આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ (અધ્યક્ષ, લોકમાતા અહલ્યા દેવી ત્રીજન્મશતાબ્દી ઉત્સવ સમિતિ ગુજરાત પ્રાંત અને ચાન્સેલર, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા) અને અતિથિ વિશેષ ડો. ભાગ્યેશભાઈ ઝા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વર્ષ દરમિયાન લોકમાતા દેવી અહલ્યાબાઈના જીવન અને કવનને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા તેમાં આ એક વિશેષ કાર્યક્રમ હતો. મંચસ્થ મહાનુભાવી એ જણાવ્યું કે પ્રાચીન ભારતીય મનીષાને પ્રત્યક્ષ જીવનમાં જીવી બતાવનાર પુણ્ય શ્લોક લોકમાતા અહલ્યા દેવી આપણા સૌના આદર્શ છે. આધારભૂત સંદર્ભો સાથે આવા તત્વો પ્રબુદ્ધ જન મહિલા જગત અને યુવા જગત સમક્ષ મૂકવાનો એક વિનમ્ર પ્રયાસ છે.
આ પુસ્તકમાં અહલ્યા દેવીના અનેક ઉચ્ચતમ ગુણો અને સમાજ જીવનને ખૂબ સુંદર રીતે આલેખવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારે ચિત્રો થી તેમના જીવનને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ગુજરાતની નવી પેઢીના સંસ્કાર અને શિક્ષણ માટે ખરેખર તો આ પ્રકારના પ્રેરણાદાયક તેમજ વૈચારિક પુસ્તકોની અત્યંત આવશ્યકતા છે. આ પુસ્તક સમાજના જન જન સુધી પહોંચે અને તેમના આદર્શ કર્તુત્વ થી આપણે પણ પ્રેરણા મેળવીએ તેવો પ્રયત્ન કરીએ. આ વિર્મોચન કાર્યક્રમમાં અનેક નામાંકિત લોકો પધાર્યા હતા.