click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ
Gujarat

ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ

અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વહેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે.

Last updated: 2025/04/04 at 11:19 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. માતા સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે લવ અને કુશની જવાબદારી ઉમિયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉવા અને કુશના વંશજો કડવા કહેવાયા તે કડવા પાટીદાર સમાજના કુળદેવી એટલે ઊંઝામાં બિરાજમાન મા ઉમિયા. ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વહેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે.

Contents
ઉમિયા માતાજી મંદિરની વિશેષતાઓ:ઊંઝા શહેરમાં બિરાજમાન મા ઉમિયામાતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતના મોટા મઢનો ગોખ

ઉમિયા માતાજી મંદિરની વિશેષતાઓ:

  • આધ્યાત્મિક મહત્ત્વ: ઉમિયા માતાજી પાટીદાર સમાજ માટે માતૃશક્તિનું પ્રતિક છે.

  • સ્થળની લોકપ્રિયતા: ઉંઝા શહેર જીરાના સૌથી મોટા વેપાર માટે જાણીતું છે અને અહીં ગુજરાત તેમજ ભારતભરના ભક્તો ઉમિયા માતાના દર્શન કરવા આવે છે.

  • વૈશ્વિક પ્રસાર: માત્ર ઉંઝા જ નહીં, પરંતુ દુનિયાભરમાં વસેલા પાટીદારો માટે ઉમિયાધામ એક પવિત્ર તીર્થસ્થાન છે.

  • પરિવાર અને સંસ્કૃતિ: ઉમિયા માતાજી મંદિરે પાટીદાર સમાજને જોડવાની ભૂમિકા નિભાવેલી છે અને સામૂહિક લગ્ન, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

કડવા પાટીદારની કુળદેવી જગત જનની આદ્યશક્તિ મા ઉમિયાદેવીએ આદ્યશકિત સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પૌરાણિક કથા અનુસાર માતા સીતા ઉમિયા માતાજીના પરમ ભક્ત હતા અને જ્યારે તેઓ પૃથ્વીમાં સમાયા ત્યારે તેમણે લવ અને કુશની જવાબદારી ઉમીયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉઆ અને કુશના વંશજો કડવા કહેવાયા. કડવા પાટીદાર સમાજ મા ઉમિયાની ભક્તિ અને આરાધના કરે છે જેના ફળ સ્વરૂપે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલુ મા ઉમિયાનું ભવ્ય મંદિર ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બન્યું છે.

ઊંઝા શહેરમાં બિરાજમાન મા ઉમિયા

જુદા જુદા યુગમાં જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ મા ઉમિયાએ આસુરી શક્તિઓનો નાશ કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યું. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાળી ઉમિયા માતાના જ સ્વરૂપ છે. જગતમાં જ્યાં શક્તિનો વાસ છે ત્યાં મા ઉમિયાનો પ્રભાવ છે. માતાજી શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે. યુપી, બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહ યુદ્ધમાં હાર્યા પછી પોતાના સૈનિકો સાથે માતૃશ્રાદ્ધ માટે ગુજરાત આવ્યા ત્યારે તેમને સ્વજાતી ભાઈઓનો મેળાપ થયો. તેમના સ્વજાતી ભાઈઓએ ઉંઝા રોકાઈ જવા આગ્રહ કર્યો અને તે કાયમી અહિં જ સ્થાયી થયા હતા. રાજા વ્રજપાલ સિંહે મંદિર બનાવી સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી તેમાં ઘી ભરી મોટો યજ્ઞ કર્યો હતો. એક દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી. વેદકાલથી મા ઉમિયાની પૂજા અર્ચના થાય છે. ઘણી વાર ધ્વંશ કરવામાં આવેલા મા ઉમિયાના પૌરાણિક મંદિરનું આશરે 145 થી 150 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારે ફરી નિર્માણ કર્યુ હતુ. ધન ધાન્ય અને સમૃદ્ધિની દેવી તરીકે વેદોમાં પૂજાતી ઉષા દેવી એટલે જ મા ઉમિયાદેવી.

માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતના મોટા મઢનો ગોખ

માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતનો મોટો મઢ છે ત્યાં માતાજીના ગોખમાં મૂર્તિને સાચવીને રાખવામાં આવી છે. ગોખવાળી માના દર્શન કરી સૌ કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના દર્શને દરેક જ્ઞાતિ લોકો આવે છે. ભાવિકો સુખ શાંતિ, વિદેશ ગમન, સંતાન પ્રાપ્તિ જેવી મનોકામના લઈ માતાજીના શરણે આવે છે. પાટીદાર સમાજના નવપરણિત દંપતિ મા ઉમિયાના ધામે આવી માતાજીના દર્શન કરી તેમનુ લગ્નજીવન સુખી સંપન્ન રહેવાની મનોકામના કરે છે. ઉમિયાધામ મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. દર આસો સુદ આઠમના રોજ મા ઉમિયાના મંદિરે પલ્લી ભરાય છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે માતાજીના જન્મોત્સવને પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અને વૈશાખ સુદ પૂનમના દિવસે મંદિરથી ભવ્ય નગરયાત્રા નીકળી આખા ઉંઝા શહેરમાં ફરે છે. ઉમિયા માતાજી મંદિરનું ટ્રસ્ટ માતા સંસ્થાન તરીકે ઓળખાય છે. માતા સંસ્થાન ધાર્મિક અને અને સામાજિક કાર્યો પણ કરે છે. માતા સંસ્થાને હરિદ્વારમાં કરોડોના ખર્ચે આશ્રમ બનાવ્યો છે. જેનો લાભ હરિદ્વાર જતા ભક્તો લે છે. ઉમિયા માતા સંસ્થાન જુદી જુદી જગ્યાએ કથા વાંચનનું આયોજન કરે છે. સંસ્થાને જુદા જુદા શહેરોમાં આશ્રમ બનાવ્યા છે જેનો લાભ દર્શનાર્થે જતા ભાવિકો થાય છે. ઉમિયા માતાજી સંસ્થાનમાં ભક્તોને રહેવા જમવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. ભક્તોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે વર્ષે લાખો ભાવિકો ઉમિયાધામ આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Dev Darshan, latest guajrti news, Maa Umiya, Mehsana, oneindia, the primal power, topnews, Umiya Mataji Temple, Umiya Mataji', Unjha, Unjha Umiya Mataji, ઉમિયા માતાજી, મહેસાણા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ‘કડાકો’, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યો
Next Article બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?