યુકે બાદ ભારતે હવે વધુ 4 યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. આ બધા દેશો સાથે હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સપ્ટેમ્બરથી અમલમાં આવશે
આ કરાર પછી સ્વિટ્ઝર્લૅન્ડથી લગભગ 94 ટકા માલ પર કોઈ આયાત શુલ્ક રહેશે નહીં અને જો બાકીના 4 દેશોનો સમાવેશ કરવામાં આવે તો ભારતમાં 85 ટકાથી વધુ માલ કોઈ ઈમ્પોર્ટ ડ્યૂટી નહીં લાગે. એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એ થયો કે હવે તમને સ્વિસ ઘડિયાળો અને ચોકલેટ જેવા માલ સસ્તા ભાવે મળશે. હાલમાં ભારત સ્વિસ ચોકલેટ પર 30 ટકા ડ્યુટી લાદે છે. જો આ કરાર થાય છે, તો આ ચાર્જ હટી જશે.
સ્વિત્ઝરલૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ
યુરોપના જે 4 દેશો સાથે આ કરાર પર એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, તેમાં સ્વિત્ઝરલૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરાર કરવાથી ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી ધરાવતા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે, જેમાં મોટા રોકાણો આવી શકે છે. તે મોટી વાત છે કે દેશમાં ટેકનોલોજી મોટા પ્રમાણમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના
વિદેશી ફાર્મા કંપનીઓ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી શકે છે. આ કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના છે. ફ્રી ટ્રેડ કરારની સૌથી મોટી વાત એ છે કે, આગામી 15 વર્ષમાં આ 4 દેશોની કંપનીઓ દેશમાં $100 બિલિયનનું રોકાણ કરી શકે છે.
સ્વિત્ઝરલૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ
યુરોપના જે 4 દેશો સાથે આ કરાર પર એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, તેમાં સ્વિત્ઝરલૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરાર કરવાથી ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી ધરાવતા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે, જેમાં મોટા રોકાણો આવી શકે છે. તે મોટી વાત છે કે દેશમાં ટેકનોલોજી મોટા પ્રમાણમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ કરારમાં એક શરત પણ છે કે, જો આ FDI નહીં આવે, તો ડ્યુટીમાં મળનારી છૂટ રદ્દ કરવામાં આવશે. ભારતથી આ દેશોમાં જતા 90 ટકા માલ પર આ દેશોમાં કોઈ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે, આ કરારમાં એગ્રીકલ્ચર પ્રોડેક્ટસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેનો ઉદ્દેશ્ય એ છે કે, ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.