ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે.
કાશ્મીરનાં શ્રીનગરમાં ફરજમાં રહેલ ભાવનગર જિલ્લાનાં ઘોઘા પાસેનાં મોટા ખોખરાનાં વતની જયદીપભાઈ ડાભી અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં સેવા બજાવતી વેળાએ પ્રાણ ગુમાવ્યાં છે. રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર આ અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પરિવારજનોને દુઃખની સ્થિતિમાં સાંત્વના માટે પ્રાર્થના કરી છે.
ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે, તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.