click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
Gujarat

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે

Last updated: 2025/06/23 at 3:41 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના કારણે ઈરાન ગિન્નાયું છે. ઈરાનની સંસદ દ્વારા હોર્મુઝની ખાડી બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે આકરાપાણીએ થયેલું ઈરાન ગમે ત્યારે હોર્મુઝ સમુદ્રમાર્ગ બંધ કરી શકે છે. જો આ ખાડીનો જળમાર્ગ બંધ કરવામાં આવ્યો તો જગતમાં ક્રૂડની ખૂબ જ મોટી તાણ ઊભી થશે. તેના કારણે ક્રૂડના ભાવ અધધ વધી જશે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ભડકો થઈ શકે છે.

Contents
ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે હોર્મુઝની ખાડીની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છેદરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ આ જળમાર્ગે વિશ્વ સુધી પહોંચે છે

ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે 

ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી બંધ કરવામાં આવે તો વિશ્વનું તો માત્ર 20 ટકા ક્રૂડ અટકે તેમ છે પણ ભારતનું તો 40 ટકા ક્રૂડ અટકી જાય તેવું છે. ભારત દ્વારા પોતાની જરૂરિયાતનું 90 ટકા ક્રૂડ આયાત કરવામાં આવે છે. તેમાંથી 40 ટકા ક્રૂડ આ રસ્તે આવે છે. હોર્મુઝની ખાડીના રસ્તે ભારત દરરોજ 20 લાખ બેરલ ક્રૂડની આયાત કરે છે. ઈરાન, ઈરાક, સાઉદી, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આ ક્રૂડ આવે છે. દરરોજ ભારતનું 55 લાખ બેરલ ક્રૂડ આયાત થાય છે તેમાંથી 20 લાખ બેરલ આ રસ્તે આવે છે. આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો ભારતમાં ક્રૂડની અછત સર્જાઈ શકે તેમ છે. આ અછત સર્જાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થાય તેમ છે. આ સિવાય જો બીજા રસ્તેથી ક્રૂડની આયાત કરવામાં આવે તો ભારતના ખર્ચમાં તોતિંગ વધારો થઈ જાય છે. હોરમુખની ખાડીએથી દરેક દેશો ક્રૂડની આયાત કરતા રહે છે. જો ઈરાન દ્વારા આ રસ્તો બંધ કરી દેવાય તો તમામ જહાજોને આફ્રિકા થઈને આવવું પડે. તેમાં જહાજનો ખર્ચ 300થી 400 ટકા વધી જાય તેવું અનુમાન છે.

હોર્મુઝની ખાડીની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે

હોર્મુઝ નો જળમાર્ગે માત્ર એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. ઈરાને હાલ આ રસ્તો બંધ કર્યો નથી પણ કરે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, 33 કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે પણ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ બંધ થવાથી વિશ્વને મોટું નુકસાન થવાનું જ છે સાથે સાથે ભારતની હાલત પણ કફોડી થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભારતની ક્રૂડની આયાતને પણ મોટો ફટકો પડી શકે તેમ છે.

દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ આ જળમાર્ગે વિશ્વ સુધી પહોંચે છે

આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે. દુનિયાનું 20 ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી 83 ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન, જામાન જેવા એશિયાના દેશઓ સાથે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ આ રસ્તેથી જ આયાત કરે છે. તેમાં ઈરાન સહિતના મધ્ય પૂર્વના ખાડી દેશઓના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે. અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ 30 થી 50 જેટલા મોટા જહાજો નીકળે છે જે ક્રૂડ સપ્લાય કરે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ સરેરાશ 75 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેની અસર ક્રૂડ ઉત્પાદન અને સપ્લાય ઉપર પડી તો ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 100 થી 120 ડોલર પહોંચી શકે છે. તેના કારણે પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને અન્ય ઈંધણો ઉપર પણ અસર પડી શકે છે. તેના ભાવમાં મોટો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેનાથી વૈશ્વિક ફુગાવો પણ વધશે. જાણકારો માને છે કે, ઓપેક અને વૈશ્વિક ક્રૂડ બજાર માટે આ જળમાર્ગ બંધ ન થાય તે ખૂબ જ મહત્ત્વનું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા

શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ

ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ

બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન

TAGGED: @india, america, America - India, Crude oil, Crude Oil Internationally, india news, international news, IRAN, isreal, latest news, oneindianews, Strait of Hormuz, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન, ઈરાન, પરમાણુ ઊર્જા કેન્દ્રો, ભારત, હોર્મુઝ, હોર્મુઝની ખાડી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
Next Article સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
Gujarat Navsari જૂન 23, 2025
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
Gujarat Narmada જૂન 23, 2025
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
Gujarat જૂન 23, 2025
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
Ahmedabad Gujarat જૂન 23, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?