click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો
Gujarat

વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો

વાયનાડમાં સતત વરસાદને કારણે 4 કલાકમાં ત્રણ ભૂસ્ખલન થયા છે. જેના કારણે અનેક ગામો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. લગભગ 200 મકાનો ધરાશાયી થયા છે. સેનાએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Last updated: 2024/07/30 at 1:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ… કેરળના વાયનાડમાં આ તબાહીના  દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. સેના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સેનાના હેલિકોપ્ટર વાયનાડ માટે રવાના થયા છે. બીજી તરફ પીએમ મોદી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

Contents
 નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યાપીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે’

કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે 4 કલાકમાં 3 મોટા ભૂસ્ખલન થયા હતા. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે આ ગામોમાં સેંકડો મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાશ પામ્યા હતા. એકલા ચુરલમાલામાં 200 મકાનોને નુકસાન થયું છે.

 નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યા

મનોરમા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ જણાવ્યું કે અટ્ટમાલાના ગ્રામવાસીઓને નદીમાં 6 મૃતદેહ તરતા મળ્યા છે.  સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનથી ચૂરમાલા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં મકાનોની બહાર પાર્ક કરાયેલા વાહનો, દુકાનો અને મકાનો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેએસડીએમએ જણાવ્યું કે, ફાયર ફોર્સ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ ટીમો પણ વાયનાડ પહોંચી રહી છે. આ ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સને પણ બચાવકાર્યમાં મદદ માટે વાયનાડ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની  રહી છે.

પીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે’

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO)એ દક્ષિણ ભારતમાં ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પીએમઓએ પરિસ્થિતિ પર  નજર રાખી રહી છે અને રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વાયનાડના લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે

 

You Might Also Like

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા

TAGGED: 200 houses buried, floating in river, Landslide wreaks havoc, Wayanad

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વરસાદ બાદ નડિયાદની પરિસ્થિતિ
Next Article વધારે ગરમી હોય ત્યારે કેમ ફ્લાઈટ્સ કેન્સલ થાય છે, સરળ ભાષામાં સમજો તે પાછળનું વિજ્ઞાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ
Gujarat મે 21, 2025
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
Gujarat મે 21, 2025
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
Gujarat મે 21, 2025
ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
Gujarat મે 21, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?