પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું ‘ઓપરેશન સિંદૂર’ મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના અહેવાલો આવ્યા હતા, જેના પછી ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાગુ કરવો પડ્યો હતો, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સે તેના મુસાફરો માટે એક મોટી મુસાફરી એડવાઝરી જારી કરી છે.
#TravelAdvisory
In view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.
We are monitoring the situation and will keep you updated.
For more…
— Air India (@airindia) May 12, 2025
આ 5 શહેરોમાં ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ નહીં થાય
એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિમાનો 13 મેના રોજ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટમાં ગ્રાઉન્ડેડ રહેશે. જેનો અર્થ એ થયો કે આજે આ 5 શહેરોમાં ઇન્ડિગો એરલાઇન્સની કોઈ ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ નહીં થાય.
#6ETravelUpdate pic.twitter.com/KnJYNZgOhF
— IndiGo (@IndiGo6E) May 12, 2025
ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે
જમ્મુ-કાશ્મીરમાં આજથી શાળાઓ ખુલશે
બીજી તરફ, 4 દિવસ બંધ રહ્યા બાદ, સરહદી વિસ્તારો સિવાય જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં આજથી શાળાઓ ખુલશે. આજે જે જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે તેમાં કુપવાડા અને બારામુલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે, બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં પણ આજે શાળાઓ બંધ રહેશે. પાકિસ્તાની હુમલાથી બાળકોને બચાવવા માટે, આ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.