click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું
Gujarat

પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું

PM મોદીએ 87 વર્ષીય પોપ ફ્રાન્સિસને ગળે લગાવ્યા અને હળવાશથી વાતો કરતા જોવા મળ્યા, મોદીએ વેટિકન ચીફ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, હવે જોવાનું એ રહે છે કે, પોપ ફ્રાન્સિસ આવે છે કે નહીં અથવા તેઓ ક્યારે આવે છે ?

Last updated: 2024/06/15 at 5:22 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

PM મોદીએ શુક્રવારે G7 સમિટમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. એવી અપેક્ષા છે કે, આ વખતે પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવશે. PM મોદીએ 87 વર્ષીય પોપ ફ્રાન્સિસને ગળે લગાવ્યા અને હળવાશથી વાતો કરતા જોવા મળ્યા. PM મોદી દ્વારા પોપ ફ્રાન્સિસને પણ વર્ષ 2016 અને 2021માં ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે આવ્યા નહોતા. આ વખતે પણ PM મોદીએ વેટિકન ચીફ પોપ ફ્રાન્સિસને ઈટાલીમાં G7 સમિટ દરમિયાન ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, પોપ ફ્રાન્સિસ આવે છે કે નહીં અથવા તેઓ ક્યારે આવે છે. જો તે આવે છે તો તે હિંદુ બહુમતી રાષ્ટ્રની તેમની પ્રથમ મુલાકાત હશે.

Contents
મોદી પહેલા કયા પૂર્વ PM તેમને મળ્યા છે?કેટલા પોપે ભારતની મુલાકાત લીધી ?પોપનું ભારત આવવાનું આમંત્રણ કેટલું મહત્વનું ?

ઇટાલીના અપુલિયામાં G7 સમિટના ‘આઉટરીચ સેશન’માં PM મોદી અને પોપ ફ્રાન્સિસ ઉષ્માભર્યા મળ્યા હતા. PM મોદીએ કહ્યું કે, હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને સુધારવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. તેમજ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ પોપ ફ્રાન્સિસે પણ આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન પરના ‘આઉટરીચ સેશન’માં તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, AIનો વધુ સારો ઉપયોગ કરવો તે આપણામાંના દરેક પર નિર્ભર છે.

Met Pope Francis on the sidelines of the @G7 Summit. I admire his commitment to serve people and make our planet better. Also invited him to visit India. @Pontifex pic.twitter.com/BeIPkdRpUD

— Narendra Modi (@narendramodi) June 14, 2024

મોદી પહેલા કયા પૂર્વ PM તેમને મળ્યા છે?

તમને જણાવી દઈએ કે, PM મોદી રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસને મળનારા ભારતના પાંચમા વડાપ્રધાન છે. PM મોદી પહેલા પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ઈન્દર કુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયી પોપને મળ્યા હતા. જ્યારે PM મોદી 2021 માં G20 સમિટ માટે રોમની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ પોપ ફ્રાન્સિસને પણ મળ્યા હતા અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ વર્ષ 2016માં પણ ભારત આવવાના હતા પરંતુ તે થઈ શક્યું નહીં. પોપ ફ્રાન્સિસની વાત કરીએ તો તેમણે હજુ સુધી ભારતની મુલાકાત લીધી નથી. ભારતની મુલાકાત લેનારા છેલ્લા પોપ જ્હોન પોલ II હતા જેઓ એશિયામાં ચર્ચ પર એક પોપ દસ્તાવેજ બહાર પાડવા માટે 1999માં નવી દિલ્હી આવ્યા હતા.

કેટલા પોપે ભારતની મુલાકાત લીધી ?

મોદીની પહેલા જે પોપને મળ્યા હતા તે અટલ બિહારી વાજપેયી હતા જેઓ 2000માં વેટિકન ખાતે જોન પોલ II ને મળ્યા હતા. અત્યાર સુધીમાં પોપ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની મુલાકાત લેનાર પ્રથમ પોપ પોપ પોલ VI હતા, જેઓ 1964માં ઈન્ટરનેશનલ યુકેરિસ્ટિક કોંગ્રેસમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. પોપ જ્હોન પોલ II એ ફેબ્રુઆરી 1986માં અને ફરીથી નવેમ્બર 1999માં ભારતની મુલાકાત લીધી હતી. જોકે પોપ ફ્રાન્સિસ હજુ સુધી ભારતની મુલાકાતે આવ્યા નથી. પરંતુ તેમણે ભારતના પડોશી દેશો બાંગ્લાદેશ અને મ્યાનમારની મુલાકાત લીધી છે.

પોપનું ભારત આવવાનું આમંત્રણ કેટલું મહત્વનું ?

હવે સવાલ એ છે કે, પોપને ભારત આવવાનું આમંત્રણ કેટલું મહત્વનું છે તે અંગે વાત કરીએ તો ભારત એશિયામાં બીજા નંબરની સૌથી મોટી કેથોલિક વસ્તી ધરાવતો દેશ છે. વાસ્તવમાં ભારતમાં રોમન કેથોલિકોની સંખ્યા 20 મિલિયનથી વધુ છે. હિંદુ અને ઇસ્લામ પછી ખ્રિસ્તી ધર્મ ભારતમાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ફિલિપાઈન્સ પછી એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કૅથલિકોની વસ્તી સૌથી વધુ છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પોપની આ મુલાકાત ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના આગમનથી ખ્રિસ્તીઓ અને પાદરીઓમાં ખુશીની લહેર જોવા મળશે. આ ભારતની વસ્તીના દોઢ ટકા જેટલી છે. ભારતના ચર્ચ અને પાદરીઓ પણ લાંબા સમયથી પોપની રાહ જોઈ રહ્યા છે. પાદરીઓએ PM મોદીને પોપને ભારત આવવાનું આમંત્રણ આપવા વારંવાર વિનંતી કરી છે.

આ તરફ હવે જો આપણે પોપને આમંત્રિત કરવાના અર્થને રાજકીય દૃષ્ટિકોણથી જોઈએ તો પોપ ફ્રાન્સિસ ભારત આવે તો તે મોદી માટે એક સફળતા ગણાશે કારણ કે પોપ ફ્રાન્સિસ હજુ સુધી ભારતની મુલાકાતે આવ્યા નથી. ભારતમાં ખ્રિસ્તીઓ પર વારંવાર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમનું ભારત આવવું ઘણી ધારણાઓને તોડી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આર્થિક રીતે પ્રગતિ કરી છે. વિશ્વના અન્ય દેશો સાથે પણ સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. પોપની ભારત મુલાકાત વિશ્વને પણ સંદેશ આપશે. પોપ યુરોપિયન દેશો અથવા ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશોમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાજકીય પ્રભાવને પણ પ્રભાવિત કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની ભારત મુલાકાતથી ભારતની વૈશ્વિક છબી વધુ સુધરશે. તેમજ કેરળમાં 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેરળમાં ખ્રિસ્તી મતદારોની સંખ્યા લગભગ 20 ટકા છે. આવી સ્થિતિમાં જો પોપ ભારતની મુલાકાતે આવે તો કેરળની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત તેમની ભારત મુલાકાત એ સંદેશ પણ આપશે કે મોદી સરકાર ખ્રિસ્તી સમુદાય પ્રત્યે કેટલી ગંભીર છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: @india, pm modi, Pope Francis

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એશિયા-પેસિફિકમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે
Next Article સિક્કિમમાં કુદરતનો પ્રકોપ: મુશળધાર વરસાદ, ભૂસ્ખલનથી 9 મોત, 1200થી વધુ પ્રવાસી ફસાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?