બોરસદ સૂર્યમંદિરમાં રથસપ્તમી, મહા સુદ સાતમના પાવન અવસરે સૂર્યોપાસનાના વિશેષ દિન નિમિત્તે બોરસદ સૂર્યમંદિર ખાતે વહેરા સીમ પ્રાથમિક શાળા અને લાયન્સ ક્લબ બોરસદ સિટીના ઉપક્રમે નાનકડાં ભૂલકાઓ દ્વારા ૧૦૮ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સંજયભાઈ પટેલ,સૂર્યમંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ કમલેશભાઈ સુખડિયા, કૃણાલભાઇ શર્મા,ડૉ.બ્રિજેશભાઇ પટેલ, બોરસદ બી.આર.સી.સી.નિકુંજભાઇ સોલંકી, પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્ય મનીષાબેન પરમાર તથા સમગ્ર શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
શ્રેષ્ઠ ૩ બાળકોને ઈનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં.
નિર્ણાયક તરીકે ડૉ ભાનુપ્રસાદ પંડ્યા, ડૉ રાહુલભાઇ રબારી અને ગાયત્રીબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રચનાબેન જાનીએ કર્યું હતું.