click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .
Gujarat

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .

વધુ એક મુદ્દે આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે તકરાર વધી કેજરીવાલ લાંબો સમય સુધી જેલમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ રાખે તો ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે તેવી શક્યતા મારા પતિ લિકર પોલિસીના કેસને ખુલ્લો પાડશે, કોર્ટમાં તમામ પુરાવા રજુ કરવામાં આવશે : સુનિતા કેજરીવાલ

Last updated: 2024/03/28 at 11:56 એ એમ (AM)
One India News Team
Share
6 Min Read
SHARE

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૮મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં છે, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જેલમાં રહીને પણ સરકાર ચલાવશે. હવે આ મુદ્દે જવાબ આપતા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કહ્યું છે કે જેલમાંથી સરકાર નહીં ચાલે. હું દિલ્હીના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે. આ પહેલા ઇડીની કસ્ટડીમાંથી કેજરીવાલે પત્ર દ્વારા સરકારી કામનો આદેશ આપ્યો હોવાનો દાવો મંત્રી આતિશીએ કર્યો હતો. એવા સમયે ઉપરાજ્યપાલે આ નિવેદન આપ્યું છે. તેથી દિલ્હીમાં સરકાર ચલાવવા મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ વધ્યો છે.

બીજી તરફ ઇડીની ધરપકડ સામે કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે તેના પર સુનાવણી દરમિયાન કેજરીવાલે હાઇકોર્ટને અપીલ કરી હતી કે મને છોડી મુકવામાં આવે, આ ધરપકડને કોઇ માહિતી મેળવવા સાથે કઇ જ લેવાદેવા નથી, માત્ર મને અને મારા પક્ષને નિષ્ક્રિય બનાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં હાઇકોર્ટે કોઇ વચગાળાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. સાથે જ ઇડી પાસેથી ૨ એપ્રીલ સુધીમાં જવાબ પણ માગ્યો છે. તેથી હવે ત્રણ એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું હતું કે ૨૮મી માર્ચના રોજ મારા પતિ કેજરીવાલ તમામ આરોપો અંગે સત્ય બહાર લાવશે. કોર્ટમાં લિકર પોલિસી કેસનું સત્ય બહાર લાવવામાં આવશે. નાણાકીય માહિતી પણ જાહેર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જેલમાંથી દિલ્હીના નાગરિકો માટે વધુ એક સંદેશો મોકલ્યો છે, તેમના પત્નીએ આ સંદેશો વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે મારુ શરીર જેલમાં છે પણ મારી આત્મા જનતાની વચ્ચે છે. ૨૮મી તારીખે ઇડીની કસ્ટડી પુરી થવા જઇ રહી છે. ત્યાં હવે સીબીઆઇ કેજરીવાલને સકંજામાં લેવાની તૈયારીમાં છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે સીબીઆઇ કેજરીવાલની કસ્ટડીની માગણી કરશે. ઇડીની કસ્ટડીનો સમય પુરો થઇ જાય તે બાદ સીબીઆઇ કોર્ટમાં કેજરીવાલની કસ્ટડી માટે અરજી કરશે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલી હજુ પણ વધી શકે છે.

દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને સવાલ કરાયો હતો કે શું દિલ્હીની સરકાર હાલ જેલમાંથી ચલાવવામાં આવશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું દેશના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. એવા અહેવાલો સામે આવ્યા છે કે જો સીબીઆઇ પણ કેજરીવાલને કસ્ટડીમાં લે તો જેલમાંથી સરકાર ચલાવવાની મુશ્કેલ સાબિત થઇ શકે છે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રીનું પદ દિલ્હીના નાણા મંત્રી આતિશી અથવા તો કેજરીવાલના પત્ની સુનિતા સંભાળી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. જોકે આ અંગેનું ચિત્ર એક બે દિવસમાં સ્પષ્ટ થઇ શકે છે. જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ ના છોડે અને જેલમાંથી જ લાંબો સમય સુધી સરકાર ચલાવે તો ઉપરાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભલામણ કરી શકે છે. ઉપરાજ્યપાલ પોતાની ભલામણમાં કહી શકે છે કે કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીનો વહિવટ પોતાની જવાબદારીથી દૂર ના ભાગી શકે. તેઓ રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતાનેસાબિત કરી શકે છે. આ સ્થિતિમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી શકે છે.

અમેરિકી રાજદૂતને બોલાવીને જવાબ આપ્યો

કેજરીવાલની ધરપકડ પર સવાલો ઉઠાવવા બદલ યુએસને ભારતનું સમન્સ

કેજરીવાલની ધરપકડ ભારતનો આંતરિક મામલો, અમેરિકાએ દખલ દેવાની જરૂર નથી : ભારત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ અમેરિકાએ ટિપ્પણી કરી હતી. જેને પગલે ભારતે દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. અગાઉ આ જ પ્રકારના સમન્સ જર્મનીને પણ આપવામાં આવ્યા હતા. આ બન્ને દેશોએ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અમે આશા રાખીએ કે આ ધરપકડમાં કાયદાનું પાલન કરાશે. જોકે ભારતે જવાબમાં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એક દેશ અન્ય દેશ પાસેથી એવી આશા રાખતો હોય છે કે તે આંતરિક બાબતોમા દખલ ના દે. લોકશાહીવાળા દેશો માટે આ જવાબદારી વધી જાય છે. જો આ મર્યાદા જાળવવામાં ના આવે તો તેની અસર બન્ને દેશોના સંબંધો પર થઇ શકે છે. ભારતની ન્યાયિક પ્રક્રિયા સ્વતંત્ર ન્યાય પ્રણાલી પર નિર્ભર છે, જે યોગ્ય અને પારદર્શી ન્યાય માટે કટિબદ્ધ છે.

દરમિયાન અમેરિકાના ભારત સ્થિત રાજદૂતને સમન્સ પાઠવી જવાબ આપવા કહ્યું હતું. જેને પગલે અમેરિકી રાજદૂત અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક કલાક સુધી બેઠક યોજાઇ હતી. આ દરમિયાન ભારતે અમેરિકાના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ અમારો આંતરીક મામલો છે, તેથી તેમાં અમેરિકાએ કોઇ પણ પ્રકારની દખલ દેવાની જરૂર નથી. આ પહેલા જર્મની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.

કેજરીવાલનું સ્વાસ્થ્ય કથળ્યું, શુગર લેવલ ઘટી ગયું

દરમિયાન અરવિંદ કેજરીવાલનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેજરીવાલનું શુગરનું સ્તર સતત વધી ઘટી રહ્યું છે. એક સમયે તે ઘટીને ૪૬ પર આવી ગયું હતું. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે શુગરનું સ્તર આટલા નીચલા સ્તર પર જવું ખતરનાક સાબિત થઇ શકે છે. આ જાણકારી કેજરીવાલના પત્ની સુનિતાએ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે મે અરવિંદ કેજરીવાલની ઇડીની કસ્ટડીમાં મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે મને કહ્યું હતું કે મારુ શુગર ઘટી ગયું છે.

 

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: American Ambassador, Arvind Kejriwal, Kejriwal can't run government from jail, Kejriwal government, LG, Summons of India

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક દિવસથી આ મામલે થઇ રહ્યો છે વિવાદ, જાણો શું છે ઘટના
Next Article શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?