વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એકબીજાના દેશો માટે હાઇ કમિશનરોની નિમણૂક કરશે. બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી બંને વડાપ્રધાનો નવા હાઇ કમિશનરોની નિમણૂક કરવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચેના તૂટેલા સંબંધોને સુધારવા માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
PM Narendra Modi held a bilateral meeting with the Prime Minister of Canada, Mark Carney, on the sidelines of the G7 Summit in Kananaskis, Alberta.
The leaders underscored the importance of restarting senior ministerial as well as working-level engagements across various domains… pic.twitter.com/uSUS8n9Rde
— ANI (@ANI) June 18, 2025
PM મોદીની કેનેડા મુલાકાતથી ભારત-કેનેડા સંબંધોમાં નવી હૂંફ, બંને દેશોએ હાઈ કમિશનરોની નિમણૂક પર કરી સંમતિ
ઓટાવા/કેલગરી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાની મુલાકાતનો મહત્ત્વપૂર્ણ રાજદ્વારીક દ્રષ્ટિકોણથી પરિણેામકારક અંત આવ્યો છે. PM મોદીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં બંને દેશોએ પડતર સંબંધોમાં નવી તાજગી લાવવા અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા સંમતિ વ્યક્ત કરી.
વિશેષ નોંધપાત્ર છે કે, બંને દેશોએ નવી હાઈ કમિશનરોની નિમણૂક કરવા પર કરાર કર્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને રાજકીય વિવાદોને કારણે ભારત અને કેનેડાએ પોતાના હાઈ કમિશનરોને પાછા બોલાવ્યા હતા. હવે આ નિર્ણય નાગરિકો અને વેપારીઓ માટે ફરીથી વિઝા, દૂતાવાસ સેવાઓ અને અન્ય નીતિગત વ્યવહારોની નર્મલતા તરફ રસ્તો ખોલે છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકને “સકારાત્મક અને રચનાત્મક” ગણાવી હતી અને જણાવ્યું હતું કે બંને દેશોએ “કાયદાના શાસન, પરસ્પર આદર અને સાર્વભૌમત્વ”ના સિદ્ધાંતો પર આધારિત સંબંધો માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
વેપાર સંબંધોને નવી દિશા મળશે
2023-24 દરમિયાન ભારત-કેનેડા દ્વિપક્ષીય વેપાર લગભગ 9 અબજ ડોલરનો હતો. આગામી સમયમાં આ વટાઘાટો ફરી શરૂ થવાની સંભાવના છે. નિષ્ણાતો માને છે કે બંને દેશો વચ્ચેનું આર્થિક સહયોગ આગામી સમયમાં દોઢથી ત્રણગણું વધવા માટે તૈયાર છે.
PM મોદીએ કાર્ની સાથે ભવિષ્યમાં વધુ બેઠકો માટે સંમતિ વ્યક્ત કરી છે જેથી વિવાદોથી બહાર નીકળીને વિકાસ અને સહયોગ પર કેન્દ્રિત રાજદ્વારીક દિશા મળતી રહે.
વૈશ્વિક મંચ પર ભારતની શક્તિનો સંકેત
G-7 સમિટમાં ભારતે ફરી એકવાર “ગ્લોબલ સાઉથ“ની ચિંતા, વિકાસશીલ દેશોની અવાજ અને વિશ્વ શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી. PM મોદીએ કેનેડાના લોકોને અને સરકારને G-7 સમિટના સફળ આયોજન માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભારત વિશ્વ શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં સહભાગીદારી માટે વચનબદ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared