click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ
Gujarat

ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ

ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.

Last updated: 2024/04/15 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે  ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝ અને ઈરાની વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દુલ્લાયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.

Contents
ઈરાન દ્વારા કબજે કરાયેલ કાર્ગો જહાજ17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માગઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે કરી વાતમુત્સદ્દીગીરીના માર્ગે પાછા ફરવાની અપીલડ્રોન અને મિસાઈલોનો નાશ કર્યો

તમને જણાવી દઈએ કે ઈરાને 1 એપ્રિલના રોજ દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હવાઈ હુમલામાં બે જનરલ સહિત સાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોના મોત થયાની ઘટનાના જવાબમાં શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા.

ઈરાન દ્વારા કબજે કરાયેલ કાર્ગો જહાજ

શનિવારના રોજ ઈરાનની સેનાએ હોર્મુઝની સ્ટ્રેટ નજીક ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ-ધ્વજવાળા જહાજ MSC Aries પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાન સાથે સંપર્કમાં છે.પોર્ટુગીઝ-ધ્વજવાળા જહાજ MSC Aries પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાન સાથે સંપર્કમાં છે.

17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માગ

વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે તેમના ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે વાત કરી અને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજમાં સવાર 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માગ કરી છે. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન-ઈઝરાયેલ દુશ્મનાવટના સંદર્ભમાં વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. જયશંકરે ‘X’ પર કહ્યું કે, તેમણે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. એમએસસી એરીઝના 17 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

EAM Dr S Jaishankar tweets, "Just concluded a conversation with Israel’s Minister of Foreign Affairs Israel Katz. Shared our concern at the developments yesterday. Discussed the larger regional situation. Agreed to stay in touch." pic.twitter.com/3wgKIBCjUs

— ANI (@ANI) April 14, 2024

ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે કરી વાત

એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, હમણાં જ ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત થઈ છે. મે શનિવારના વિકાસ પર મારી ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી અને સંપર્કમાં રહેવા સંમત થયા છે.

ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આનાથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જોખમમાં છે.

મુત્સદ્દીગીરીના માર્ગે પાછા ફરવાની અપીલ

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે મહત્વનું છે કે વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં આવે.

ડ્રોન અને મિસાઈલોનો નાશ કર્યો

તેમણે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા તણાવને ટાળવા સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંપર્કમાં રહેવા સંમત થયા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે અને તેના સાથીઓએ ઈરાન દ્વારા છોડવામાં આવેલા 300 થી વધુ ડ્રોન અને મિસાઈલોને અટકાવ્યા અને તેનો નાશ કર્યો.

 

You Might Also Like

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

TAGGED: @india, amidst war, Drones and missiles, Foreign Minister of Israel, IRAN, s jai shankar

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અયોધ્યામાં રામનવમીને લઈને નવી ગાઈડલાઈન જાહેર, VIP દર્શન પર ચાર દિવસ રહેશે લગાવ્યો પ્રતિબંધ
Next Article BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર,રાજનાથ સિંહે કહ્યું- મોદીની ગેરંટી સોના જેટલી ખરી છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ
Gujarat મે 17, 2025
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
Gujarat મે 17, 2025
વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Gujarat મે 17, 2025
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?