દેશ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના અમલીકરણના 8 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે, કેન્દ્ર સરકારે ‘GST પખવાડા’ નામનું એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જે 16 જૂનથી 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો હેતુ વેપારીઓ અને સામાન્ય લોકોને GST વિશે જાગૃત કરવાનો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. પરંતુ આ ઉજવણીની સાથે, GST રિટર્ન ફાઇલ કરવાના નિયમોમાં એક મોટો ફેરફાર થવાનો છે, જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
As part of the celebrations of #8YearsOfGST on 1st July 2025, all the CGST Commissionerates across States have set up Helpdesks to fast track and resolve any queries on GST at the GST Pakhwada from 16th-30th June 2025 👇 https://t.co/szGSkOmmFK
— Ministry of Finance (@FinMinIndia) June 16, 2025
‘GST પખવાડિયું’ શું છે? તમને શું ફાયદા થશે?
1 જુલાઈ, 2017 ના રોજ, ‘એક દેશ, એક ટેક્સ’ ના સૂત્ર સાથે દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. હવે તેના 8 વર્ષ પૂર્ણ થવા પર, સરકાર આ પખવાડિયું (15 દિવસનું અભિયાન) ઉજવી રહી છે.
હેલ્પડેસ્કની સ્થાપના: દેશભરમાં સેન્ટ્રલ GST (CGST) ઓફિસોમાં હેલ્પડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. જો તમને GST સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા કંઈક જાણવા માંગતા હો, તો તમે અહીં મદદ લઈ શકો છો.
જાગૃતિ અભિયાન: આ સમય દરમિયાન, સરકાર લોકોને GST ના ફાયદા અને નિયમો વિશે જાગૃત કરશે.
જુલાઈ 2025થી GST રિટર્ન ફાઇલિંગમાં મોટો ફેરફાર: હવે ભૂલની કોઈ માફી નહીં!
ભારત સરકાર અને GST નેટવર્ક (GSTN) દ્વારા GST રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયામાં અભૂતપૂર્વ બદલાવ લાવવામાં આવ્યો છે, જે જુલાઈ 2025થી અમલમાં આવશે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટેક્સ ચોરી અટકાવી શકાય અને વ્યવસાયિક ચુસ્તતા વધુ સઘન બને.
GSTR-3B હવે ફેરફાર નહીં રહેશે
હવે ટેક્સપેયર્સ માટે GSTR-3B ફાઇલ કર્યા પછી તેમાં ફેરફાર કરવાની સુવિધા નહીં હોય. આ ફોર્મ GSTR-1ના આધાર પર આપમેળે ભરાશે અને તમે તેમાં મેન્યુઅલ એડિટિંગ નહીં કરી શકો.
ફેરફાર કરવા હોય તો હવે GSTR-1Aમાં પહેલાંથી જ સુધારો કરવો પડશે.
GST રિટર્ન ફાઇલિંગ માટે નવી 3 વર્ષની સમયમર્યાદા
2025થી નવા નિયમો મુજબ:
-
કોઈપણ GSTR રિટર્ન (GSTR-1, GSTR-3B, GSTR-9 વગેરે) હવે તેની નિર્ધારિત તારીખથી માત્ર 3 વર્ષની અંદર જ ફાઇલ કરી શકાશે.
-
3 વર્ષ પછી તમારું રિટર્ન કાયમ માટે લોક થઈ જશે — તેનો અર્થ એ કે તમે તેને ક્યારેય ફરીથી ફાઇલ નહીં કરી શકો.
CBIC ની ચેતવણી: જૂના રિટર્ન તરત ફાઇલ કરો!
કેન્દ્રીય કર વિભાગે (CBIC) તમામ વ્યવસાયિકોને અપીલ કરી છે કે તેઓ તરત:
-
તેમના જૂના રેકોર્ડ ચેક કરે.
-
કોઈ બાકી રિટર્ન છે તો જુલાઈ 2025 પહેલાં ફાઇલ કરી દે.
-
નહીં તો, તેઓ પરમનેન્ટ લોકઆઉટ થઈ શકે છે અને તેમને આગામી સમયમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ ફેરફારોથી શું મળશે?
રિટર્નમાં ચોકસાઈ
ટેક્સ કરચોરી અટકાવશે
ટેક્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે
વ્યવસાયોમાં અનુશાસન આવશે