click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે
Gujarat

મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે

નોઈઝ પોલ્યુશન લેવલ પણ માપવામાં આવ્યું મૂળ અરજદાર ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિને જે ફરિયાદ હતી એ સેક્ટર 5ની ઝાકરિયા મસ્જિદની પણ GPCBના અધિકારીઓએ સેક્ટર 7 પોકિસ ઇન્સ્પેક્ટરના પત્રને આધારે વિઝિટ કરી હતી, જેનું નોઈઝ પોલ્યુશન લેવલ પણ માપવામાં આવ્યું હતું, જે વધુ હતું, પરંતુ પિટિશનરે એનાથી તકલીફ હોવાનું નિવેદન આપવા ઇનકાર કર્યો હતો. ત્યારે અધિકારીઓએ મસ્જિદની ઓથોરાઇઝ વ્યક્તિને રિપોર્ટ આપીને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

Last updated: 2023/06/19 at 10:44 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરાયું હતું. એમાં સરકાર દ્વારા અઝાન માટે અથવા તો ધર્મિક કાર્યક્રમો માટે લાઉડસ્પીકર વાપરવું હોય તો એ માટે પરવાનગી લેવી જરૂરી છે તેમજ નોઈઝ પોલ્યુશન નિયમો અંતર્ગત દિવસ અને રાત્રિ દરમિયાન તેમજ કોમર્શિયલ તથા રહેણાક વિસ્તારમાં જે ડેસિબલ નક્કી કર્યા છે એનાથી વધારે જો અવાજ હોય તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા DySP કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે અરજદારના વકીલ દ્વારા આગામી સુનાવણીમાં આ લિસ્ટ જાહેર કરવામાં આવે એ મામલે રજૂઆત કરવામાં આવશે.

મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે PIL

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે અગાઉ એક PIL દાખલ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરના ક્લિનિક પાસે મસ્જિદમાં લાઉડસ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાન વગાડવામાં આવતી હોવાથી આ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવી રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો, જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન એ મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનું અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર અને માઇક્રોફોન એનાં અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે એ રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત એનો ઉપયોગ કરી શકાય નહીં.

લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજૂઆત

જોકે અરજદાર ડોક્ટરને લઘુમતી સંપ્રદાયના લોકો તરફથી ધમકીઓ મળતાં તેઓ PILમાંથી હટી ગયા હતા, પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ PILમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને બિરેન વૈષ્ણવની બેંચમાં ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લી સુનાવણી દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યે લાઉડસ્પીકરો પર અઝાન વાગતી હોવાની અને લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજૂઆત કરાઇ હતી. એ મુદ્દાના વીડિયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મુદ્દે હાઇકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામું રજૂ કરવા સરકારને આદેશ કર્યો હતો.

રાજ્ય સરકાર આ અંગેની નીતિ જાહેર કરશે

ત્યારે આજે રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પૂર્વમંજૂરી મેળવ્યા વિના લાઉડસ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. લાઉડસ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડે છે. સ્થાનિકોને અગવડ પડે એ રીતના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગેની નીતિ જાહેર કરશે. રહેણાક વિસ્તારમાં રાત્રે 45 ડેસિબલ અને દિવસે 55 ડેસિબલથી વધુ મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રહેણાક વિસ્તારમાં 45 ડેસિબલ સુધીનો જ અવાજ પરવાનગી પાત્ર બનશે. સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી 55 ડેસિબલ સુધીનો અવાજ રહેણાક વિસ્તારમાં પરવાનગી પાત્ર બનશે.

સરકારને લાઉડસ્પીકરવાળી મસ્જિદોનું લિસ્ટ આપ્યું

અરજદારના વકીલ દીપક શુક્લાએ જણાવ્યું હતું કે અરજદારની વારંવાર રજૂઆત અને કોર્ટના બે વખત હુકમ બાદ લાંબા સમયે સરકારે એફિડેવિટ દાખલ કરી છે. સરકારે એ વાતની કબૂલાત કરી છે કે લાઉડસ્પીકરની મંજૂરીમાં અઝાન કે અન્ય ધાર્મિક બાબતોમાં પણ પરવાનગી જરૂરી છે. કોર્મર્શિયલ કે રહેણાક વિસ્તારમાં નક્કી કરેલા ડિસેબલ કરતાં વધુ અવાજ હોય તો પગલાં લેવામાં આવશે, પરંતુ હજુ સુધી સરકારે કયાં પગલાં લીધાં? કેટલાં પગલાં લીધાં? કોણે મંજૂરી લીધી એ જણાવ્યું નથી. અમે સરકારને લાઉડસ્પીકરવાળી મસ્જિદોનું લિસ્ટ આપ્યું છે.

આવતી મુદતે અમે રિપ્લાય ફાઇલ કરીશું

સરકારે એફિડેવિટમાં ફરિયાદ કરવા અધિકારીઓના નામ અને નંબર આપ્યા છે. એ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા છે, પણ પ્રજાને ખબર નથી. આ વાતની જાણકારી પ્રજાને મળે, એનો સરકારે પ્રયત્ન કરવો જોઇએ. આવતી મુદતે અમે રિપ્લાય ફાઇલ કરીશું.

You Might Also Like

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત

ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

TAGGED: @bjpindia, gujarat government, gujarat high court, Loudspeaker, masjid

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં 1320 પશુઓ અને 1907 મરઘાના મોત, સરકાર 1.62 કરોડની સહાય આપશે
Next Article આણંદના ના સરકારી અધિકારી દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક રીતે નિરૂપણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Gujarat મે 10, 2025
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
Gujarat મે 10, 2025
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?