સ્વિમિંગ શીખવા આવતા જોવા મળી રહ્યાં છે. દિવસ દરમિયાન કુલ 8 બેચ ચાલે છે, જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ અલગ બેચની સુવિધા પણ છે. આ ઊપરાંત ખાસ દરેક સ્વિમર પર ધ્યાન રાખવામાં આવે છે. જેને લઈને આજદિન સુધી કોઈપણ અણબનાવ બન્યો નથી.