click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” થીમ આધારિત “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” થીમ આધારિત “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
Gujarat

નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” થીમ આધારિત “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

જિલ્લાના તમામ પાંચ તાલુકામાં તા.૦૯ થી ૧૫મી ઓગષ્ટ સુધી ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજાશે ત્યાંથી ૧૬થી ૨૦મી ઓગસ્ટે માટી કળશ તાલુકા કક્ષાએ પહોંચશે અને ૨૭ -૨૮ ઓગસ્ટે દિલ્હીના કર્તવ્ય પથ ખાતે લઈ જવાશે.

Last updated: 2023/08/08 at 5:13 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દરેક ગામમાં અમૃત સરોવર/જળાશયો પાસે ૭૫ કે તેથી વધુ છોડનું વાવેતર કરાશે, વીરોના બલીદાનને યાદ કરી શ્રંદ્રાજલી આપતી શીલાફલકમ મૂકવામા આવશે : પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધાવંદન, વીરોને વંદન અને ધ્વજવંદન કરવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં મુખ્ય ૫(પાંચ) થીમ આધારિત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૦૯મી ઓગષ્ટથી આરંભ થશે, જે “માટીને નમન, વીરોને વંદન” થીમ પર યોજાશે. નર્મદા જિલ્લામાં યોજાનારા કાર્યક્રમના આનુસંધાને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું કે,  “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે નર્મદા જિલ્લાના તમામ ૫૫૨ ગામોમાં દરેક ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકામાં તા.૯ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમ્યાન મુખ્યત્વે ૦૫ (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. તા. ૧૬ ઓગસ્ટથી ૨૦મી ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકા મથકે કાર્યક્રમ યોજાશે. તા. ૨૭ ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન માટી કળશ સાથે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચ યુવાનો તેમજ નગર પાલિકામાંથી એક યુવાન મળીને કુલ છ યુવાનો કર્તવ્ય પથ નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મોહત્સવ સ્મારક તેમજ અમૃતવાટીક બનાવીને માતૃભૂમીના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રંદ્રાજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે જ્યાં તા. ૨૯ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમ્યાન કર્તવ્ય પથ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, દરેક ગામમાં અમૃત સરોવર/જળાશયો પાસે ૭૫ કે તેથી વધુ છોડનું વાવેતર કરવામાં આવશે. આ છોડ નર્મદા વન વિભાગના સામાજિક વનિકરણ વિભાગ દ્વારા પુરા પાડવામાં આવશે. ગામમાં વીરોના બલીદાન અને યોગદાનને યાદ કરી શ્રંદ્રાજલી આપતી શીલાફલકમ અમૃત સરોવર, ગામમાં પાણીના ઉપલબ્ઘ શ્રોતની જગ્યાએ અથવા શાળામાં મૂકવામા આવશે. સાથે પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધાવંદન, વીરોને વંદન અને ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ખાતે ફ્લેગ માર્ચ કરવામાં આવશે તેમજ જિલ્લાની શાળા કોલેજોમાં થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે. સાથે સાથે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૧૩મીથી ૧૫મી ઓગષ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન પણ યોજાનાર છે.

નર્મદા જિલ્લામાં તા.૦૯મી ઓગષ્ટના રોજ દેડિયાપાડા ખાતે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્યારે નાંદોદ તાલુકાના અકુવાડા ગામે રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની હાજરીમાં “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ યોજાશે.

નર્મદા જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં તમામ નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બને તેવી અપીલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરી હતી. સાથે તમામ નાગરિકો પોતાની સેલ્ફી લઈ નિયત કરવામાં આવેલી વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ ઉપર અપલોડ કરી વીરો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં પોતાની ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, “મારી માટી- મારો દેશ” કાર્યક્રમના જિલ્લા નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ બી. મછાર, જિલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ – શૈશવ રાવ (રાજપીપળા)

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: Azadi Ka Amrit Mohotsavan, Meri Mati Mera Desh Campaign, Narmada, Narmada Collector

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર – ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થવા બદલ ખૂબ અભિનંદન
Next Article ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું સરળ બનશે, હવે CVV ફરજિયાત નહીં.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?