click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમને આપ્યો જવાબ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમને આપ્યો જવાબ
Gujarat

અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમને આપ્યો જવાબ

જયરામ રમેશે એક તૃતીયાંશ સબસ્ક્રાઈબરની મંજૂરી વગર યોજનામાં નામ જોડ્યા હોવાનો આક્ષેપ કર્યો નિર્મલા સીતારમને કહ્યું- યોજનાને ગરીબો અને લોઅર મિડલ ક્લાસને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે

Last updated: 2024/03/28 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ અને BJP વચ્ચે અટલ પેન્શન યોજના મુદ્દે ભારે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારની યોજનાને ‘કાગળ પરનો વાઘ’ કહેતા બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમન વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. એકતરફ કોંગ્રેસ યોજનાની ખામીઓ ગણાવી રહી છે, તો બીજીતરફ નાણામંત્રી યોજનામાં રિટર્નથી લઈને ફાયદા ગણાવી રહ્યા છે.

Contents
જયરામ રમેશે યોજના પર ઉઠાવ્યા સવાલનિર્મલા સીતારમને કોંગ્રેસ આપ્યો જવાબઅટલ પેન્શન યોજના શું છે?રૂ. 5000 પેન્શન કઈ રીતે મળશે?આ યોજનાનો લાભ કોણ લઇ શકે?આ યોજનામાં કઈ રીતે રોકાણ કરી શકાય?જો લાભાર્થી 60 વર્ષ પહેલા મૃત્ય પામે તો?

જયરામ રમેશે યોજના પર ઉઠાવ્યા સવાલ

અટલ પેન્શન યોજના સામે આંગળી ચીંધવાની શરૂઆત કોંગ્રેસ (Congress) તરફથી થઈ છે. જયરામ રમેશે (Jairam Ramesh) યોજના પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘લગભગ એક તૃતીયાંશ સબસ્ક્રાઈબર, જેઓ યોજનામાં જોડાયા છે, પરંતુ તેમની મંજૂરી જ લેવામાં આવી નથી. અધિકારીઓએ પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે મંજૂરી લીધા વગર નામ જોડી દીધા છે. યોજનાના 83 ટકા સબસ્ક્રાઈબર 1000 રૂપિયાના પેન્શનના નાના સ્લેબમાં છે, તેથી આ લોકો ફિક્સ્ડ પેન્શનના કારણે મોંઘવારી સામે લડી શકતા નથી. આ યોજનાનું રિટર્ન પણ આકર્ષક નથી. આ યોજનાને યોગ્ય રીતે ડિઝાઈન કરાઈ નથી. આ યોજના ‘કાગળ પરનો વાઘ’ જેવી છે.’

નિર્મલા સીતારમને કોંગ્રેસ આપ્યો જવાબ

કોંગ્રેસ નેતાના આક્ષેપોનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) યોજનાના ફાયદા (Atal Pension Yojana Benefit) અંગે કહ્યું કે, ‘અટલ પેન્શન યોજનાને ગરીબો અને લોઅર મિડલ ક્લાસને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે. આ તે લોકો માટે સબસિડીવાળી યોજના છે. તેને શ્રેષ્ઠ વિચાર સાથે ડિઝાઈન કરવામાં આવી છે. યોજનામાં જોડાવા ઈચ્છુક લોકો પોતાની ઈચ્છા મુજબ પ્રીમિયમની પસંદગી કરી શકે તે રીતે ડિઝાઈન કરાઈ છે. તેઓ ઈચ્છે ત્યારે યોજના બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. યોજનામાં લગભગ ઓછામાં ઓછું 8 ટકા રિટર્ન મળે છે, જે ગેરેન્ટેડ રિટર્ન છે.

Surprised that @Jairam_Ramesh plays a spin doctor here.
You say:
“Finance Minister has admitted that the Atal Pension Yojana (APY) is coercive and forces people to enrol without their consent.”

When there is no coercion or force at all, where have I admitted any such!

Under…

— Nirmala Sitharaman (Modi Ka Parivar) (@nsitharaman) March 26, 2024

અટલ પેન્શન યોજના શું છે?

દેશના દરેક વર્ગના લોકો માટે વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા તરીકે પેન્શનનો લાભ મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગરીબ કે ઓછી આવક ધરાવતા 18 થી 40 વર્ષના લોકો કે જે કરદાતા નથી, તેમના માટે આ યોજનામાં રોકાણ કરવાથી યોજના હેઠળ રૂ. 1000 થી લઈને રૂ. 5000 સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શન રોકાણ કરેલી કિંમતના આધારે મળે છે.

રૂ. 5000 પેન્શન કઈ રીતે મળશે?

જો તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવવા ઈચ્છતા હોય તો તમારે 18 વર્ષની ઉંમરમાં જ રૂ. 210નું રોકાણ દર મહિને કરવાનું રહેશે. જો 40 વર્ષની ઉંમરે તમે પેન્શન માટે રોકાણ કરવાનું શરુ કરો છો તો તમારે રૂ. 1454 દર મહિને કરવાનું રહેશે. જેના લીધી તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવી શકો છો.

આ યોજનાનો લાભ કોણ લઇ શકે?

18 થી 40 વર્ષની ઉંમરના લોકો આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે. ઓકટોબર 2022માં યોજનાના નિયમોમાં ફેરફાર કરીને સરકારે આવકવેરો ભરતા લોકોને APYનો લાભ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે પતિ અને પત્ની બંને તેનો લાભ લઈ શકે છે. જો પતિનું મૃત્યુ થાય તો પત્નીને પેન્શનનો લાભ મળશે.

આ યોજનામાં કઈ રીતે રોકાણ કરી શકાય?

યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ યોજના માટે પોસ્ટઓફીસ કે બેંકમાંથી જ અરજી કરી શકાય છે. જે ફોર્મમાં તમારે નામ, આધાર, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો વગેરે જેવા તમામ દસ્તાવેજો ભરીના રહેશે. આ પછી બેંકમાં ફોર્મ સબમિટ કરો. KYC વિગતો આપ્યા પછી, તમારુ અટલ પેન્શન ખાતુ ખુલી જશે.

જો લાભાર્થી 60 વર્ષ પહેલા મૃત્ય પામે તો?

જો 60 વર્ષ પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થાય છે તો, તેમના જીવનસાથીને આ યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જો લાભાર્થીના જીવનસાથીનું પણ મૃત્યુ થાય છે તો આવા કિસ્સામાં તેના નોમીનીને રકમનો એકસાથે લાભ મળી જશે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: Atal Pension Scheme, Atal Pension Yojana Benefit, Finance Minister Nirmala Sitharaman, jairam ramesh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીએ ફરી ગુજરાતના ગરબાને કર્યા યાદ, યુનેસ્કોના સર્ટિફિકેટ સાથે તસવીરો શેર કરી
Next Article ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક દિવસથી આ મામલે થઇ રહ્યો છે વિવાદ, જાણો શું છે ઘટના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?