રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અને વ્યૂહાત્મક ક્ષમતા સાબિત કરી છે. અરબી સમુદ્રમાં તૈનાત INS વિક્રાંત પર, રક્ષા મંત્રી નેવીના અધિકારીઓ અને સૈનિકો સાથે મુલાકાત કરી છે અને તેમને પ્રોત્સાહન આપ્યું છે અને ઓપરેશનની સફળતા અંગે ચર્ચા કરી છે.
Goa | Defence Minister Rajnath Singh onboard at INS Vikrant.
(Source: RM Office) pic.twitter.com/k2OqUvOXG9
— ANI (@ANI) May 30, 2025
‘ઓપરેશન સિંદૂર’માં શું હતી INS વિક્રાંતની ભૂમિકા?
ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય નૌકાદળે તેના કેરિયર બેટલ ગ્રુપ સાથે ઉત્તર અરબી સમુદ્રમાં આગળ તૈનાત કરી હતી. આ જૂથનું નેતૃત્વ INS વિક્રાંત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 8 થી 10 યુદ્ધ જહાજો, જેમ કે ડિસ્ટ્રોયર અને સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સ સામેલ હતા. આ તૈનાતીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો તે તણાવ વધારશે, તો ભારતીય નૌકાદળ ફક્ત તેના યુદ્ધ જહાજોને જ નહીં પરંતુ જમીન પરના લક્ષ્યોને પણ નિશાન બનાવી શકે છે. પરિણામે, પાકિસ્તાની નેવી કરાચી નેવલ બેઝ બહાર નીકળવાની હિંમત કરી શક્યું નહીં અને યુદ્ધવિરામની માંગ કરી.
ભારતની શાન છે INS વિક્રાંત INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ છે, અને તે ખરેખર સમુદ્રમાં ભારતનું સૌથી શક્તિશાળી રક્ષક છે. તે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL), કોચીમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું. તેની અંદાજિત કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે, અને તેમાં 75% સુધી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
INS વિક્રાંત કેટલું મોટું છે?
INS વિક્રાંતને ‘સમુદ્રનો સિંહ’ અથવા ‘સમુદ્રમાં તરતો કિલ્લો’ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય. આ એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું છે, જેમાં લગભગ 30,000 ટન ખાસ સ્ટીલ (DMR ગ્રેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવેલ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એક તરતું એરપોર્ટ છે, જે 30 થી વધુ ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર લઈ જવા સક્ષમ છે. તેના ડેક પર MiG-29K ફાઇટર જેટ, કામોવ હેલિકોપ્ટર અને સ્વદેશી હળવા કોમ્બેટ એરક્રાફ્ટ (ALH) તૈનાત કરી શકાય છે.
આ ઉપરાંત, INS વિક્રાંત ચાર ઓટોબ્રેડા 76 mm ગન અને 4 ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ્સ (CIWS) થી સજ્જ છે, જે દુશ્મન મિસાઇલોનો હવામાં જ નાશ કરી શકે છે. તેની અદ્યતન રડાર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તેને સમુદ્રમાં એક અભેદ્ય કિલ્લો બનાવે છે.
પાકિસ્તાન INS વિક્રાંતથી કેમ ડરે છે?
પાકિસ્તાન INS વિક્રાંતથી ખૂબ ડરે છે અને આ વાત છુપી નથી. પાકિસ્તાનની નૌકાદળની તાકાત મર્યાદિત છે, અને તેની પાસે 30 થી ઓછા યુદ્ધ જહાજો છે. તેનાથી વિપરીત, INS વિક્રાંત પોતાના કેરિયર બેટલ ગ્રુપ સાથે એક શક્તિશાળી બેટલ યુનિટ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તેની ફોરવર્ડ તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને કરાચી હાર્બરની બહાર નીકળતા રોકી દીધું. આ જહાજ સમુદ્રમાં યુદ્ધ જહાજોને તો નિશાન બનાવી જ શકે છે, સાથે જ તેના લડાકુ વિમાન અને મિસાઇલો જમીન પરના લક્ષ્યો પર પણ સચોટ પ્રહાર કરી શકે છે.
INS વિક્રાંતની મુલાકાત કેમ લઈ રહ્યા છે રક્ષા મંત્રી?
રક્ષા મંત્રી રાજનાથ સિંહની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા અને નૌકાદળના દળોનું મનોબળ વધારવા માટે છે. અગાઉ, તેઓએ શ્રીનગરમાં આર્મી અને ભૂજમાં એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી હતી. INS વિક્રાંત પર તેમની હાજરી નૌકાદળની તાકાત અને ભારતની સંરક્ષણ નીતિને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપશે. રક્ષા મંત્રીએ ઓપરેશન સિંદૂરને ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક ગણાવ્યું છે, જેની પાકિસ્તાનમાં ઊંડે સુધી અસર જોવા મળી રહી છે.