ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3 આરોપીઓને સજાનું એલાન કરશે.
#WATCH | Uttarakhand: Parents of Ankita Bhandari arrive at the Kotdwar court, which is set to pronounce its verdict today in the Ankita Bhandari murder case of September 2022.
Advocate Ajay Pant, representing Ankita Bhandari, said, "The evidence presented in this case is… pic.twitter.com/TlDcPluEct
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 30, 2025
શું હતો અંકિતા ભંડારી હત્યા કેસ
ઉત્તરાખંડના ઋષિકેશ નજીક વંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતાની સપ્ટેમ્બર 2022માં રિસોર્ટના સંચાલક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાએ કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી નાખી હતી.
અંકિતાની કેમ હત્યા કરાઈ
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંકિતાએ રિસોર્ટમાં ‘VIP’ મહેમાનને ‘વધારાની સેવા’ (સેક્સ) પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો અને તેથી આરોપીઓએ તેની હત્યા કરી નાખી હતી.