click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી.
Gujarat

નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા.જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાયે યોજાઈ.

Last updated: 2023/08/07 at 5:08 પી એમ(PM)
One India News Team
Share
7 Min Read
SHARE

આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાની એક બહુમૂલ્ય ઓળખ એટલે જિલ્લાનો વન વિસ્તાર છે, ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના સૂત્રને સૌ સાથે મળી સહિયારા પ્રયાસોથી સાર્થક કરીએ.

જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે વૃક્ષોની મહત્વની ભૂમિકા, આપણા વન વિસ્તારને સાચવી રાખવાની આપણાં સૌની જવાબદારી બને છે.

વન્ય સંપદાનું આપણે સૌ જતન કરી ભાવી પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપીએ.

પોઈચા રોડ તથા નરખડીથી નર્મદા પુલ સુધી રોડ સાઈડમાં પરિપક્વ થયેલા વૃક્ષોની હરાજીમાંથી  મળેલી રકમના રૂપિયા ૧૫.૯૨ લાખનો ચેક નાંદોદ તાલુકાના વિકાસ માટે અર્પણ કરાયો.

DCP અને SHG ગૃપ નર્સરીના ૬૪ ખેડૂત લાભાર્થીઓને રૂપિયા ૨૮.૮૦ લાખની રકમ વળતર પેટે ચૂકવાઈ : સામાજિક વનિકરણ વિભાગની અંગભૂત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૩૫ લાભાર્થીઓને નિર્ધુમ ચુલા અર્પણ કરાયા

અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોના છોડનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષરથને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.

નર્મદા  જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી નાણાકીય વ્યવસ્થાપન-ગાંધીનગરના શ્રી એન.શ્રીવાસ્તવ(IFS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી મિતેશભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

જિલ્લાકક્ષાના કર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, આપણા દેશમાં વન મહોત્સવની પહેલ વહેલી શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી જે આજે પણ અવિરત ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પહેલને ગુજરાતમાં વર્ષ ૨૦૦૪થી વધુ વેગવંતી બનાવી સાંસ્કૃતિક વનોના નિર્માણ માટેનું આહવાન કર્યું હતું. જેના કારણે આજે ૨૨ જેટલાં સાંસ્કૃતિક વનો ગુજરાતમાં અસ્તિત્વમાં આવ્યા અને હજી ગઈ કાલે જ ૨૩મું સાંસ્કૃતિક વન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પાસે ખુલ્લું મુકાયું છે.

ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના સૂત્રને સાર્થક કરવાની અપીલ સાથે જિલ્લા પ્રમુખ શ્રીમતી વસાવાએ ઉમેર્યું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં ફેરફાર જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ સામે ઉભી છે ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાની એક બહુમૂલ્ય ઓળખ એટલે જિલ્લાનો વન વિસ્તાર છે. જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે તેથી જ આપણા નર્મદા જિલ્લાના વન વિસ્તારને સાચવી રાખવાની આપણાં સૌની જવાબદારી છે. વન્ય સંપદાનું આપણે સૌ જતન કરી ભાવી પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપીએ તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લામાં ભૂતકાળમાં વન વિસ્તારોમાં નિષ્ઠા પૂર્વક કામ કરી નિવૃત્ત થયેલા વન વિભાગના અધિકારીઓ-કર્મીઓને બિરદાવી જણાવ્યું કે,  વનમાં જેનો ઉછેર થાય તે સાચા અર્થમાં વનનું મહત્વ સમજી શકે છે. પર્યાવરણ સાથે માનવ જીવન ઓતપ્રોત થયેલું હોય છે. વૃક્ષ અને માનવી એક સિક્કાની બે બાજુ છે. આજે વિશ્વ કક્ષાએ વન સૃષ્ટીની જાળવણી માટે અને વૃક્ષોના ઉછેર માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જ કુદરતે આપેલી ભેટને કોઈપણ પ્રકારે નુકશાન ન થાય તે જોવાની આપણા તમામ નાગરિકોની ફરજ બને છે. જેટલાં વૃક્ષો વાવીએ તેમાંથી મહત્તમ વૃક્ષોનો ઉછેર થાય તે જોવાની પણ આપણી જવાબદારી બને છે.

વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી વનવિસ્તારોની સતત ચિંતા કરે છે. પણ આપણી આસપાસ રહેલા વનોની ચિંતા આપણે પણ કરવાની છે. સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વન વિસ્તાર નર્મદા જિલ્લામાં છે એમ કહીએ તો કંઈ ખોટું નથી પણ હજી તેને વધુ સમૃદ્ધ અને હરિયાળું બનાવવનું છે જેથી વન વિસ્તારો ઉપર નભતા મુંગા પશુઓને ફળ-ફૂલ અને પુરતો ખોરાક મળી રહે અને મનુષ્યને પણ સિઝન પ્રમાણેના ફળો વનમાંથી મળી શકે તેમ તેઓએ કહ્યું હતું.

રાજપીપલા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી  એન. શ્રીવાસ્તવે પણ વન સંપદાઓની જાળવણી, સંવર્ધન, વૃક્ષ ઉછેર અને જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશો થકી સ્થાનિક લોકોને મળી રહેતા રોજગારીના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં પ્રેરક ઉદબોધન કર્યું હતું.

નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના રાજુવાડિયા ખાતે વિવિધ સુવિધાઓ સાથેના પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ નવાપરા નીકોલી ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધાર્મિક મહત્વ ધરાવતા 151 વૃક્ષોનું પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડી સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના  અધ્યક્ષા શ્રીમતી મમતાબેન તડવી, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, ડિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, સ્થાનિક અગ્રણી અનિરૂદ્ધસિંહ ગોહિલ,  વિક્રમભાઈ તડવી, જિલ્લાના લાભાર્થીઓ, વન વિભાગના અધિકારીશ્રી-કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પોઈચા રોડ તથા નરખડીથી નર્મદા પુલ સુધી રોડ સાઈડમાં પરિપક્વ થયેલા વૃક્ષોની હરાજી કરવામાં આવી હતી, જેમાંથી મળેલી રકમ પૈકી ૧૫.૯૨ લાખ રૂપિયાનો ચેક નાંદોદ તાલુકાના વિકાસ કાર્યો માટે તાલુકા પ્રમુખને અર્પણ કરાયો હતો. ખેડૂત લાભાર્થીઓને તેઓના ખેતરમાં નર્સરી ઉછેર માટે સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત DCP અને SHG ગૃપ નર્સરીના ૬૪ લાભાર્થીઓને ૮.૪૦ લાખ રોપા વન મહોત્સવ હેઠળ ઉછેર કરતા કુલ ૨૮.૮૦ લાખની રકમ વળતર પેટે ચૂકવવામાં આવી રહી છે જે પૈકીના ૪ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે મંચ પરથી ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સામાજિક વનિકરણ વિભાગની અંગભૂત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૩૫ લાભાર્થીઓને રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના ૩૫ નિર્ધુમ ચુલા અર્પણ કરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણ સાથે સંકળાયેલી અને લોકભાગીદારીથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનું કામ કરતી ચાર સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, વન્ય સંપદાઓની જાળવણી કરતા વ્યક્તિઓ, વનપાલ-વનરક્ષક, વન કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોના છોડનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.

 

રીપોટૅર-શૈશવ રાવ રાજપીપળા

You Might Also Like

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા

TAGGED: Forest Festival, Narmada, Narmada Collector

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિદેશી રોકાણના પ્રવાહમાં મહારાષ્ટ્ર ફરી ટોચના સ્થાને આવ્યું : મુખ્ય મંત્રી એકનાથ શિંદે.
Next Article કચ્છનાં સરહદી ગામોમાં અસ્પષ્ટ માહોલ, અજ્ઞાત ભય, અજાણ્યાના ઉપદ્રવ વચ્ચે 75 ગામોમાં 80% હિંદુઓનું સ્થળાંતર.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ
Gujarat મે 21, 2025
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
Gujarat મે 21, 2025
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
Gujarat મે 21, 2025
ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
Gujarat મે 21, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?