click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
Gujarat

ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામમાં મહાદેવજીનું મંદિર આવેલું છે. ગામની મધ્યમાં આવેલુ નિલકંઠ મહાદેવનું આ ઐતિહાસિક મંદિર અઢીસો વર્ષ જુનું છે.

Last updated: 2025/05/19 at 10:57 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પોતાના ગામમાં કાશી જેવું જ મંદિર બનાવવાનો વિચાર આવ્યો એટલે ત્યાંથી શિવલિંગ લઈને આવ્યા હતા અને ગામની મધ્યમાં નળીયાવાળા મકાનમાં શિવલિંગની સ્થાપના કરી હતી. ભાવનગરના મહારાજા પણ અહિં આવી પૂજા અર્ચના કરતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામમાં મહાદેવજીનું મંદિર આવેલું છે. ગામની મધ્યમાં આવેલુ નિલકંઠ મહાદેવનું આ ઐતિહાસિક મંદિર અઢીસો વર્ષ જુનું છે. મહાદેવજીના મંદિરમાં રણછોડરાયની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે. શિવભક્તો દરરોજ નિલકંઠ મહાદેવના મંદિરે દર્શને આવી મહાદેવજીને બિલીપત્ર, ફૂલ અને દૂધનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. મહાદેવજીના મંદિર સાથે શિવ ભક્તોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. સાચા હ્રદયથી ભક્તો શિવના ચરણોમાં શીશ ઝુકાવી મહાદેવજીને પોતાની સમસ્યાના સમાધાન માટે પ્રાર્થના કરે છે અને મહાદેવજીના આશીર્વાદથી તમામ સમસ્યાનું સમાધાન પણ થાય છે.

Contents
ગઢડાના ખોપાળા ગામમાં બિરાજમાન નિલકંઠ મહાદેવવર્ષો જૂનુ નાનકડી સ્થાવરતાથી ભવ્ય મંદિરે રૂપાંતર — ખોપાળાનું નિલકંઠ મહાદેવ મંદિરશ્રાવણ અને શિવરાત્રિમાં ભક્તિમય મહોત્સવગામના સહયોગથી નાનકડું મંદિર બન્યું ભવ્ય મંદિરશ્રાવણ માસમાં યોજાતા કાર્યક્રમોમાં:શિવ-વૈષ્ણવ સંસ્કૃતિનું મિશ્રણભક્તિથી વિહલ મન ને શાંતિ મળે છે

ગઢડાના ખોપાળા ગામમાં બિરાજમાન નિલકંઠ મહાદેવ

ખોપાળા ગામની મધ્યમાં રમણીય વાતાવરણમાં વચ્ચે આવેલી નિલકંઠ મહાદેવના મંદિરનો ઈતિહાસ રોચક છે. લોકવાયકા મુજબ ખોપાળા ગામે રહેતા વિદ્વાન બ્રાહ્મણ અજમલદાદા રાવલનો ભાવનગરના રાજવી પરિવાર સાથે સારો ઘરોબો હતો. અજમલદાદા રાવલ શિવજીના ઉપાસક હતા અને શિવ પ્રત્યે તેમને અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. અજમલદાદા રાવલ કાશી વિશ્વનાથ યાત્રાધામમાં જાત્રાએ ગયા હતા ત્યારે કાશી વિશ્વનાથમાં તેમને વિચાર આવ્યો કે મારા ગામમાં પણ કાશી વિશ્વનાથની સ્થાપના કરું અને એટલે કાશી વિશ્વનાથથી તેઓ શિવલિંગ લાવ્યા હતા અને ખોપાળા ગામમાં દેશી નળીયાવાળા મકાનમાં ગામ લોકોની હાજરીમાં વાજતે-ગાજતે શિવલિંગની સ્થાપના કરી હતી અને નિલકંઠ મહાદેવ નામ આપ્યુ હતું કહેવાય છે કે શિવલિંગની સ્થાપના પછી ભાવનગર મહારાજા પણ ખોપાળા ગામે મહાદેવના દર્શને આવ્યા હતા અને મંદિર બનાવવામાં પૂરેપૂરો સહયોગ આપી નાનકડું મંદિર બનાવ્યું હતું. અઢીસો વર્ષ જૂના મહાદેવજીના મંદિરે દરેક વાર તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરે દર વર્ષે શિવપૂરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગામના તેમજ આજૂબાજૂના ગામના શિવભક્તો જોડાય છે. મંદિરે ગામની બહેનોનું શિવમંડળ નિયમિત ધુન, ભજન અને સત્સંગ કરી મંદિર અને ગામના વાતાવરણને ભક્તિમય રાખે છે.

વર્ષો જૂનુ નાનકડી સ્થાવરતાથી ભવ્ય મંદિરે રૂપાંતર — ખોપાળાનું નિલકંઠ મહાદેવ મંદિર

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ખોપાળા ગામ, શિવભક્તિનું જીવંત કેન્દ્ર ગણાય છે. અહીં અઢીસો વર્ષ જૂનુ નિલકંઠ મહાદેવ મંદિર સ્થિત છે, જે આજે માત્ર ધાર્મિક સ્થલ નથી, પણ ગામના લોકોએ શ્રદ્ધાથી ઊંચે લાવેલી ભક્તિની સંસ્થાના રૂપે ઊભું રહ્યું છે.

ગામના લોકો પોતાની દિવસની શરૂઆત મંદિરના દર્શનથી કરે છે. દરરોજ સવારે શિવભક્તો બીલીપત્ર, ફૂલો અને દૂધથી અભિષેક કરીને મહાદેવજીની આરાધના કરે છે. એ પછી તેઓ પોતાના રોજિંદા ધંધા અને વ્યવસાયે પ્રવૃત થાય છે.

શ્રાવણ અને શિવરાત્રિમાં ભક્તિમય મહોત્સવ

શ્રાવણ માસ દરમિયાન મંદિર ભક્તિમય ઉલ્લાસથી ગુજરી ઉઠે છે. રોજ અલગ-अलग શૃંગારથી ભોળાનાથને શણગારવામાં આવે છે. શિવપૂરાણ કથા, વિશેષ આરતી, દિપમાલા, તથા સોમવારના લોકમેળા સમગ્ર ગામને ભક્તિમાં રંગી દે છે.

શિવરાત્રિ નિમિત્તે ભજન-ધૂન અને વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં ગામના વૃદ્ધોથી યુવાનો સુધી દરેક વયના લોકો ઉમંગભેર સહભાગી બને છે.

ગામના સહયોગથી નાનકડું મંદિર બન્યું ભવ્ય મંદિર

નિલકંઠ મહાદેવનું જે મંદિર એક સમય નાનું અને પ્રારંભિક સ્વરૂપમાં હતું, તે ગામના સર્વજનના સહકારથી આજે ભવ્ય સ્વરૂપે ઉભું છે. મંદિર માત્ર આરાધનાનું સ્થળ નથી રહ્યો, પણ સમાજસેવાનો પણ કેન્દ્ર બની ગયું છે.

શ્રાવણ માસમાં યોજાતા કાર્યક્રમોમાં:

  • મહાઆરતી

  • ભજન-સંધ્યા

  • વ્યસનમુક્તિ અભિયાન

  • બ્લડ ડોનેશન કેમ્પ

વગેરે યોજી ધાર્મિકતા સાથે સામાજિક જવાબદારી પણ નિભવાય છે.

શિવ-વૈષ્ણવ સંસ્કૃતિનું મિશ્રણ

આ મંદિરમાં ડાકોરના રણછોડરાય જેવી આબેહુબ મૂર્તિની પણ સ્થાપના છે, જે અહીં શિવ અને રણછોડરાયના દર્શન એકસાથે પ્રાપ્ત થાય છે, તેવું અનોખું આધ્યાત્મિક માહોલ આપે છે.

ભક્તિથી વિહલ મન ને શાંતિ મળે છે

કહે છે કે અહીં અનેક ભક્તોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. અહીં શ્રદ્ધાથી શિશ ઝુકાવનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવજીના દર્શન અને આશીર્વાદ લઈને ભક્તો નવી શક્તિ અને આશાવાદ સાથે ઘર પરત જાય છે.

You Might Also Like

સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી

દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!

EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ

TAGGED: Botad District, Dev Darshan, Gadhada Taluka, guajrti news, Nilakantha Mahadev, Nilakantha Mahadev Temple, oneindianews, topnews, ખોપાળા ગામ, નિલકંઠ મહાદેવ, ફૂલો, બીલીપત્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Next Article એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
મે 19, 2025
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી
Gujarat મે 19, 2025
દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!
Gujarat મે 19, 2025
EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર
Gujarat મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?